News Continuous Bureau | Mumbai
Jammu & Kashmir: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ અને કાશ્મીરનાં શ્રીનગરમાં ( Srinagar ) શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટર (એસકેઆઇસીસી)માં ‘એમ્પાવરિંગ યુથ, ટ્રાન્સફોર્મિંગ J&K’ ( Empowering Youth Transforming J&K ) કાર્યક્રમને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ જમ્મુ અને કાશ્મીરમાં રૂ. 1,500 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો હતો, જેમાં માર્ગ, પાણી પુરવઠા અને ઉચ્ચ શિક્ષણમાં માળખાગત સુવિધાનાં ક્ષેત્રો સામેલ છે. તેમણે રૂ. 1,800 કરોડનાં મૂલ્યનાં કૃષિ અને આનુષંગિક ક્ષેત્રોમાં સ્પર્ધાત્મકતા સુધારણા પ્રોજેક્ટ (જેકેસીઆઇપી) પણ શરૂ કર્યો હતો. શ્રી મોદીએ 200 નવી સરકારી ભરતીઓને રોજગારીનાં પત્રો સુપરત કરવાની પણ શરૂઆત કરી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ આ પ્રદર્શનને નિહાળ્યું હતું અને કેન્દ્રશાસિત પ્રદેશનાં યુવાન સિદ્ધિ હાંસલ કરનારાઓ સાથે વાતચીત કરી હતી.
અહિં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ ( PM Narendra Modi ) જમ્મુ અને કાશ્મીરની તેમની મુલાકાત અંગે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો અને આ માટેનાં બે વિશિષ્ટ કારણોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, “પહેલું, આજનું આયોજન જમ્મુ અને કાશ્મીરમાં વિકાસલક્ષી પરિયોજનાઓનાં ( developmental projects ) ઉદઘાટન અને શિલાન્યાસ સાથે સંબંધિત છે તથા બીજું, લોકસભાની ચૂંટણી પછી જમ્મુ અને કાશ્મીરનાં લોકો સાથે આ પ્રથમ બેઠક છે.” જી-7 સમિટ માટે ઇટાલીની તેમની તાજેતરની મુલાકાતને યાદ કરીને પ્રધાનમંત્રીએ ત્રણ ટર્મ સુધી સરકારની સાતત્યની અસર પર પ્રકાશ પાડ્યો હતો, કારણ કે તેનાથી ભારત તરફ દુનિયાનો દ્રષ્ટિકોણ બદલાયો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ભારતીયોની અત્યાર સુધીની ઉચ્ચ આકાંક્ષાઓ દેશની સૌથી મોટી તાકાત છે. તેમણે કહ્યું હતું કે, આ ઊંચી આકાંક્ષા સરકાર પાસેથી ઊંચી અપેક્ષાઓ તરફ દોરી જાય છે અને આ પૃષ્ઠભૂમિમાં સરકારનો ત્રીજો સતત કાર્યકાળ વિશેષ છે, કારણ કે મહત્ત્વાકાંક્ષી સમાજનું એકમાત્ર પરિમાણ કામગીરી છે. તેમણે ઉમેર્યું હતું કે, “લોકોને સરકારનાં ઇરાદાઓ અને નીતિઓમાં વિશ્વાસ છે.”
