PMAY: કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને આ યોજના હેઠળ સીમાંત કામદારોને સામેલ કરવા કરી વિનંતી

PMAY: શ્રમ અને રોજગાર મંત્રાલયે આવાસ યોજના હેઠળ સીમાંત કામદારોને સામેલ કરવા પર ભાર મૂક્યો. સામાજિક ન્યાય અને જીવનની સરળતા સુનિશ્ચિત કરવા માટે શ્રમિકોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવરી લેવામાં આવશે

by Hiral Meria
PMAY The Central Government has requested the State Governments to include marginal workers under this scheme

News Continuous Bureau | Mumbai   

PMAY:  સમગ્ર દેશમાં સીમાંત કામદારોના ( Marginal Workers ) કલ્યાણને સુનિશ્ચિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતાં શ્રમ અને રોજગાર મંત્રાલયે વંચિત કામદારોને પ્રધાનમંત્રી આવાસ યોજના (પીએમએવાય)નો લાભ આપવાનું પગલું શરૂ કર્યું છે. શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા તમામ રાજ્ય સરકારોને ( State Government ) એક પત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં પ્રવાસી કામદારો, નિર્માણ કામદારો, બીડી કામદારો, સિને કામદારો, કોલસા સિવાયની ખાણના કામદારો, કોન્ટ્રાક્ટ મજૂરો અને અન્ય અસંગઠિત કામદારોને આવાસ યોજના હેઠળ સામેલ કરવાની વિનંતી કરવામાં આવી છે. 

આ નિર્ણય કેન્દ્રીય મંત્રીમંડળે પીએમએવાયનાં અમલીકરણને નાણાકીય વર્ષ 2024-25થી વર્ષ 2028-29 સુધી વધારે પાંચ વર્ષ માટે લંબાવવાની મંજૂરી આપી છે, જેનો ઉદ્દેશ લાયકાત ધરાવતા લાભાર્થીઓને 2 કરોડ વધારે મકાનો પ્રદાન કરવાનો છે. આ પહેલ આર્થિક રીતે નબળા કામદારોની આવાસની જરૂરિયાતોને માન્યતા આપે છે.

મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું છે કે આ કામદારો સમાજના વંચિત વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે અને પીએમએવાય ( PMAY Scheme ) હેઠળ તેમનું કવરેજ સુનિશ્ચિત કરવું એ માત્ર સામાજિક ન્યાયનો વિષય જ નથી, પરંતુ તેમના જીવનધોરણને સુધારવાની દિશામાં એક આવશ્યક પગલું પણ છે.

PMAY:  કામદારોના કલ્યાણ માટે સંપૂર્ણપણે કાર્યરત એમઆઇએસ પોર્ટલ

આ ઉપરાંત મંત્રાલયે ( Ministry of Labor and Employment ) જાહેરાત કરી છે કે બિલ્ડિંગ એન્ડ કન્સ્ટ્રક્શન અને માઇગ્રન્ટ વર્કર્સ માટે 21 ઓગસ્ટ 2024ના રોજ શરૂ કરવામાં આવેલ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ (એમઆઇએસ) પોર્ટલ હવે સંપૂર્ણપણે કાર્યરત છે.

આ પોર્ટલની રચના વીમા, આરોગ્યલક્ષી લાભો અને આવાસ યોજનાઓ જેવી વિવિધ કેન્દ્રીય અને રાજ્ય સામાજિક સુરક્ષા યોજનાઓ હેઠળ ભંડોળના ઉપયોગ અને કામદારોના કવરેજ પરની માહિતી સહિત ડેટાના સંગ્રહ અને વિશ્લેષણને સરળ બનાવવા માટે કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : Ek Ped Maa Ke Naam: ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ દેશભરમાં આટલા કરોડથી વધુ વૃક્ષોનું થયું વાવેતર..

કેન્દ્રીયકૃત ડેટા મેનેજમેન્ટ સિસ્ટમ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સુમાહિતગાર નિર્ણયો લેવા અને આ વંચિત કામદારોની જરૂરિયાતોને અનુરૂપ વધારે અસરકારક કલ્યાણકારી નીતિઓ વિકસાવવા સક્ષમ બનાવશે.

PMAY:  કામદારોના ઉત્થાન માટે સહયોગાત્મક પ્રયાસ

હાંસિયામાં ધકેલાયેલા આ કામદારોના ઉત્થાન માટેના સહિયારા પ્રયાસોના મહત્ત્વ પર ભાર મૂકીને મંત્રાલયે વિવિધ રાજ્યોમાં તૈનાત કલ્યાણ કમિશનરોને આ પહેલોના સફળ અમલીકરણને સુનિશ્ચિત કરવા સ્થાનિક સત્તામંડળો સાથે ગાઢ જોડાણ કરવાની સૂચના આપી છે.

શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા 29 ઓગસ્ટથી 4 ઓક્ટોબર, 2024 ની વચ્ચે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે હાથ ધરવામાં આવેલી શ્રેણીબદ્ધ પ્રાદેશિક બેઠકોમાં આ પહેલ પર ફોલો-અપ કરવામાં આવ્યું છે.

આ પગલાથી લાખો કામદારોના જીવનમાં નોંધપાત્ર સુધારો થવાની અપેક્ષા છે, જે સુનિશ્ચિત કરે છે કે તેઓ યોગ્ય રીતે લાયક છે તેવા આવાસ અને સામાજિક સુરક્ષા લાભો મેળવે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More