News Continuous Bureau | Mumbai
PM Narendra Modi: દેશમાં 21મી જૂને યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વખતે પીએમ મોદી શ્રીનગરના ( Srinagar ) ડલ સરોવરના કિનારે યોગ ડેમાં ભાગ લેશે. પીએમ તરીકે ત્રીજા કાર્યકાળની શરૂઆત કર્યા બાદ નરેન્દ્ર મોદીની આ પ્રથમ કાશ્મીર મુલાકાત હશે. જો કે, મોદીની મુલાકાત અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી નથી.
પહેલીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાશ્મીર ઘાટીમાં લોકો સાથે યોગ દિવસ ( International Yoga Day ) મનાવશે. 21 જૂને શ્રીનગરમાં યોજાનાર આ કાર્યક્રમ માટે અત્યાર સુધીમાં સાત હજારથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઈવેન્ટ કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ અને કાશ્મીરમાં ( Jammu and Kashmir ) થયેલા ફેરફારોની તસવીર બતાવશે, જેમાં યુવાનોથી લઈને વૃદ્ધો અને મહિલાઓ સુધી દરેક લોકો ઉત્સાહપૂર્વક ભાગ લેશે.
PM Narendra Modi: વર્ષ 2014 માં, મોદી સરકારે પ્રથમ વખત યુએન જનરલ એસેમ્બલીમાં યોગને આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે માન્યતા આપવાનો પ્રસ્તાવ પસાર કર્યો હતો…
વિદેશ મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય, આયુષ અને આરોગ્ય ઉપરાંત કેન્દ્ર સરકારે રાજ્યના વહીવટી અધિકારીઓની ટીમો અહીં તૈનાત કરી છે. જમ્મુ અને કાશ્મીરના આયુષ વિભાગના ડાયરેક્ટર આ અંગે નિવેદન આપતા કહ્યું હતું કે, આ સમારોહમાં યોગનો સામાન્ય પ્રોટોકોલ લાગુ કરવામાં આવશે, જે લગભગ 7,500 લોકો એકસાથે કરશે.
આ સમાચાર પણ વાંચો : MIFF: MIFF 2024 ખાતે ડૉક્યૂમેન્ટ્રી ફિલ્મ “માય મર્ક્યુરી”નું પ્રીમિયર, જે મર્ક્યુરી ટાપુ પર સંરક્ષણની શોધ પર પ્રકાશ નાંખે છે
વાસ્તવમાં, વર્ષ 2014 માં, મોદી સરકારે ( Central Government ) પ્રથમ વખત યુએન જનરલ એસેમ્બલીમાં યોગને આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે માન્યતા આપવાનો પ્રસ્તાવ પસાર કર્યો હતો. આ બાદ આ વર્ષે તેઓ 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવશે, જેના માટે અત્યાર સુધીમાં દેશભરમાં એક કરોડથી વધુ લોકોએ યોગ ( Yoga ) દિવસનો ભાગ બનવા માટે નોંધણી કરાવી છે.
એવો દાવો કરવામાં આવે છે કે એક દિવસમાં વિશ્વના 30 કરોડથી વધુ લોકો એકસાથે યોગ કરશે. જો કે, તેની સત્તાવાર જાહેરાત આજે બપોરે 12 વાગ્યે દિલ્હીમાં કેન્દ્રીય આયુષ મંત્રી દ્વારા કરવામાં આવશે.
