PM Modi in Kashi: PM મોદી આજે વારાણસીમાં, ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમનો કર્યો શિલાન્યાસ, જાણો અધધ 451 કરોડના આ પ્રોજેક્ટની ખાસિયતો.

PM Modi in Kashi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમનો પાયો નાખ્યો હતો. આ સ્ટેડિયમ વારાણસીમાં રાજતલબની ગંજરીમાં બનાવવામાં આવશે. તેને બનાવવામાં કુલ 450 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ સ્ટેડિયમ 30 એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલું હશે.

by Hiral Meria
PM Modi in Kashi: PM Modi lays foundation stone of cricket stadium in Varanasi

News Continuous Bureau | Mumbai 

PM Modi in Kashi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( Prime Minister Narendra Modi ) આજે તેમના સંસદીય ક્ષેત્ર ( Parliamentary Constituency ) વારાણસી ( Varanasi ) પહોંચ્યા હતા. અહીં પીએમ મોદીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો ( International Cricket Stadium ) શિલાન્યાસ ( foundation stone ) કર્યો. આ દરમિયાન પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર ( Sachin Tendulkar ) , રવિ શાસ્ત્રી ( Ravi Shastri ) જેવા પૂર્વ ખેલાડીઓ પણ હાજર રહ્યા હતા. તદુપરાંત આ કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી ( Uttar Pradesh CM ) યોગી આદિત્યનાથ ( Yogi Adityanath ) અને BCCI સચિવ જય શાહે ( Jay Shah ) પણ ભાગ લીધો હતો. લોકોને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે આજે ફરી એકવાર વારાણસી આવવાનો મોકો મળ્યો છે.

પીએમ મોદીએ લોકોને સંબોધતા કહ્યું કે કાશીમાં આજે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ સ્ટેડિયમ વારાણસી અને પૂર્વાંચલના યુવાનો માટે વરદાન સાબિત થશે. જ્યારે આ સ્ટેડિયમ તૈયાર થશે ત્યારે અહીં એક સાથે 30 હજારથી વધુ લોકો મેચ જોઈ શકશે. હું જાણું છું કે જ્યારથી સ્ટેડિયમની તસવીરો સામે આવી છે ત્યારથી દરેક કાશીવાસી ગદગદ થઇ ગયા છે. મહાદેવની નગરીમાં બની રહેલા સ્ટેડિયમની ડિઝાઇન ખુદ મહાદેવને સમર્પિત છે.

450 કરોડના ખર્ચે સ્ટેડિયમ તૈયાર થશે

સ્ટેડિયમની જમીન માટે ઉત્તર પ્રદેશ સરકારે 121 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. બીસીસીઆઈ સ્ટેડિયમના નિર્માણ માટે કુલ 330 કરોડ રૂપિયા ખર્ચવા જઈ રહી છે. સ્ટેડિયમ દ્વારા વારાણસીમાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ બનવા જઈ રહ્યું છે. આ સ્ટેડિયમ વારાણસીમાં રાજતલબની ગંજરીમાં બનાવવામાં આવશે. તેને બનાવવામાં કુલ 450 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ સ્ટેડિયમ 30 એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલું હશે.

શું છે સ્ટેડિયમની વિશેષતા?

વારાણસીમાં બની રહેલા આ સ્ટેડિયમની ખાસિયત તેના આર્કિટેક્ચરમાં છુપાયેલી છે. તેનું સ્થાપત્ય ભગવાન શિવથી પ્રેરિત છે. તેમાં અર્ધચંદ્રાકાર આકારનું છત આવરણ અને ત્રિશુલ આકારની ફ્લડ-લાઇટ્સ હશે. બેઠક વ્યવસ્થા ઘાટ જેવી હશે. જો સ્ટેડિયમની ક્ષમતાની વાત કરીએ તો અહીં 30 હજાર લોકો બેસીને મેચ જોઈ શકશે. આ સ્ટેડિયમ ડિસેમ્બર 2025 સુધીમાં તૈયાર થઈ જશે. કાનપુર અને લખનઉ પછી યુપીનું આ ત્રીજું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ હશે.

આ સમાચાર પણ વાંચો :  Asian Games 2023: આજથી શરૂ થશે 19મી એશિયન ગેમ્સ, આટલા દેશો લેશે ભાગ.. જાણો એશિયન ગેમ્સનું સંપુર્ણ શેડ્યુલ.. વાંચો વિગતવાર અહીં…

PM મોદી મહિલાઓની રેલીને સંબોધશે

વડાપ્રધાન મોદી ‘નારી શક્તિ વંદન બિલ’ પર અહીં 5 હજાર મહિલાઓ સાથે પણ વાત કરવાના છે. તાજેતરમાં જ ‘નારી શક્તિ વંદન બિલ’ તરીકે ઓળખાતું મહિલા અનામત બિલ સંસદમાં પસાર થયું છે. આ અંતર્ગત મહિલાઓને લોકસભા અને રાજ્ય વિધાનસભામાં 33 ટકા અનામત મળશે. વડાપ્રધાન મોદીએ મહિલા આરક્ષણ સંબંધિત બિલ પર સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટીના મેદાનમાં મહિલાઓની રેલીને સંબોધિત કરશે.

રેલી બાદ પીએમ મોદી મોદી રૂદ્રાક્ષ ઇન્ટરનેશનલ કોઓપરેશન એન્ડ કન્વેન્શન સેન્ટર પહોંચશે. અહીં તેઓ કાશી સંસદ સાંસ્કૃતિક ઉત્સવ 2023ના સમાપન સમારોહમાં ભાગ લેશે. પીએમ મોદીનો 16 નવનિર્મિત અટલ રેસિડેન્શિયલ સ્કૂલનું ઉદ્ઘાટન કરવાનો પણ કાર્યક્રમ છે. એકંદરે PM મોદી સાંજ સુધી કાશીમાં જ રહેવાના છે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More