‘પીપલ્સ પદ્મ’ પુરસ્કાર માટે વડાપ્રધાન મોદીની નવી પહેલ : હવે લોકો પણ કરી શકશે નોમિનેટ, જાણો કઈ રીતે

by Dr. Mayur Parikh

દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન, પદ્મ એવોર્ડ્સને આ વર્ષે ‘પીપલ્સ પદ્મ’ એવોર્ડ તરીકે રજૂ કરવામાં આવશે. 

આ સંબંધમાં પીએમ મોદીએ જનતાને એવા લોકોને પદ્મ પુરસ્કાર માટે નામાંકિત કરવા માટે કહ્યું છે કે જેઓ ભૂમિગત સ્તરે અસાધારણ કાર્ય કરી રહ્યા છે પરંતુ ઓછા જાણીતા છે. 

સાથે જ વડાપ્રધાને પદ્મ પુરસ્કારોની વેબસાઈટ લીંક પણ આપી છે. જ્યા લોકો કોઈ પણ પ્રેરણાદાયી વ્યક્તિને નોમિનેટ કરી શકશે. 

આ ઉપરાંત સરકારે આ વેબસાઈટ પર સેલ્ફ નોમિનેશનનો વિકલ્પ પણ આપેલો છે. 

આ નામાંકન પ્રક્રિયા 15 સપ્ટેમ્બર સુધી ખુલ્લી છે.

ઉલ્લેખનીય છે કે આ પુરસ્કારોની શરૂઆત 1954માં થઈ હતી અને દર વર્ષે ગણતંત્ર દિવસના અવસરે તેની જાહેરાત કરવામાં આવતી હોય છે.

મહારાષ્ટ્રના આ જિલ્લામાં વેપાર-ધંધામાં પૂરેપૂરી છૂટ આપવામાં આવશેઃઆરોગ્ય પ્રધાનનો સૂર બદલાયો જાણો વિગત

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More