Site icon News Continuous Bureau | Mumbai

PM Modi: વડાપ્રધાન બન્યા પછી ન ઘરેણાં ખરીદ્યા, એક પ્લોટ હતો તે પણ કર્યો દાન, જાણો તેમની કુલ સંપત્તિ અને તેમના પરિવાર વિશે

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 75મો જન્મદિવસ છે. ભારતીય જનતા પાર્ટીએ (BJP) પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી સેવા પખવાડિયા તરીકે કરવાનું એલાન કર્યું છે. આ લેખમાં, અમે પીએમ મોદીની સંપત્તિ અને તેમના પરિવાર વિશે વાત કરીશું

PM Modi વડાપ્રધાન બન્યા પછી ન ઘરેણાં ખરીદ્યા, એક પ્લોટ હતો તે પણ કર્યો દાન

PM Modi વડાપ્રધાન બન્યા પછી ન ઘરેણાં ખરીદ્યા, એક પ્લોટ હતો તે પણ કર્યો દાન

News Continuous Bureau | Mumbai
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 75 વર્ષના થયા છે. ભારતીય જનતા પાર્ટીએ (BJP) આ પ્રસંગે બે અઠવાડિયાથી વધુ લાંબા **’સેવા પખવાડિયા’**ની શરૂઆત કરી છે. ભાજપ શાસિત કેન્દ્ર અને રાજ્યોની સરકારો 2 ઓક્ટોબર સુધી દેશભરમાં સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે આરોગ્ય શિબિરો, સ્વચ્છતા અભિયાન, બુદ્ધિજીવીઓના સંમેલનો અને મેળાઓ સહિત વિવિધ કલ્યાણ, વિકાસ અને જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરશે. પીએમ મોદી પોતે મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્ય અને પોષણ પર કેન્દ્રિત એક રાષ્ટ્રવ્યાપી અભિયાનની શરૂઆત કરવા માટે મધ્યપ્રદેશના ધાર જઈ રહ્યા છે.

પીએમ મોદીની સંપત્તિ અને આવક

લોકસભા ચૂંટણીમાં વારાણસીથી નામાંકન કરતી વખતે દાખલ કરાયેલા સોગંદનામા મુજબ, પીએમ મોદીની સંપત્તિમાં છેલ્લાં પાંચ વર્ષમાં ₹51 લાખનો વધારો થયો છે. તેમના નામે કોઈ જમીન, ઘર, કાર કે અન્ય વાહન નથી. 2024ના સોગંદનામા મુજબ, તેમની કુલ સંપત્તિ ₹3.02 કરોડ છે, જે 2019માં ₹2.51 કરોડ હતી. તેમની પાસે 45 ગ્રામ વજનની સોનાની ચાર વીંટી છે, જેનું બજાર મૂલ્ય ₹2,67,760 છે. તેમની પાસે ₹52,920 રોકડા છે, જ્યારે બેંક ખાતા અને એફડીમાં ₹2.86 કરોડ જમા છે. તેમની આવકનો મુખ્ય સ્ત્રોત વડાપ્રધાન કાર્યાલયમાંથી મળતો પગાર અને વ્યાજ છે.

Join Our WhatsApp Channel

2002માં ખરીદેલો પ્લોટ દાન કર્યો

વડાપ્રધાન મોદીએ 2002માં ગાંધીનગરમાં 3531.45 ચોરસ ફૂટનો એક પ્લોટ ખરીદ્યો હતો, જેમાં તેઓ એક-ચતુર્થાંશ હિસ્સેદાર હતા. તે સમયે તેની ખરીદ કિંમત ₹1,30,488 હતી. માર્ચ 2024માં, તેમણે આ પ્લોટ નાદ બ્રહ્મા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન મ્યુઝિકના મકાનની સ્થાપના માટે દાન કરી દીધો. આ પ્લોટમાં દિવંગત ભાજપ નેતા અરુણ જેટલીનો પણ એક ભાગ હતો.

આ સમાચાર પણ વાંચો : PM Modi: પીએમ મોદીનો જન્મદિવસ: ક્યારેક માતાના આશીર્વાદ લીધા, ક્યારેક કર્યા ઉદ્ઘાટન,જાણો પીએમ બન્યા બાદ તેમને કેવી રીતે ઉજવ્યો જન્મદિવસ

પીએમ મોદી અને તેમનો પરિવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના 6 ભાઈ-બહેનોમાં ત્રીજા નંબરે છે. તેમના સૌથી મોટા ભાઈ સોમભાઈ મોદી છે, જેઓ આરોગ્ય વિભાગમાં કામ કરતા હતા અને હવે નિવૃત્ત થઈ ચૂક્યા છે. બીજા મોટા ભાઈ અમૃતભાઈ મોદી એક ખાનગી કંપનીમાં ફિટર તરીકે કામ કરતા હતા અને હવે નિવૃત્ત છે. પીએમ મોદીથી નાના તેમના ભાઈ પ્રહલાદ મોદી છે, જેમની અમદાવાદમાં કરિયાણાની દુકાન અને ટાયરનો શોરૂમ છે. તેમની એકમાત્ર બહેન વસંતીબેન છે, જેઓ ગૃહિણી છે. સૌથી નાના ભાઈ પંકજ મોદી ગાંધીનગરમાં રહે છે અને તેઓ માહિતી વિભાગમાંથી નિવૃત્ત થયા છે. પીએમ મોદીની માતા હીરાબેન પંકજભાઈ સાથે રહેતા હતા.

Sugar Price Hike ‘ત્રણ મહિનામાં ૪૦% મોંઘી થઈ ખાંડ, મોંઘવારી માટે જવાબદાર કોણ?’, મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકાર પર સાધ્યું નિશાન
Cough Syrup Ban India કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ૪ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને નહીં આપવામાં આવે શરદીખાંસીની આ દવા; જાણો કારણ
AL Nino India વૈજ્ઞાનિકોની ખતરનાક ભવિષ્યવાણી ૧૦૦ વર્ષના સૌથી ખતરનાક અલનીનો સામે ભારત કેટલું તૈયાર?
Ladakh Glacier Melt પાણીની કટોકટી વચ્ચે લદાખનો નવતર પ્રયોગ રોજ ૯ કરોડ લીટર ગ્લેશિયર વોટરથી સીંચાશે ૧૦૦૦ એકર જમીન.
Exit mobile version