Site icon

મનમોહન સિંહને વડાપ્રધાન પદ થાળીમાં પીરસવામાં આવ્યું હતું જ્યારે નરેન્દ્ર મોદીએ આ પદ મહેનતથી મેળવ્યું છે : પ્રણવ મુખર્જી 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Community

07 જાન્યુઆરી 2021  

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને નરેન્દ્ર મોદી તદ્દન ભિન્ન વિચાર ધારામાંથી આવતાં હોવા છતાં બંને વચ્ચે ગજબનો તાલમેળ હતો. પ્રણવ દા ના જણાવ્યા અનુસાર વર્ષ 2014 અને 2019ની સામાન્ય ચૂંટણીમાં ભાજપને મળેલા જનાદેશે સ્પષ્ટ કર્યું કે જનતા રાજકીય સ્થિરતા ઈચ્છતી હતી. સ્વર્ગસ્થ મુખર્જીએ તેમના સંસ્મરણો 'ધ પ્રેસિડેન્શિયલ યર્સ, 2012-2017'માં પણ ઉલ્લેખ કર્યો છે કે મોદી 'જનતાની લોકપ્રિય પસંદગી'ના રૂપમાં દેશના પ્રધાનમંત્રી બન્યા હતા, જ્યારે મનમોહન સિંહને આ પદ 'સોનિયા ગાંધી' દ્વારા ઓફર કરવામાં આવ્યું હતું. 

 

નોંધનીય છે કે, બંને PM સાથે કામ કર્યું હતું પ્રણવ મુખર્જીએ. પીએમ મોદી અને મનમહન સિંહની તુલના કરતા તેમણે લખ્યું, "મોદીએ 2014માં ભાજપના ઐતિહાસિક વિજયની આગેવાની લીધી હતી તેમની છબી લોકોને પસંદ આવી હતી. કોઈ પણ જાતના અભિમાન વગર તેઓ અનેક મુદ્દે તેઓ મારી રાય માંગતા હતાં. 

તેમણે કહ્યું વધુમાં કહ્યું, જ્યારે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા, ત્યારે તેમને વિદેશનીતિ બાબતોનો કોઈ અનુભવ નહોતો. પરંતુ તેમણે એવું કંઇક કર્યું જેનો કોઈ અન્ય પ્રધાનમંત્રીએ પહેલાં પ્રયાસ કર્યો ન હતો. તેમણે પાકિસ્તાનના તત્કાલીન પ્રધાનમંત્રી નવાઝ શરીફ સહિત સાર્ક દેશોના વડાઓને 2014ના પ્રથમ શપથવિધિ માટે આમંત્રિત કર્યા હતા. પરંપરાને તોડતા તેમના નિર્ણયથી વિદેશ નીતિના જાણકારોને આશ્ચર્યચકિત કરી દીધા હતા.. ઉલ્લેખનીય છે કે સ્વર્ગીય પ્રણવ મુખર્જી અર્થશાસ્ત્ર અને વિદેશ નીતિના ધુરંદર હતા. જ્યારે આવી વ્યક્તિ વડાપ્રધાનની વિદેશ નીતિના વખાણ કરે ત્યારે તેમની સિદ્ધિ સાબિત થતી જણાય છે.

Middle East Tension: યુદ્ધના મેદાનમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષા માટે માસ્ટર પ્લાન! વિદેશ મંત્રાલયે શરૂ કર્યો ૨૪x૭ કંટ્રોલ રૂમ; હેલ્પલાઈન નંબર સેવ કરી લેજો..
Middle East Conflict: દુશ્મનોના હુમલા થશે નિષ્ફળ! મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ભારત રશિયા પાસેથી ખરીદશે વધુ S-400 મિસાઈલ સિસ્ટમ; જાણો કેમ આ ડીલ છે ખાસ.
India Faces Major LPG Crisis: ભારતના રસોડા પર યુદ્ધની અસર: ઈરાન-અમેરિકા તણાવથી LPG પુરવઠા પર મોટું સંકટ; જાણો દેશમાં હવે કેટલા દિવસનો સ્ટોક બાકી?
SpiceJet Special Flights: વતન વાપસીની આતુરતા! યુએઈથી સ્પેશિયલ ફ્લાઈટ્સ શરૂ, પરંતુ કુવેતમાં ફસાયેલા ભારતીયોની વધી મુશ્કેલી; જાણો ગ્રાઉન્ડ રિપોર્ટ.
Exit mobile version