પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વહાવી દાનની ગંગોત્રી.. મળેલી ભેટની હરાજી માંથી 103 કરોડથી વધુનું કર્યું દાન..

by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

03 સપ્ટેમ્બર 2020

પીએમ મોદીએ પીએમ કેરે ફંડની સ્થાપના પછી પ્રારંભિક દાન માટે 2.25 લાખ રૂપિયા આપ્યા. ત્યારબાદ હોવી વધુ 103 કરોડ રૂપિયા નું દાન આપ્યાનું સામે આવ્યું છે.

પીએમઓ ના અધિકારીએ જણાવ્યું હતું કે, પીએમ મોદી પાસે બાળ શિક્ષણથી લઈને ગરીબ વર્ગના કલ્યાણ સુધીના જાહેર કારણોસર ફાળો આપવાનો લાંબો ઇતિહાસ છે. આ દાન હવે રૂ .103 કરોડથી પણ વધી ગયું છે. મોદીને દેશ વિદેશોમાં થી મળેલી તમામ નાની મોટી ભેટની હરાજી કરવામાં આવી હતી. જેમાં 103 કરોડથી વધુની રકમ ને ફરી દાનમાં આપી દીધાનું પેઅકાશમાં આવ્યા બાદ સૌ કોઈ વિસ્મય પામ્યાં છે .

કોંગ્રેસ અને અન્ય પક્ષોએ વડા પ્રધાનના રાષ્ટ્રીય રાહત ભંડોળ (પીએમએનઆરએફ) તરફ ઇશારો કરીને પીએમ કેર ફંડની કાનૂની માન્યતા પર સવાલ ઉઠાવ્યા હતાં અને તેની જરૂરિયાત પર સવાલ ઉઠાવ્યા છે.

કેન્દ્રએ પીએમ કેર ફંડનો બચાવ કરતાં કહ્યું છે કે તે એક સ્વૈચ્છિક ભંડોળ છે જ્યારે બજેટ ફાળવણી અન્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળનું ધ્યાન રાખે છે…

દક્ષિણ કોરિયામાં સિઓલ શાંતિ પુરસ્કાર પ્રાપ્ત કર્યા પછી, પીએમ મોદીએ ગંગાની સફાઇના કામ માટે રૂ. 1.3 કરોડની આખી ઈનામ રકમ દાનમાં આપી દીધી હતી. પીએમઓના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમણે નદી-સફાઇ મિશનને તેના સ્મૃતિચિત્રોની હરાજીમાં મેળવેલા બીજા 3.40 કરોડ રૂપિયા દાનમાં આપ્યા હતા. અધિકારીઓએ કહ્યું કે, પીએમ મોદીને 2015 માં ભેટોની હરાજીમાં એકત્ર કરવામાં આવેલા 8.35 કરોડ રૂપિયા પણ નમામે ગંગા મિશનમાં આપ્યા હતા, એમ અધિકારીઓએ જણાવ્યું હતું..

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/353bjR8

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More