વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 10 વાગે રાષ્ટ્રને કરશે સંબોધન, આ મુદ્દાઓ પર કરી શકે છે ચર્ચા 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.

મુંબઈ, 22 ઓક્ટોબર, 2021.

શુક્રવાર 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 10 વાગ્યે રાષ્ટ્રને સંબોધન કરશે. 

આ માહિતી વડાપ્રધાન કાર્યાલય દ્વારા આપવામાં આવી છે. 

આ સંબોધનમાં પીએમ નરેન્દ્ર મોદી રસીકરણ સહિત પીએમ ગરીબ કલ્યાણ અન્ના યોજના પર પણ ચર્ચા કરી શકે છે. 

સાથે જ ગરીબોને મફત ભોજન આપવાની યોજના 30 નવેમ્બર સુધી લંબાવી શકાય છે. 

આ સિવાય ઉત્તરાખંડમાં ભારે પૂર માટે પણ રાહત પેકેજની જાહેરાત કરી શકાય છે.

ઉલ્લેખનીય છે કે ભારતે, રસીકરણના 100 કરોડ ડોઝ આપવાનો આંકડો ગુરુવારે પાર કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More