Site icon

Ratan Tata PM Modi: રતન ટાટાના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, કહ્યું , ‘આ મુદ્દાઓને આગળ વધારવામાં હતા મોખરે’

Ratan Tata PM Modi: પ્રધાનમંત્રીએ રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો. શ્રી ટાટા એજ્યુકેશન, હેલ્થકેર, સેનિટેશન, એનિમલ વેલ્ફેર જેવા મુદ્દાઓને આગળ વધારવામાં મોખરે હતા: પ્રધાનમંત્રી. મોટા સપના જોવાના અને સમાજને પાછું આપવાનો શ્રી ટાટાનો જુસ્સો અજોડ હતું : પ્રધાનમંત્રી

PM Modi mourns Ratan Tata's demise, says, 'He was at the forefront of advancing these issues'

PM Modi mourns Ratan Tata's demise, says, 'He was at the forefront of advancing these issues'

 News Continuous Bureau | Mumbai

Ratan Tata PM Modi:  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​શ્રી રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો. PM મોદીએ કહ્યું કે ટાટા એક સ્વપ્નદ્રષ્ટા બિઝનેસ લીડર, એક દયાળુ આત્મા અને એક અસાધારણ માનવી હતા, જેમણે પોતાની નમ્રતા, દયા અને આપણા સમાજને વધુ સારું બનાવવાની અતૂટ પ્રતિબદ્ધતા વડે ઘણા લોકોને પોતાના પ્રશંસક બનાવ્યા. 

Join Our WhatsApp Community

Ratan Tata PM Modi:  X પર એક થ્રેડ પોસ્ટમાં, શ્રી મોદીએ લખ્યું:

“શ્રી રતન ટાટા જી ( Ratan Tata ) એક સ્વપ્નદ્રષ્ટા બિઝનેસ લીડર, એક દયાળુ આત્મા અને અસાધારણ માનવી હતા. તેમણે ભારતના સૌથી જૂના અને સૌથી પ્રતિષ્ઠિત બિઝનેસ હાઉસમાંના એકને સ્થિર નેતૃત્વ પૂરું પાડ્યું. સાથે , તેમનું યોગદાન બોર્ડરૂમથી ઘણું જ આગળ હતું. તેમની નમ્રતા, દયા અને આપણા સમાજને યોગ્ય બનાવવાની અતૂટ પ્રતિબદ્ધતાના કારણે તેમણે ઘણા લોકોને પોતાના પ્રશંસક બનાવ્યા હતા.”

“શ્રી રતન ટાટા જીના સૌથી અનોખા પાસાઓમાંનું એક મોટું સ્વપ્ન જોવા અને પાછું આપવા પ્રત્યેનો તેમનો જુસ્સો હતો. તેઓ શિક્ષણ, આરોગ્યસંભાળ, સ્વચ્છતા, પશુ કલ્યાણ જેવા કેટલાક કારણોને આગળ ધપાવવામાં મોખરે હતા.”

આ સમાચાર પણ વાંચો:  World Post Day Ahmedabad : અમદાવાદમાં ‘વિશ્વ ડાક દિવસ’ના 150 વર્ષગાંઠની થઈ ઉજવણી, આ સ્પર્ધાના વિજેતાઓને પોસ્ટમાસ્ટર જનરલે પુરસ્કાર આપી કર્યા સન્માનિત.

મારું ( Narendra Modi ) મન શ્રી રતન ટાટા જી સાથે અસંખ્ય મુલાકાતોથી ભરાયેલું છે. હું જ્યારે ગુજરાતનો મુખ્યમંત્રી હતો, ત્યારે હું તેમને અવારનવાર મળતો હતો. અમે વિવિધ મુદ્દાઓ પર વિચારોની આપ-લે કરતા હતા. મને તેમના દ્રષ્ટિકોણ ખૂબ સમૃદ્ધ લાગ્યા. હું જ્યારે દિલ્હી આવ્યો ત્યાર બાદ પણ આ મુલાકાત ચાલુ રહી. તેમના નિધનથી ખૂબ જ દુઃખ થયું. આ દુઃખદ ઘડીમાં મારી સંવેદનાઓ તેમના પરિવાર, મિત્રો અને પ્રશંસકો સાથે છે. ઓમ શાંતિ.”

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

India-Nepal Trade: અમેરિકન ટેરિફ ની વચ્ચે ભારત પર ‘ડબલ સ્ટ્રાઇક’! નેપાળ ની આંતરિક પરિસ્થિતિ છે જવાબદાર
Gold Price: તહેવારોની સિઝન પહેલાં સોનામાં આવ્યો ઉછાળો, ચાંદી પણ થઇ મોંઘી,જાણો 9 સપ્ટેમ્બર 2025 ના તાજા ભાવ
Ayodhya’s Deepotsav 2025: આ વખતે દિવાળી માં અયોધ્યા દીપોત્સવમાં બનશે નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ, આટલા લાખથી વધુ દીવાઓથી ઝળહળશે રામનગરી
Nepal Government: નેપાળ સરકારનો યુ-ટર્ન: વ્યાપક વિરોધ અને હિંસા બાદ સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ હટાવતા આપ્યું આવું કારણ
Exit mobile version