Delighted to be in Srinagar. Speaking at the ‘Empowering Youth, Transforming J&K’ programme. https://t.co/EbNETC95GX
— Narendra Modi (@narendramodi) June 20, 2024
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ લોકસભાની ચૂંટણીમાં જનતાનાં જનાદેશનો મોટો સંદેશ સ્થિરતાનો છે. તેમણે પાછલી સદીના છેલ્લા દાયકામાં અસ્થિર સરકારોના લાંબા તબક્કાને યાદ કર્યો હતો, જ્યારે દેશમાં 10 વર્ષમાં 5 ચૂંટણીઓ થઈ હતી, જેના પરિણામે વિકાસ થંભી ગયો હતો. “તે તબક્કાને પાછળ છોડીને, ભારત હવે સ્થિર સરકારના નવા તબક્કામાં પ્રવેશ્યું છે, જે લોકશાહીને મજબૂત બનાવવા તરફ દોરી જાય છે.” તેમણે લોકશાહીની આ મજબૂતીમાં જમ્મુ અને કાશ્મીરના લોકોની ભૂમિકાની પણ નોંધ લીધી હતી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, “અમે અટલજીનું ઇન્સાનિયત, જમ્હૂરિયત ઔર કાશ્મીરિયતનું વિઝન જોઈ રહ્યા છીએ, જે આજે વાસ્તવિકતામાં ફેરવાઈ રહ્યું છે.” તાજેતરની ચૂંટણીઓમાં વિક્રમજનક મતદાન થયું હોવાનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ જમ્મુ અને કાશ્મીરનાં લોકોનાં લોકશાહીમાં વિશ્વાસની પ્રશંસા કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, “હું લોકશાહીનો ધ્વજ ઊંચો રાખવા માટે તમારા પ્રયાસો માટે આભાર વ્યક્ત કરવા આવ્યો છું.”
આ સમાચાર પણ વાંચો: PM Narendra Modi: પ્રધાનમંત્રીને ઇન્ડોનેશિયાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિનો ફોન આવ્યો, નેતાઓએ વ્યૂહાત્મક ભાગીદારી અંગે ચર્ચા કરી
પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, “જમ્મુ અને કાશ્મીરમાં પરિવર્તન છેલ્લા 10 વર્ષમાં સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યોનું પરિણામ છે.” આ વિસ્તારમાં ઓછી આવક ધરાવતી મહિલાઓ અને લોકોને તેમના અધિકારોથી વંચિત રાખવામાં આવ્યાં છે એ બાબત તરફ ધ્યાન દોરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વર્તમાન સરકારે ‘સબ કા સાથ સબ કા વિકાસ’નો મંત્ર અપનાવીને તકો લાવવા અને તેમના અધિકારો પુનઃસ્થાપિત કરવાની દિશામાં કામ કર્યું છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, પાકિસ્તાનથી સ્થળાંતર કરીને આવેલા શરણાર્થીઓ, વાલ્મિકી સમુદાયનાં લોકો અને સફાઈ કર્મચારીઓનાં કુટુંબોને પ્રથમ વખત મતદાનનો અધિકાર મળ્યો છે. તેમણે વાલ્મિકી સમુદાયને એસસી કેટેગરીમાં સમાવવાની લાંબા સમયથી વિલંબિત ઇચ્છા પૂરી કરવા, એસસી સમુદાય માટે વિધાનસભામાં બેઠકો અનામત રાખવા અને પડદારી જાતિ, પહાડિયા જાતિ, ગદ્દા બ્રાહ્મણ અને કોળી સમુદાયને એસસી કેટેગરીમાં સમાવવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે પંચાયત, નગર પાલિકા અને નગર નિગમની ચૂંટણીમાં ઓબીસી અનામત લાગુ કરવામાં આવી હોવાનું પણ જણાવ્યું હતું. ભારતના બંધારણની તાકાત અને તેના મહત્વ પર પ્રકાશ ફેંકતા પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, તે ભારતનાં 140 કરોડ નાગરિકોનાં અધિકારોને સ્થાપિત કરે છે અને રાષ્ટ્રનિર્માણમાં ભાગીદાર બનવાની તકો પ્રદાન કરે છે. પીએમ મોદીએ ભારતના બંધારણનો સ્વીકાર ન કરવા અને આઝાદી બાદ જમ્મુ-કાશ્મીર પ્રત્યે દાખવવામાં આવેલી ઉપેક્ષા પર પણ દુઃખ વ્યક્ત કર્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “મને ખુશી છે કે આજે આપણે ભારતનાં બંધારણને જીવી રહ્યાં છીએ. પ્રધાનમંત્રીએ ગર્વ સાથે કહ્યું હતું કે, બંધારણ મારફતે આપણે કાશ્મીરનો ચહેરો સારા માટે બદલવાના નવા માર્ગો શોધી રહ્યા છીએ.” “ભારતના બંધારણને આખરે જમ્મુ-કાશ્મીરે સાચા અર્થમાં અપનાવી લીધું છે”, પીએમ મોદીએ કહ્યું, “કલમ 370 ની દિવાલોને નીચે લાવવામાં આવી છે.”
