ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની તબિયત વધુ કથળી, તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે.. .

by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

12 ઓગસ્ટ 2020 

દિલ્હીના આર્મી રિસર્ચ એન્ડ રેફરલ (R&R) હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલા તાજા સમાચાર મુજબ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની તબિયત હજુ પણ ગંભીર છે અને વેન્ટિલેટર સપોર્ટ પર છે. મેડિકલ બુલેટિનનમાં હોસ્પિટલે ઉમેર્યું કે ' મુખર્જીની હાલત હેમોડાયનેમિકલી સ્થિર છે અને વેન્ટિલેટર પર છે." ડોકટરોની શિસ્તબદ્ધ ટીમ દ્વારા મુખરજીના સ્વાસ્થ્ય પર ચોવીસ કલાક નજર રાખવામાં આવી રહી છે.

પ્રણવ મુખરજી (84) ને સોમવારે ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તાત્કાલિક મગજની સર્જરી કરવી પડી હતી. આ સાથે જ તેમનો કોરોના વાયરસ રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યો હતો.

મંગળવારે હોસ્પિટલે જણાવ્યું હતું કે માથાની સર્જરી બાદ કર્યાં બાદ પ્રણવ મુખર્જીની તબિયત વધુ બગડી છે. તેમના મગજમાં લોહી ગંઠાઈ જવાના કારણે સર્જરી કરવી પડી હતી. જાણવા મળ્યાં મુજબ પૂર્વ રાષ્ટ્રપતિ આકસ્મિક રીતે તેમના બાથરૂમમાં લપસી પડ્યા હતાં. જેને લીધે લોહી માથાની નસમાં થીજી ગયું હતું…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/3fJqhxB 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More