PM Modi Gen Z Message Autobiography ઇન્ફ્લુએન્સર્સ ગેરમાર્ગે દોરશે! જિંદગીમાં શોર્ટકટ છોડી સંઘર્ષની લાંબી રેસના ઘોડા બનો, Gen Z ને PM મોદીની સોનેરી સલાહ

PM Modi Gen Z Message Autobiography પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આત્મકથાના વિમોચન પ્રસંગે વડાપ્રધાને યુવા પેઢીને સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર્સથી સાવધ રહેવા જણાવ્યું

by kalpana Verat
PM Modi Gen Z Message Autobiography  ઇન્ફ્લુએન્સર્સ ગેરમાર્ગે દોરશે! જિંદગીમાં શોર્ટકટ છોડી સંઘર્ષની લાંબી રેસના ઘોડા બનો, Gen Z ને PM મોદીની સોનેરી સલાહ

News Continuous Bureau | Mumbai

PM Modi Gen Z Message Autobiography વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) દેશની નવી પેઢી એટલે કે ‘Gen Z’ (જેન ઝેડ) ને એક મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી સંદેશ આપ્યો છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આત્મકથા (Autobiographical Book) ના વિમોચન પ્રસંગે બોલતાં પીએમ મોદીએ યુવાનોને સોશિયલ મીડિયાના શોર્ટ કટથી બચીને પ્રેરણાદાયી પુસ્તકો અને આત્મકથાઓ વાંચવાની અપીલ કરી છે.

Embed https//x.com/ANI/status/2087402141766074737/video/1

PM Modi Gen Z Message Autobiography – સોશિયલ મીડિયા, ઈન્ફ્લુઅન્સર્સ અને શોર્ટ કટ સામે ચેતવણી

વડાપ્રધાને યુવા પેઢીને સંબોધતા કહ્યું કે, “આજનો જમાનો રીલ્સ (Reels) અને શોર્ટ વિડીયોનો છે. સોશિયલ મીડિયા પર ઈન્ફ્લુઅન્સર્સ (Influencers) તમને પોતાની તરફ ખેંચી જાય છે અને શોર્ટ કટ તરફ દોરી જાય છે.” તેમણે ઉમેર્યું કે રેલ્વે સ્ટેશન પર લખેલું વાક્ય ‘Short Cut Will Cut You Short’ (શોર્ટ કટ તમને નાના કરી દેશે) હંમેશા યાદ રાખવું જોઈએ. યુવાનોએ જીવનમાં સફળતા મેળવવા માટે ટૂંકા રસ્તાઓ છોડીને સખત પરિશ્રમનો માર્ગ અપનાવવો જોઈએ.

PM Modi Gen Z Message Autobiography – પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના જીવનમાંથી પ્રેરણા લેવા આહ્વાન

પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આત્મકથા ‘ટ્રાયમ્ફ ઓફ ધ ઈન્ડિયન રિપબ્લિક: માય લાઈફ, માય સ્ટ્રગલ્સ’ (Triumph of the Indian Republic: My Life, My Struggles) ના લોકાર્પણ પ્રસંગે પીએમ મોદીએ તેમના જીવનના સંઘર્ષોની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે એક સામાન્ય અને ગરીબ પરિવારમાંથી આવીને દેશના સર્વોચ્ચ પદ સુધી પહોંચવા છતાં રામનાથ કોવિંદે ઈમાનદારી અને મૂલ્યો સાથે ક્યારેય સમાધાન કર્યું નથી. તેમનું જીવન દેશના લાખો યુવાનો માટે પ્રેરણાસ્રોત છે.

PM Modi Gen Z Message Autobiography – રાષ્ટ્રસેવા અને ‘વન નેશન વન ઈલેક્શન’ વિષય પર સક્રિયતા

પીએમ મોદીએ નોંધ્યું કે દેશના રાષ્ટ્રપતિ પદેથી નિવૃત્ત થયા પછી પણ રામનાથ કોવિંદ શાંતિથી બેસી રહ્યા નથી. તેઓ આજે પણ દેશહિતમાં ‘એક દેશ, એક ચૂંટણી’ (One Nation One Election) જેવા અત્યંત મહત્વપૂર્ણ વિષય પર કામ કરી રહ્યા છે અને જનજાગૃતિ ફેલાવી રહ્યા છે. લોકશાહીના આ નવા અધ્યાયમાં તેમનું યોગદાન અદ્ભુત છે અને તેમની આ રાષ્ટ્રસેવા માંથી દેશના નાગરિકોએ ઘણું શીખવા જેવું છે.

👉 આ સમાચાર વાચો:
Parliament Ram Mandir Donation Debate સંસદમાં આજે પણ ચાલુ રહેશે ગતિરોધ? સરકાર ચર્ચા માટે તૈયાર, રામ મંદિર ચઢાવા ચોરી મુદ્દે અડગ વિપક્ષ

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More