Site icon

જમ્મુ અને કાશ્મીરના પૂંછ આતંકવાદી હુમલો : સેનાની તપાસમાં થયો એવો ખુલાસો કે સુરક્ષા દળો પણ ચોંકી ગયા..

પાંચ જવાનોના મોત માટે જવાબદાર આતંકવાદીઓને શોધવા માટે સેના પૂંછના ભાટા ધુરિયાનના જંગલોમાં સર્ચ કરી રહી છે.

One terrorist killed, another likely injured in fresh gunbattle in JandK's Rajouri

જમ્મુ-કાશ્મીર: બારામૂલા અને રાજૌરીમાં હજુ પણ અથડામણ ચાલુ, આટલા આતંકવાદી ઠાર મરાયા..

News Continuous Bureau | Mumbai

સુરક્ષા દળો જમ્મુ અને કાશ્મીરના પૂંછમાં 20 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલામાં સામેલ આતંકવાદીઓને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. પાંચ જવાનોના મોત માટે જવાબદાર આતંકવાદીઓને શોધવા માટે સેના પૂંછના ભાટા ધુરિયાનના જંગલોમાં સર્ચ કરી રહી છે. દરમિયાન સુરક્ષા દળોએ મેંધર વિસ્તારમાંથી એક વ્યક્તિની ઓળખ કરી છે. તેણે આતંકવાદીઓને આશ્રય આપ્યો હતો. તે મેંદરનો રહેવાસી છે. તેણે લગભગ ત્રણ મહિના સુધી આતંકીઓને પોતાના ઘરમાં આશ્રય આપ્યો અને તેમને ખાવાનું પણ આપ્યું.

Join Our WhatsApp Community

ગયા અઠવાડિયે સુરક્ષા દળો દ્વારા અટકાયત કરાયેલા 60 શંકાસ્પદોમાંથી તે એક હતો. તેણે તપાસ દરમિયાન કબૂલ્યું હતું કે તેણે લગભગ ત્રણ મહિના સુધી આતંકવાદીઓને આશ્રય આપ્યો હતો અને તેમને લોજિસ્ટિક્સ પૂરું પાડ્યું હતું. હુમલાના દિવસે તેમને ભીંબર ગલી લઈ જવા માટે વાહનની વ્યવસ્થા પણ કરી આપી હતી. તેનું મેંદરમાં ઘર હુમલાના સ્થળથી માંડ 35 કિમી દૂર છે. હુમલા દરમિયાન, હુમલાખોરો પાકિસ્તાનમાં તેમના સંપર્કમાં રહેલા તેમના સ્થાનિક હેન્ડલર્સ પાસેથી વૉઇસ નોટ્સ દ્વારા સૂચનાઓ મેળવી રહ્યા હતા.

આ સમાચાર પણ વાંચો: મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર થયો વિચિત્ર અકસ્માત, એક સાથે બે પાંચ નહીં પણ 11 ગાડીઓની થઇ જોરદાર ટક્કર, જુઓ વીડિયો..

નોંધનીય છે કે સુરક્ષા દળો અને પોલીસે છેલ્લા અઠવાડિયાથી ભટ્ટા દુરિયનના જંગલો અને બાલાકોટ, મેંધર અને માનકોટ સેક્ટરમાં નિયંત્રણ રેખા સાથેના વિસ્તારોમાં શોધખોળ ચાલુ રાખી હતી. જોકે આતંકીઓનો કોઈ પત્તો મળ્યો નથી.

Bihar Assembly Elections 2025: બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ: સાંજે 6 વાગ્યે BJP મુખ્યાલય જશે PM નરેન્દ્ર મોદી, કાર્યકર્તાઓને સંબોધિત કરશે.
Bihar Election Results: બિહાર ચૂંટણીના પરિણામો 2025: મહારાષ્ટ્રમાં મદદે આવી લાડકી બહેન; બિહારમાં પણ NDAને મહિલાઓનો જ સહારો.
Jawaharlal Nehru Birth Anniversary: PM મોદીએ પૂર્વ PM જવાહરલાલ નહેરુને તેમની ૧૨૫મી જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી
Doctor Umar Mohammad: સુરક્ષા દળોનું મોટું એક્શન: પુલવામામાં દિલ્હી ધમાકાના ગુનેગાર ડૉ. ઉમરનું ઘર ‘બ્લાસ્ટ’થી ઉડાવી દેવાયું!
Exit mobile version