Site icon

PM મોદીએ આપ્યો કોરોના વાયરસથી બચવાનો નવો મંત્ર… એને ખાસ ગોખી રાખજો..  જાણો વિગત

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
08 ઓક્ટોબર 2020

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફરી એક વખત દેશવાસીઓને કોરોનાથી બચવાની સલાહ આપી છે. શનિવારે તેમણે નવો મંત્ર આપતા કહ્યું કે, 'જ્યાં સુધી રસી નહીં, ત્યાં સુધી કોઈ ઢીલ નહીં.' પ્રધાનમંત્રીએ કહ્યું, હું વારંવાર કહેતો આવ્યો છું, કે  દવા ક્યારે શોધાશે કાંઈ નક્કી નથી, ત્યાં સુધી ઢીલ આપવામાં નહીં આવે.. 'દો ગજ કી દૂરી, માસ્ક હૈ જરૂરી આ મંત્રને ભૂલવાનો નથી.' તમારું સ્વાસ્થ્ય સારું રહેવું જોઈએ. આ વાત પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનીને તૈયાર થયેલા ઘરોનું ઉદ્ઘાટન કરતી વખતે સતર્ક રહેવાની સલાહ આપી હતી.

Join Our WhatsApp Community

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે, દેશમાં કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 46,59,985 પર પહોંચી છે. જેમાંથી 9,58,316 એક્ટિવ કેસ છે. જ્યારે 36,24,197 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં રેકોર્ડ કેસ 97,570 નોંધાયા છે. જ્યારે 1201 લોકોના મોત થયા છે.

આઈસીએમઆર મુજબ, 11 સપ્ટેમ્બર સુધી કોરોના વાયરસના કુલ 5 કરોડ 50 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચુક્યા છે. જેમાંથી 11 લાખ સેમ્પલનું ટેસ્ટિંગ ગઈકાલે કરવામાં આવ્યું હતુ. રાહતની વાત એ છે કે પોઝિટિવિટી કેસોનો રેટ 7 ટકાથી ઓછો છે. કોરોના વાયરસના 54 ટકા મામલા 18 થી 44 વર્ષના લોકોના છે, પરંતુ મૃતકોમાં 51 ટકા 60 વર્ષથી વધારે ઉંમરના છે.

Railway Refund Rules 2026: વંદે ભારત સ્લીપર અને અમૃત ભારત 2 માં ટિકિટ કેન્સલેશનના નિયમો બદલાયા; જાણો રિફંડ માટેની નવી સમય મર્યાદા
BJP Organizational Changes: અધ્યક્ષ બનતા જ નિતિન નબીનનો માસ્ટરસ્ટ્રોક! વિનોદ તાવડે અને આશિષ શેલારને સોંપી મોટી જવાબદારી; ભાજપના સંગઠનમાં ધરખમ ફેરફાર
Sunita Williams: અવકાશના ક્ષેત્રમાં એક યુગનો અંત: 27 વર્ષની સેવા અને 608 દિવસ અંતરિક્ષમાં વિતાવ્યા બાદ સુનિતા વિલિયમ્સ નાસામાંથી નિવૃત્ત.
Nitin Nabin BJP President: નિતિન નબીન બન્યા ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ; બિહારના કદાવર નેતા સામે સંગઠન મજબૂત કરવાના આ છે મુખ્ય પડકારો.
Exit mobile version