Site icon

આખરે કૃષિ બિલ સંદર્ભે વડાપ્રધાને મૌન તોડ્યું, શું કહ્યું? જાણો અહીં….

ન્યૂઝ કંટીન્યૂઝ બ્યૂરો 

મુંબઈ 

Join Our WhatsApp Community

18 સપ્ટેમ્બર 2020  

ખેડૂત સંદર્ભેના જે બિલ ને કારણે સંસદ તેમજ રસ્તા ઉપર ધમાલ મચી જવા પામી છે, તે સંદર્ભે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોતાનું મૌન તોડ્યું. બિહાર માટે પરીયોજનાઓ જાહેર કરતી વેળા પોતાના સંબોધનમાં વડાપ્રધાને કહ્યું કે કૃષિ બિલ ને કારણે ખેડૂતોના બંધન ખુલી ગયા છે.પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે આ બિલનો વિરોધ કરનારાઓ ચૂંટણી દરમ્યાન પોતે કરેલા વાયદાઓ ને ભૂલી ગયા છે. વિપક્ષ પર આરોપ કરતા તેમણે કહ્યું હતું કે આજે ખેડૂતોને ખોટી માહિતી પૂરી પાડવામાં આવી રહી છે. એપીએમસી ના માધ્યમથી જે નેતાઓ ખેડૂતોના હિત સાથે ચેડા કરી રહ્યા હતા તેઓ ની રાજનીતિ હવે સમાપ્ત થઈ છે. એપીએમસી એટલે કે ન્યૂનતમ ખરીદ કિંમત સંદર્ભે તેમણે જણાવ્યુ કે ખેડૂતોને આનો ફાયદો પહેલાંની જેમ જ મળતો રહેશે.

એનડીએ દ્વારા કરવામાં આવેલા કાર્યોને ગણાવતાં તેમણે કહ્યું કે ગત છ વર્ષોમાં ભાજપની સરકારે ખેડૂતો માટે જેટલું કર્યું છે તેટલું આ જ દિવસ સુધી કોઇપણ પાર્ટીએ કર્યું નથી.

Ajit Pawar Plane Crash: અજીત પવારનું મોત કે રાજકીય ષડયંત્ર? વકીલ નીતિન સાતપુતેએ અકસ્માત સામે ઉઠાવ્યા સવાલો, CBI તપાસની માંગ
Budget Session 2026: રાષ્ટ્રપતિ મુર્મુએ સંસદમાં ગણાવ્યા 11 વર્ષના આર્થિક લેખાજોખા,મજબૂત બેંકિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર આપ્યો ભાર
Ajit Pawar Plane Crash: અજીત પવારનું વિમાન અકસ્માતમાં નિધન: “મારો દમદાર અને દિલદાર મિત્ર ચાલ્યો ગયો”, CM ફડણવીસની ભાવુક પ્રતિક્રિયા
Ajit Pawar Plane Crash: લેન્ડિંગ વખતે એવું તો શું થયું કે અજિત પવારનું પ્લેન આગના ગોળામાં ફેરવાયું? જાણો એક્સપર્ટ્સ અને વિમાન કંપનીએ શું કર્યો દાવો.
Exit mobile version