Site icon

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વહાવી દાનની ગંગોત્રી.. મળેલી ભેટની હરાજી માંથી 103 કરોડથી વધુનું કર્યું દાન..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

03 સપ્ટેમ્બર 2020

પીએમ મોદીએ પીએમ કેરે ફંડની સ્થાપના પછી પ્રારંભિક દાન માટે 2.25 લાખ રૂપિયા આપ્યા. ત્યારબાદ હોવી વધુ 103 કરોડ રૂપિયા નું દાન આપ્યાનું સામે આવ્યું છે.

પીએમઓ ના અધિકારીએ જણાવ્યું હતું કે, પીએમ મોદી પાસે બાળ શિક્ષણથી લઈને ગરીબ વર્ગના કલ્યાણ સુધીના જાહેર કારણોસર ફાળો આપવાનો લાંબો ઇતિહાસ છે. આ દાન હવે રૂ .103 કરોડથી પણ વધી ગયું છે. મોદીને દેશ વિદેશોમાં થી મળેલી તમામ નાની મોટી ભેટની હરાજી કરવામાં આવી હતી. જેમાં 103 કરોડથી વધુની રકમ ને ફરી દાનમાં આપી દીધાનું પેઅકાશમાં આવ્યા બાદ સૌ કોઈ વિસ્મય પામ્યાં છે .

કોંગ્રેસ અને અન્ય પક્ષોએ વડા પ્રધાનના રાષ્ટ્રીય રાહત ભંડોળ (પીએમએનઆરએફ) તરફ ઇશારો કરીને પીએમ કેર ફંડની કાનૂની માન્યતા પર સવાલ ઉઠાવ્યા હતાં અને તેની જરૂરિયાત પર સવાલ ઉઠાવ્યા છે.

કેન્દ્રએ પીએમ કેર ફંડનો બચાવ કરતાં કહ્યું છે કે તે એક સ્વૈચ્છિક ભંડોળ છે જ્યારે બજેટ ફાળવણી અન્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળનું ધ્યાન રાખે છે…

દક્ષિણ કોરિયામાં સિઓલ શાંતિ પુરસ્કાર પ્રાપ્ત કર્યા પછી, પીએમ મોદીએ ગંગાની સફાઇના કામ માટે રૂ. 1.3 કરોડની આખી ઈનામ રકમ દાનમાં આપી દીધી હતી. પીએમઓના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમણે નદી-સફાઇ મિશનને તેના સ્મૃતિચિત્રોની હરાજીમાં મેળવેલા બીજા 3.40 કરોડ રૂપિયા દાનમાં આપ્યા હતા. અધિકારીઓએ કહ્યું કે, પીએમ મોદીને 2015 માં ભેટોની હરાજીમાં એકત્ર કરવામાં આવેલા 8.35 કરોડ રૂપિયા પણ નમામે ગંગા મિશનમાં આપ્યા હતા, એમ અધિકારીઓએ જણાવ્યું હતું..

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/353bjR8

Ahmedabad Railway Division: સાબરમતી લોકો શેડે ઇલેક્ટ્રિક લોકોમોટિવનું પ્રથમ ઇન્ટરમીડિયેટ ઓવરહોલ (IOH) સફળતાપૂર્વક પૂર્ણ કર્યું.
Gold Price: સોનાના સતત વધતા ભાવ પર લાગી બ્રેક, જાણો આજે 25 સપ્ટેમ્બરના રોજ તમારા શહેરનો સોના અને ચાંદી નો ભાવ.
Election Commission: ચૂંટણી પંચ એ ચૂંટણી પ્રક્રિયાને લઈને કર્યો મોટો ફેરફાર, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Ladakh dispute: શું છે બંધારણની છઠ્ઠી અનુસૂચિ, જેના માટે લદાખમાં થયો આટલો હોબાળો, લાગુ થશે તો શું ફેરફાર થશે?
Exit mobile version