છેલ્લાં 10 વર્ષમાં કાશ્મીરમાં થયેલાં વિકાસનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દુનિયા કાશ્મીર ખીણમાં તાજેતરમાં થયેલા પરિવર્તનનાં સાક્ષી છે. તે જી -20 સમિટ દરમિયાન ખીણના લોકોની આતિથ્ય-સત્કાર માટે તેમની પ્રશંસા કરવાનું ચાલુ રાખે છે. તેમણે કહ્યું કે ઘાટીમાં જી-20 સમિટ જેવા વૈશ્વિક કાર્યક્રમનું આયોજન કાશ્મીરના લોકોને ગૌરવ અપાવ્યું છે. મોડી સાંજ સુધી લાલ ચોકમાં બાળકોને રમતા જોતા દરેક ભારતીયનું હૃદય આનંદથી ભરાઈ જાય છે. એ જ રીતે ખીણના ધમધમતા બજારો દરેકના ચહેરાને પ્રકાશિત કરે છે. ચાલુ વર્ષે માર્ચમાં દાલ સરોવર નજીક આયોજિત સ્પોર્ટ્સ કાર શોને યાદ કરીને શ્રી મોદીએ કહ્યું હતું કે, આખી દુનિયાએ આ કાર્યક્રમને નિહાળ્યો હતો, જે ખીણમાં થયેલી પ્રગતિનો પુરાવો છે. તેમણે કાશ્મીરમાં પ્રવાસન કેવી રીતે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે તેનો ઉલ્લેખ કરતાં ઉમેર્યું હતું કે, આવતીકાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો કાર્યક્રમ અહીં વધારે પ્રવાસીઓને આકર્ષશે. લેફ્ટનન્ટ ગવર્નર સિંહાને ટાંકીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ખીણની મુલાકાત લેનારા 2 કરોડથી વધારે પ્રવાસીઓનો આંકડો વિક્રમજનક છે અને સ્થાનિક અર્થતંત્રમાં નોંધપાત્ર પ્રદાન કરે છે.
પાછલી પેઢીનાં દુઃખોમાંથી બહાર નીકળવાનો માર્ગ મળી રહે તે માટે હું મારી જાતને સંપૂર્ણ સમર્પણ અને પ્રામાણિકતા સાથે સમર્પિત કરું છું. પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, અમે હૃદયથી કે દિલ્હી (દિલ યા દિલ્હી)ના તમામ અંતરને દૂર કરવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છીએ.” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, લોકશાહીનાં ફળ દરેક પરિવાર અને વ્યક્તિ સુધી પહોંચે એ સુનિશ્ચિત કરવા સહિયારા પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારની સહાયનો એક-એક પૈસો જમ્મુ અને કાશ્મીરનાં લોકોનાં કલ્યાણ માટે ખર્ચ થાય છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “જમ્મુ-કાશ્મીરના લોકો તેમના પ્રતિનિધિઓની પસંદગી કરે અને તેમના દ્વારા તેમની સમસ્યાઓનો સામનો કરે તેનાથી વધુ સારું બીજું શું હોઈ શકે. આથી જ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તે દિવસ દૂર નથી જ્યારે તમે પોતાના મતથી જમ્મુ-કાશ્મીરની નવી સરકારની પસંદગી કરશો. ટૂંક સમયમાં જ એ દિવસ આવશે જ્યારે જમ્મુ અને કાશ્મીર ફરી એક વખત એક રાજ્ય તરીકે તેના ભવિષ્યને આકાર આપશે.”
