News Continuous Bureau | Mumbai
Viksit Bharat Young Leaders Dialogue PM Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માસિક મન કી બાત સંબોધનમાં વિકસિત ભારતને આકાર આપવામાં યુવાનોની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો. યુવા દિમાગની શક્તિને ઉજાગર કરતા, તેમણે 11-12 જાન્યુઆરી, 2025ના રોજ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાનારી ‘વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ’ નામની સીમાચિહ્નરૂપ પહેલની જાહેરાત કરી.
સ્વામી વિવેકાનંદની 162મી જન્મજયંતી નિમિત્તે આ ભવ્ય આયોજન દેશભરના કરોડો યુવાનો માટે ભારતના ભવિષ્ય માટે વિચારોને એક કરવા, વિચાર-વિમર્શ કરવા અને પ્રસ્તુત કરવા માટેના મંચનું કામ કરશે. ગામો, બ્લોક્સ, જિલ્લાઓ અને રાજ્યોમાંથી સાવચેતીપૂર્વક પસંદ કરાયેલા હજારો યુવાન વ્યક્તિઓ સંવાદ માટે એકઠા થશે.
On 12th January next year, we will mark Swami Vivekananda’s 162nd Jayanti. This time it will be celebrated in a very special way. #MannKiBaat pic.twitter.com/TbumRi0Ta6
— PMO India (@PMOIndia) November 24, 2024
આ કાર્યક્રમ વિશે બોલતા પ્રધાનમંત્રીએ( Narendra Modi ) નવા નેતૃત્વને પ્રોત્સાહન આપવા અને પાયાના સ્તરે રાજકીય જોડાણને પોષવા માટે પોતાનું વિઝન વ્યક્ત કર્યું હતું. “લાલ કિલ્લાની પ્રાચીર પરથી, મેં કોઈ રાજકીય વંશ ન ધરાવતા યુવાનોને રાજકારણમાં પગ મૂકવા વિનંતી કરી છે. ‘ વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ’ ( National Youth Festival ) એ દિશામાં વધુ એક પગલું છે, એમ તેમણે જણાવ્યું હતું.
આ સંવાદમાં ( Viksit Bharat Young Leaders Dialogue PM Modi ) રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો, વિચારશીલ નેતાઓ અને મહાનુભાવો સામેલ થશે. પ્રધાનમંત્રી પોતે યુવાનો સાથે સહભાગી થશે અને તેમની સાથે વાતચીત કરશે તથા તેમને દેશની પ્રગતિ માટે નવીન વિચારો પ્રસ્તુત કરવા પ્રોત્સાહિત કરશે. આ આંતરદૃષ્ટિ ભારતના ભવિષ્ય માટે એક વ્યાપક રોડમેપ બનાવવામાં પ્રદાન કરશે.
बिना Political Background के 1 लाख युवाओं को राजनीति में लाने से जुड़े ‘Viksit Bharat Young Leaders Dialogue’ के बारे में हमारी युवाशक्ति को जरूर जानना चाहिए। #MannKiBaat pic.twitter.com/KLLzGHBC1H
— Narendra Modi (@narendramodi) November 24, 2024
પ્રધાનમંત્રીએ યુવાનોને ( Viksit Bharat Young Leaders Dialogue ) રાષ્ટ્રનિર્માણમાં સક્રિયપણે સહભાગી થવાની આ તકનો લાભ લેવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “જે લોકો ભારતનાં ભવિષ્યનું નિર્માણ કરવા જઈ રહ્યાં છે, તેમના માટે આ શ્રેષ્ઠ તક છે. આવો, આપણે સાથે મળીને દેશનું નિર્માણ કરીએ અને દેશને વિકસિત કરીએ.”
આ સમાચાર પણ વાંચો : NSO Annual Industry Survey: નેશનલ સ્ટેટિસ્ટિકસ ઑફિસ ( NSO ) દ્વારા રાજકોટમાં આ તારીખે યોજાશે એએસઆઈ અંગે કાર્યશિબિર..
આ કાર્યક્રમ સ્વામી વિવેકાનંદની ભાવનાની ઉજવણી કરવા, યુવા ( Indian Youth ) માનસને પ્રેરિત કરવા અને ઉજ્જવળ અને વિકસિત ભારતનો પાયો નાંખવામાં એક યાદગાર ક્ષણ બનવાનું વચન આપે છે.
Viksit Bharat Young Leaders Dialogue हेतु प्रधानमंत्री श्री @NarendraModi जी का युवाओं के लिए संदेश।#NYF2025 #MannKiBaat pic.twitter.com/PNc1Qs6WQh
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) November 24, 2024
રાષ્ટ્રીય યુવા મહોત્સવની પુનઃકલ્પના વિકસિત ભારત ( Viksit Bharat ) યુવા નેતાઓ સાથેની સંવાદમાં ભારતના ભવિષ્યને આકાર આપવામાં યુવાનોના જોડાણને પ્રેરિત કરવા માટે ચાર તબક્કાની સ્પર્ધા વિકસિત ભારત ચેલેન્જનું આયોજન કરવામાં આવ્યું છે. મેરા યુવા ભારત (MY Bharat) પ્લેટફોર્મ પર આવતીકાલે એટલે કે 25 નવેમ્બર 2024ના રોજ સ્ટેજ 1 – વિકસિત ભારત ક્વિઝ શરૂ થશે. વધુ વિગતો માટે
વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ – રાષ્ટ્રીય યુવા મહોત્સવ 2025 સાથે સંબંધિત તમામ વિગતો MY Bharat પ્લેટફોર્મ (https://mybharat.gov.in/) પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)