News Continuous Bureau | Mumbai
PMO Ram Mandir Trust Donation Dispute અયોધ્યાના ભવ્ય શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં દાન અને ચઢાવાની રકમમાં કથિત હેરાફેરી, ચોરી તેમજ જમીન ખરીદીના વિવાદો વચ્ચે એક મોટો અને નવો ખુલાસો થયો છે. વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા આ કથિત નાણાકીય ગેરરીતિઓ અંગે રામ મંદિર ટ્રસ્ટ પાસે સમગ્ર નાણાકીય વિગતો અને બેંક ખાતાઓનો હિસાબ માંગવામાં આવ્યો હતો. જોકે, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે હાલમાં ચાલી રહી રહેલી એસઆઈટી (SIT) તપાસનો હવાલો આપીને જિલ્લા વહીવટીતંત્રને આ ગુપ્ત નાણાકીય વિગતો સોંપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.
PMO Ram Mandir Trust Donation Dispute – સ્થાનિક ભાજપ નેતા ડો. રજનીશ સિંહે પીએમ નરેન્દ્ર મોદીને બે વાર પત્ર લખી કરી હતી ફરિયાદ
અહેવાલ મુજબ, અયોધ્યાના સ્થાનિક ભાજપ નેતા ડો. રજનીશ સિંહે રામ મંદિર ટ્રસ્ટના નાણાકીય વ્યવહારો, ચઢાવાની ચોરી અને જમીનની ખરીદ-વેચાણમાં મોટા પાયે થયેલી ગડબડીઓ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સીધો પત્ર લખ્યો હતો. રજનીશ સિંહે પીએમઓ (PMO) પાસે માંગ કરી હતી કે મંદિર ટ્રસ્ટને કડક નિર્દેશ આપવામાં આવે કે તે શરૂઆતથી લઈને અત્યાર સુધીના તમામ નાણાકીય વ્યવહારો અને સંપત્તિની વિગતો સાર્વજનિક કરે. તેમણે પહેલો પત્ર ૯ જૂનના રોજ અને બીજો પત્ર ૧૨ જૂનના રોજ મોકલ્યો હતો, જેની ગંભીરતાને જોઈને સરકારે ૧૩ જૂને જ આ મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરી દીધી હતી.
PMO Ram Mandir Trust Donation Dispute – પીએમઓ ના આદેશ પર અયોધ્યા જિલ્લા વહીવટીતંત્રે ટ્રસ્ટનો સંપર્ક સાધ્યો હતો
વડાપ્રધાન કાર્યાલયે ભાજપ નેતાની આ સત્તાવાર ફરિયાદની નોંધ લઈને આખો મામલો તપાસ અને રિપોર્ટ માટે અયોધ્યા જિલ્લા પ્રશાસનને મોકલ્યો હતો. પીએમઓ તરફથી પત્ર મળ્યા બાદ જિલ્લા પ્રશાસને તત્કાલીન કાનૂની જોગવાઈઓ હેઠળ રામ મંદિર ટ્રસ્ટનો સંપર્ક કર્યો હતો. સત્તાવાર સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, ૨૩ જૂને અયોધ્યાના એડીએમ (પ્રશાસન) વિશુ રાજાને લખેલા એક સત્તાવાર પત્રમાં એડીએમ (કાયદો અને વ્યવસ્થા) ઇન્દ્રકાંત દ્વિવેદીએ પુષ્ટિ કરી છે કે તેમણે પીએમઓ દ્વારા માંગવામાં આવેલી વિગતો એકત્ર કરવા માટે રામ મંદિર ટ્રસ્ટના ચંપત રાય સાથે બેઠક કરી હતી.
PMO Ram Mandir Trust Donation Dispute – એસઆઈટી (SIT) પાસે તમામ રેકોર્ડ હોવાથી અત્યારે હિસાબ આપવો અશક્ય: ચંપત રાય
અયોધ્યાના એડીએમ ઇન્દ્રકાંત દ્વિવેદીના જણાવ્યા અનુસાર, ટ્રસ્ટના વડા ચંપત રાયે વહીવટીતંત્રને કોઈ પણ પ્રકારનો નાણાકીય ડેટા આપવાની ના પાડી દીધી છે. ચંપત રાયે તર્ક આપ્યો છે કે હાલમાં આ સમગ્ર કથિત કૌભાંડની ઉચ્ચ સ્તરીય SIT તપાસ ચાલી રહી છે અને તપાસ પેનલ (તપાસ સમિતિ) દ્વારા મંદિરના તમામ જરૂરી દસ્તાવેજો, બેંક ખાતાઓ અને ઓડિટ રિપોર્ટ્સ પોતાની કસ્ટડીમાં લઈને તપાસ કરવામાં આવી રહી છે, તેથી આ સમયે વહીવટીતંત્રને અલગથી કોઈ માહિતી આપી શકાય તેમ નથી. ઉલ્લેખનીય છે કે, પીએમઓ ને મોકલેલી ફરિયાદમાં ‘સમર્પણ નિધિ’ અભિયાન દ્વારા એકત્રિત કરાયેલું ભંડોળ, સોના-ચાંદીનું દાન, જમીનના દસ્તાવેજો અને મંદિર પ્રશાસનના ખર્ચના ઓડિટ અહેવાલો સાર્વજનિક કરવાની માંગ કરાઈ છે.