Site icon

PM Modi in Rajyasabha: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન, વિપક્ષના ટોણા પર વળતો પ્રહાર કહ્યું- ‘અમારી સરકારના 10 વર્ષ થયા, હજુ 20 વર્ષ બાકી.. વિપક્ષે કર્યો વોકઆઉટ..

PM Modi in Rajyasabha: રાષ્ટ્રપતિના અભિભાષણનો જવાબ આપતા વડાપ્રધાન મોદીએ રાજ્યસભામાં પોતાના સંબોધનમાં કહ્યું, 'કેટલાક લોકોએ જાણીજોઈને જનાદેશ તરફ પીઠ ફેરવી દીધી, કેટલાક લોકો સમજી શક્યા નહીં અને જેઓ સમજ્યા તેમણે હંગામો મચાવ્યો અને આ આદેશની અવગણના કરી.

PM Modi in RajyasabhaOpposition walks out from Rajya Sabha, PM Modi says INDIA bloc can't face truth

PM Modi in RajyasabhaOpposition walks out from Rajya Sabha, PM Modi says INDIA bloc can't face truth

News Continuous Bureau | Mumbai 

PM Modi in Rajyasabha: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપી રહ્યા છે.પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ વિપક્ષી પાર્ટીઓ પર શાબ્દિક પ્રહારો કર્યા છે. તેમના વક્તવ્યની શરૂઆતમાં તેમણે કહ્યું કે ભારતની આઝાદીના ઈતિહાસમાં, આપણી સંસદીય લોકતાંત્રિક યાત્રામાં ઘણા દાયકાઓ પછી, દેશની જનતાએ ત્રીજી વખત દેશની સેવા કરવા માટે સરકારને ચૂંટી છે. તેમણે કહ્યું- 60 વર્ષ પછી એવું બન્યું છે કે 10 વર્ષ પછી એક સરકાર પાછી આવી છે. આ ઘટના અસામાન્ય છે. કેટલાક લોકો જાણીજોઈને તેમનાથી મોં ફેરવીને બેઠા છે.

Join Our WhatsApp Community

PM Modi in Rajyasabha:વિપક્ષના ટોણા પર વળતો પ્રહાર

તેમણે વિપક્ષના ટોણા પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, ‘વિપક્ષના સાથીઓએ અમારી સરકારને એક તૃતિયાંશ સરકાર ગણાવી હતી. હા, અમે માનીએ છીએ કે અમે સરકારના એક તૃતીયાંશ છીએ, અમારી સરકારના 10 વર્ષ થઈ ગયા અને હજુ 20 વર્ષ બાકી છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં શાળા-કોલેજ પરિસરમાં તમાકુ વેચનારાઓ સામે હવે પાલિકાની કડક કાર્યવાહી, આ સ્થળો થયા તમાકુ મુક્ત.. જાણો વિગતે..

PM Modi in Rajyasabha: 32 મિનિટના ભાષણ બાદ વિપક્ષે ગૃહમાંથી વોકઆઉટ કર્યું 

દરમિયાન વિપક્ષે હંગામો ચાલુ રાખ્યો હતો. 32 મિનિટના ભાષણ બાદ વિપક્ષે ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. તેના પર અધ્યક્ષ જગદીપ ધનખરે કહ્યું – તેઓ મારા તરફ નહીં, પરંતુ બંધારણ તરફ પીઠ ફેરવી રહ્યા છે. વડાપ્રધાને કહ્યું- તેઓ (વિપક્ષ) દેશવાસીઓ દ્વારા આપવામાં આવેલા જનાદેશને પચાવી શકતા નથી. ગઈકાલે તેના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા. તેથી જ આજે તે મેદાન છોડીને ભાગી ગયા.

PM Modi in Rajyasabha: પીએમ મોદીએ  લોકસભામાં આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપ્યો 

પીએમ મોદીએ એક દિવસ પહેલા જ લોકસભામાં આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપ્યો હતો. કોંગ્રેસને પરજીવી ગણાવતા પીએમ મોદીએ વિપક્ષી નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું. પીએમના ભાષણ દરમિયાન વિપક્ષી સભ્યો વેલમાં આવી ગયા અને સૂત્રોચ્ચાર કરતા રહ્યા. વિપક્ષના હોબાળા અને સૂત્રોચ્ચાર વચ્ચે PMએ આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપ્યો.

Vrindavan Boat Tragedy:વૃંદાવનમાં યમુના નદીમાં મોટી હોનારત, ૧૦ શ્રદ્ધાળુઓના મોત, રેસ્ક્યૂ ઓપરેશન હજુ પણ યથાવત.
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
India Qatar LNG Supply: કતારથી ભારત આવશે LNG ટેન્કર, રસોઈ ગેસની અછતને પહોંચી વળવા માસ્ટર પ્લાન તૈયાર.
JD Vance Warning to Iran: ઈરાનને જેડી વેન્સની ખુલ્લી ચેતવણી, શાંતિ બેઠક પહેલા અમેરિકાનું કડક વલણ
Exit mobile version