PM Modi in Ayodhya : અચાનક ઉજ્જવલા યોજનાના લાભાર્થીના ઘરે પહોંચ્યા PM મોદી, લીધી ચા ની ચુસ્કી, બાળકો સાથે મસ્તી કરી, જુઓ વિડિયો..

PM Modi in Ayodhya : યુપીના અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અચાનક ઉજ્જવલા યોજનાના લાભાર્થીના ઘરે પહોંચ્યા. આ દરમિયાન આખી કોલોની સ્તબ્ધ થઈ ગઈ હતી. પીએમ મોદીએ મીરા લાભાર્થીબનાવેલી ચા પીધી અને પરિવારજનોની ખબર-અંતર પૂછ્યા. લાભાર્થીએ કહ્યું કે અમને ખબર ન હતી કે દેશના વડાપ્રધાન અમારા ઘરે આવશે.

by kalpana Verat
In Ayodhya, PM Modi stops for tea at welfare scheme beneficiary's house

News Continuous Bureau | Mumbai

PM Modi in Ayodhya : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ( PM Modi )  આજે  અયોધ્યા ( Ayodhya ) પ્રવાસ પર છે. આજે, PM મોદી એ કુલ 15 હજાર 709 કરોડ રૂપિયાની યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. અયોધ્યાની મુલાકાત દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ ઉજ્જવલા યોજના ( UJjawala scheme ) ના 10 કરોડમાં લાભાર્થીના ઘરની મુલાકાત લીધી. પીએમએ યોજનાના લાભાર્થીના ઘરે ચા પણ પીધી. આ દરમિયાન વડાપ્રધાન સાથે તસવીરો ખેંચવા માટે ભીડ એકઠી થઈ હતી. મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચોથી વખત રામ નગરી અયોધ્યા પહોંચ્યા છે.

જુઓ વિડીયો 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અચાનક અયોધ્યામાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીના ઘરે પહોંચ્યા. આ જોઈને આખી કોલોનીના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. આ દરમિયાન પીએમ મોદીએ તેના દ્વારા બનાવેલી ચા ( Tea ) પીધી હતી.ચા પીધા પછી વડાપ્રધાને કહ્યું કે તેણે તેને થોડી મીઠી બનાવી છે. આ સાથે પીએમ મોદીએ પરિવારજનોની ખબર-અંતર પૂછ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ લાભાર્થી ( beneficiarys ) ના પરિવાર સાથે લગભગ 10-15 મિનિટ સુધી વાત કરી. લાભાર્થીએ કહ્યું કે આજે હું ખૂબ જ ખુશ છું. આ પ્રસંગે પીએમ મોદીએ બાળકને ઓટોગ્રાફ પણ આપ્યો હતો. જેમાં તેમણે વંદે માતરમ લખ્યું હતું.

સીએમ યોગી અને રાજ્યપાલે વડાપ્રધાનનું સ્વાગત કર્યું

PM મોદી આજે સવારે 10 વાગ્યાની આસપાસ એરપોર્ટ પર પહોંચ્યા હતા. પીએમના સ્વાગત માટે એરપોર્ટ પર રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન હાજર રહ્યા હતા. વડાપ્રધાન અયોધ્યા પહોંચ્યા ત્યારે એરપોર્ટ ( Airport ) પર સીએમ યોગી અને રાજ્યપાલ આનંદી બેન પટેલે તેમનું સ્વાગત કર્યું હતું. પીએમએ સંતોની મિથિલાને રામનગરીથી રેલ માર્ગે જોડવાની બહુ પ્રતિક્ષિત ઇચ્છા પૂરી કરી. રેલવે સ્ટેશનની નવી ઇમારતનું ઉદ્ઘાટન કર્યા બાદ તેમણે અમૃત ભારત અને વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરી હતી.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More