PM Modi Rozgar Mela: દેશભરમાં 40 સ્થળોએ થશે રોજગાર મેળાનું આયોજન, નવનિયુક્ત યુવાનોને PM મોદી આટલા હજારથી વધુ નિમણૂક પત્રોનું કરશે વિતરણ.

PM Modi Rozgar Mela: રોજગાર મેળા અંતર્ગત પ્રધાનમંત્રી 29 ઓક્ટોબરે સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવનિયુક્ત યુવાનોને 51,000થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કરશે

by Hiral Meria
PM Modi to distribute appointment letters to newly appointed youth in government departments in Rozgar Mela

News Continuous Bureau | Mumbai

PM Modi Rozgar Mela: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29 ઑક્ટોબર, 2024ના રોજ સવારે 10:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નવનિયુક્ત યુવાનોને 51,000થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી સંબોધન પણ કરશે. 

રોજગાર મેળો ( Rozgar Mela ) રોજગાર સર્જનને પ્રાથમિકતા આપવાની પ્રધાનમંત્રીની ( Narendra Modi ) પ્રતિબદ્ધતાને દર્શાવે છે. તે યુવાનોને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાની અર્થપૂર્ણ તકો પૂરી પાડીને સશક્ત બનાવશે.

દેશભરમાં 40 સ્થળોએ રોજગાર મેળાનું ( Job fair ) આયોજન કરવામાં આવશે, જેમાં વિવિધ મંત્રાલયો અને વિભાગો જેમકે રેવન્યુ વિભાગ, ઉચ્ચ શિક્ષણ વિભાગ, ગૃહ મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સહિતમાં નવા કર્મચારી કેન્દ્ર સરકારમાં જોડાશે.

આ સમાચાર પણ વાંચો :  Jammu Kashmir : જમ્મુના અખનૂર સેક્ટરમાં સેનાની એમ્બ્યુલન્સ પર આતંકી હુમલો, એન્કાઉન્ટર ચાલુ; આટલા આતંકીઓ માર્યા ઠાર..

નવનિયુક્ત ભરતીઓને iGOT કર્મયોગી પોર્ટલ ( iGOT Karmayogi Portal ) પર ઉપલબ્ધ ઓનલાઈન મોડ્યુલ ‘કર્મયોગી પ્રારંભ’ દ્વારા પાયાની તાલીમ લેવાની તક મળશે. 1400થી વધુ ઈ-લર્નિંગ અભ્યાસક્રમો ઉપલબ્ધ છે જે ભરતી કરનારાઓને તેમની ભૂમિકા અસરકારક રીતે નિભાવવા અને વિકસિત ભારત બનાવવાની દિશામાં કામ કરવા માટે આવશ્યક કૌશલ્યોથી સજ્જ કરશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More