Site icon

સારા કામમાં વિઘ્ન; અયોધ્યામાં રામ મંદિરના પુજારી અને સુરક્ષામાં તૈનાત 16 પોલીસ કર્મીઓ કોરોના પોઝિટિવ…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

અયોધ્યા

Join Our WhatsApp Community

30 જુલાઈ 2020

કહેવાય છે કે સારા કામમાં સો વિઘ્ન આવે. અયોધ્યામાં 5 ઓગસ્ટે ભૂમિપૂજન માટેની તૈયાર ચાલી રહી છે. એવાં સમયે રામલાલાના પૂજારી સહિત સુરક્ષામાં રોકાયેલા એક ડઝનથી વધુ પોલીસ કર્મીઓ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. રિપોર્ટ બહાર આવ્યા બાદ તમામ લોકોને સારવાર માટે ખસેડાયા છે. સંપર્કમાં રહેલા લોકોના નમૂના પણ લેવામાં આવી રહ્યા છે. 

 

રામજન્મભૂમિમાં 5 ઓગસ્ટે ભૂમિપૂજન છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભૂમિપૂજન માટે પહોંચી રહ્યા છે. અયોધ્યામાં તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતના ડેપ્યુટી મુખ્યમંત્રી સુધી તમામ લોકો અયોધ્યાનું નિરીક્ષણ કરી તૈયારીઓની સમીક્ષા કરી રહયાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રામ જન્મભૂમિના સહાયક પુજારીની તબિયત લથડતાં તેમના નમૂનાને તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. આ સાથે સુરક્ષામાં રોકાયેલા પોલીસકર્મીઓની પણ તપાસ કરવામાં આવી હતી. ગુરુવારે પુજારીનો રિપોર્ટ પોઝિટિવ આવતાની સાથે હંગામો થયો હતો…

કોરોના ચેપ લાગ્યો હતો, તે પૂજારી પ્રદીપ દાસ, રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્રદાસના સહાયક છે. મુખ્ય પૂજારી સાથે અન્ય ચાર પુજારીઓ રામ લાલાની દરરોજ સેવા કરે છે. પ્રદીપદાસને કોરોના પોઝિટિવ મળ્યા બાદ પ્રશાસને નિર્ણય કર્યો છે કે મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ અને અન્ય ત્રણ પૂજારીઓનું પણ કોરોના પરીક્ષણ કરવામાં આવશે. સાથે જ જે દિવસે વડાપ્રધાન આવશે તે દિવસે બીજા કયા પૂજારીને સેવામાં મૂકી શકાય તેની પણ ચર્ચા હાલ ચાલી રહી છે.

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/30Ze56i 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

New Traffic Challan Rules: ચલણ ભરતા પહેલા આ સમાચાર જરૂર વાંચજો! ટ્રાફિક દંડને ઓનલાઇન પડકારવાની સુવિધા શરૂ; જાણો પુરાવા તરીકે કયા ડોક્યુમેન્ટ્સ રાખવા પડશે સાથે.
PM Narendra Modi: બાળાસાહેબ ઠાકરે એટલે અણનમ નેતૃત્વ! જન્મ શતાબ્દી પર PM મોદીએ મરાઠીમાં પોસ્ટ શેર કરી વધાર્યું મહારાષ્ટ્રનું માન; જાણો આખી વિગત
IMD Weather Alert:વરસાદ અને કરાનો ડબલ એટેક! દિલ્હી-યુપીમાં બદલાયો મિજાજ, વાવાઝોડા સાથે ત્રાટકશે આફત; જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી.
Republic Day 2026 Security Alert: ૨૬ જાન્યુઆરી પૂર્વે દિલ્હી પોલીસ હાઈ એલર્ટ પર; આતંકી રેહાનના પોસ્ટર જાહેર કરી લોકોને સાવધ રહેવા અપીલ
Exit mobile version