Site icon News Continuous Bureau | Mumbai

‘જવાનોની વીરગતિ વ્યર્થ નહી જાય, દેશવાસીઓ એકજૂથ થઈને ચીનને જવાબ આપે’ :પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

22 જુન 2020

 લદાખ-ચીન સરહદે આવેલા ઘાટીમાં આપણા વીર જવાનોની શહાદત વ્યર્થ જવી ન જોઈએ જે માટે આખા દેશએ એક જૂથ થઈ ચીને કરેલા દુસાહસ નો જવાબ આપવો જોઈએ, એમ ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે જણાવ્યું છે.. આ સાથે જ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન તાકવાનું ભૂલ્યા ન હતા. તેમણે પીએમને શબ્દોની પસંદગી કરતી વેળા સાવધાની રાખવાની ટકોર કરી હતી.

 ગત 14 15 જૂને સરહદે ઘટેલી ઘટનાના ઘણા દિવસો બાદ પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે પોતાની પ્રતિક્રિયા આપી, જેમાં તેમણે કહ્યું કે 'આપણા જવાનોએ સાહસનું પ્રદર્શન કરી છેલ્લા શ્વાસ સુધી માતૃભૂમિની રક્ષા કરી, તેમના ત્યાગ અને સમર્પણને વ્યર્થ ન જવા દેવું જોઈએ'.

 અંતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આડકતરી રીતે કહ્યું કે "તેમણે શબ્દોની પસંદગી સાવધાનીપૂર્વક કરવી જોઈએ. આપણે અત્યારે ઇતિહાસના ખૂબ નાજૂક દોરમાંથી પસાર થઈ રહ્યા છીએ. આથી વર્તમાન સરકારના નિર્ણયો અને ઉઠાવેલા પગલાં નક્કી કરશે કે આવનારું ભવિષ્ય કેવું હશે. આથી જ ભારતે ચીનની ધમકીઓ અને માનસિક દબાણ સામે મુકવાની જરૂર નથી, પરંતુ ઉચ્ચ નેતૃત્વની ફરજ છે કે તમામ રાજકીય પક્ષોની સહમતી પણ આ અભિનયમાં લેવામાં આવે"..

 

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3fxoxI2 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

India Reaction Mecca Drone Attack મક્કા નજીક ડ્રોન હુમલા પર ભારતની આકરી પ્રતિક્રિયા કહ્યું ‘વિશ્વભરના મુસ્લિમોની આસ્થા અને પવિત્રતા સાથે ચેડાં અસ્વીકાર્ય’
Social Media Design Changes High Court Notice શું હવે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને X ની ડિઝાઈન બદલાશે? વ્યસન વધારતા ફીચર્સ મુદ્દે હાઈકોર્ટે કેન્દ્રને મોકલી નોટિસ!
Rahul Gandhi PM Modi UPI Tax Demand રાહુલ ગાંધી આક્રમક સામાન્ય જનતાના ખિસ્સા પર બોજ કેમ? યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પરના ટેક્સ સામે કોંગ્રેસે મોરચો ખોલ્યો!
India Pakistan Warship Collision Action અરબી સમુદ્રમાં સામસામે આવી ગયા બે કટ્ટર હરીફ જાણો સુરક્ષિત અંતરના નિયમોનો ભંગ કરી પાકિસ્તાને કેવી રીતે સર્જી ખતરનાક પરિસ્થિતિ
Exit mobile version