PM Narendra Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિરમાં રામલલાના અભિષેક માટે કરી રહ્યા છે આ કડક નિયમોનું પાલન .

PM Narendra Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 દિવસ સુધી વિશેષ અનુષ્ઠાન કરી રહ્યા છે. પીએમ મોદી આ દરમિયાન કડક રૂટિન ફોલો કરી રહ્યા છે.

by Bipin Mewada
PM Narendra Modi Prime Minister Narendra Modi is following these strict rules for the Abhishe Ramlala in the Ram Temple

News Continuous Bureau | Mumbai

PM Narendra Modi: અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન ( Ram temple inauguration ) પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 દિવસ સુધી વિશેષ અનુષ્ઠાન કરી રહ્યા છે. પીએમ મોદી આ દરમિયાન કડક રૂટિન ફોલો કરી રહ્યા છે. પ્રાપ્ત માહતિ મુજબ, આ 11 દિવસના અનુષ્ઠાન ( anushthan ) દરમિયાન વડાપ્રધાન મોદી જમીન પર સૂઈ રહ્યા છે અને માત્ર નારિયેળ પાણી પી રહ્યા છે. પીએમ મોદીએ 12 જાન્યુઆરીએ જ કહ્યું હતું કે તેઓ રામ મંદિરના અભિષેક માટે વિશેષ અનુષ્ઠાન કરી રહ્યા છે. રામ મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. 

નાળિયેર પાણી ( Coconut water ) એ સાત્વિક આહારનો એક ભાગ છે, જે પ્રાણ પ્રતિષ્ઠા ( Prana Pratishtha )  પહેલા પીવું જરૂરી છે. સવારે વહેલા ઉઠવા અને સાત્વિક આહારનું પાલન કરવા ઉપરાંત પીએમ મોદી આ દિવસોમાં પશ્ચિમ અને દક્ષિણ ભારતના મંદિરોની પણ મુલાકાત લઈ રહ્યા છે. પીએમ મોદીએ નાશિકમાં પંચવટીની મુલાકાત લીધી, જ્યાં ભગવાન રામે ( Lord Ram ) તેમના વનવાસ દરમિયાન થોડો સમય વિતાવ્યો હતો. મોદીએ કેરળમાં ગુરુવાયૂર મંદિર અને આંધ્રપ્રદેશમાં વીરભદ્ર મંદિરની પણ મુલાકાત લીધી હતી.

 પીએમ મોદી આ સપ્તાહના અંતમાં તમિલનાડુના ઘણા મંદિરોની પણ મુલાકાત લેશે…

પીએમ મોદી આ સપ્તાહના અંતમાં તમિલનાડુના ઘણા મંદિરોની પણ મુલાકાત લેવાના છે. જ્યારે PM શનિવારે તિરુચિરાપલ્લીમાં રંગનાથસ્વામી મંદિરની મુલાકાત લેશે, ત્યારે તેઓ કમ્બા રામાયણના શ્લોકોનું પઠન કરતા વિવિધ વિદ્વાનોને સાંભળવામાં સમય પસાર કરશે. ત્યારબાદ તેઓ રામેશ્વરમ જશે. જ્યાં તેઓ સંસ્કૃત, અવધી, કાશ્મીરી, ગુરુમુખી, આસામી, બંગાળી, મૈથિલી અને ગુજરાતીમાં રામાયણ સાંભળનારા શ્રોતાઓનો ભાગ બનશે.

આ સમાચાર પણ વાંચો : Ayodhya Ram Mandir : ગર્ભગૃહમાં બિરાજમાન થયા પ્રભુ શ્રીરામ, મૂર્તિની પ્રથમ તસવીર આવી સામે.. જુઓ

રામેશ્વરમમાં સંભળાવવામાં આવતી રામાયણમાં રામના ( Ayodhya ) અયોધ્યા પરત ફરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. તેમ જ શનિવારે સાંજે જ પીએમ મોદી શ્રી અરુલમિગુ રામાનાથસ્વામી મંદિરમાં ભજન અથવા ભક્તિ ગીતો સાંભળશે. બીજા દિવસે એટલે કે રવિવારે પીએમ મોદી પહેલા ધનુષકોડીમાં કોથંદરમાસ્વામી મંદિરની મુલાકાત લેશે અને પછી અરિચલ મુનાઈ જશે, જ્યાં રામ સેતુનું નિર્માણ થયું હોવાનું કહેવાય છે.

તે જ સમયે, ભાજપે તેના તમામ સભ્યો અને અધિકારીઓને 22 જાન્યુઆરીએ રામ મંદિરની ઉજવણી સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવા પણ કહ્યું છે . તમામ અધિકારીઓને લખેલા પત્રમાં જનરલ સેક્રેટરી અરુણ સિંહે તમામ કાર્યકરોને આ પ્રસંગે સ્વચ્છતા અભિયાન હાથ ધરવા અને દિવાળીની જેમ આ દિવસની ઉજવણી કરવાની સૂચના આપી છે

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More