आज हमारी society की aspiration all-time high है।
जब aspiration high होती है तो लोगों की सरकार से भी expectation…अपेक्षाएं भी बहुत ज्यादा बढ़ जाती है: PM @narendramodi in Srinagar pic.twitter.com/pemEF4gAVM
— PMO India (@PMOIndia) June 20, 2024
જે પરિયોજનાઓનો શિલાન્યાસ કે ઉદઘાટન કરવામાં આવ્યું હતું, તેના સંદર્ભમાં પ્રધાનમંત્રીએ રૂ. 1,500 કરોડથી વધારેનાં મૂલ્યની મુખ્ય વિકાસલક્ષી પરિયોજનાઓ અને રૂ. 1,800 કરોડનાં મૂલ્યનાં કૃષિ અને આનુષંગિક ક્ષેત્રો (જેકેસીઆઇપી) પ્રોજેક્ટનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે સરકારી નોકરીઓમાં ઝડપી ભરતી માટે કેન્દ્રશાસિત પ્રદેશના વહીવટીતંત્રની પ્રશંસા કરી હતી અને માહિતી આપી હતી કે છેલ્લા 5 વર્ષમાં, લગભગ 40,000 ભરતીઓ કરવામાં આવી છે. તેમણે જમ્મુ અને કાશ્મીરમાં મોટા પાયે રોકાણથી સકારાત્મક અસરની નોંધ પણ લીધી હતી.
આ સમાચાર પણ વાંચો: PM Narendra Modi : મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
કાશ્મીરમાં પ્રગતિની પ્રશંસા કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અત્યારે ખીણમાં રેલવે કનેક્ટિવિટી, શિક્ષણ, સ્વાસ્થ્ય સાથે સંબંધિત માળખાગત સુવિધાઓ, વીજળી અને પાણી સહિત દરેક મોરચે મોટા પાયે વિકાસલક્ષી કાર્યો થઈ રહ્યાં છે. તેમણે પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના હેઠળ હજારો કિલોમીટરના માર્ગોનું નિર્માણ થયું હોવાનો ઉલ્લેખ કરતાં ઉમેર્યું હતું કે, નવા ધોરીમાર્ગો અને એક્સપ્રેસવે ઉપરાંત ખીણને રેલવે સાથે પણ જોડવામાં આવશે. ચિનાબ રેલ્વે પુલનો આકર્ષક દૃશ્ય દરેકને ગૌરવથી ભરી દે છે. ઉલ્લેખનીય છે કે, ઉત્તર કાશ્મીરની ગુરેઝ ખીણને પ્રથમ વખત ગ્રીડ કનેક્ટિવિટીની સુવિધા મળી હતી. શિર મોદીએ પુનરોચ્ચાર કર્યો હતો કે, આજે ખીણ કૃષિથી લઈને બાગાયતી ખેતીથી માંડીને રમતગમત અને સ્ટાર્ટ-અપ્સ સુધીના દરેક ક્ષેત્રમાં તકોથી ભરેલી છે.
છેલ્લાં 10 વર્ષમાં કાશ્મીરમાં થયેલા વિકાસને બિરદાવતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ખીણ વિસ્તાર ધીમે ધીમે સ્ટાર્ટ-અપ, કૌશલ્ય વિકાસ અને રમતગમતનાં મુખ્ય કેન્દ્ર તરીકે વિકસી રહી છે. તેમણે ધ્યાન દોર્યું હતું કે ખીણના લગભગ 70 ટકા કૃષિ ક્ષેત્રોમાં સ્ટાર્ટ-અપ્સનો સમાવેશ થાય છે, વધુમાં ઉમેર્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ખીણમાં 50થી વધુ ડિગ્રી કોલેજો સ્થાપવામાં આવી છે. “પોલિટેકનિકમાં બેઠકો વધી છે, અને નવા કૌશલ્યો શીખવાની તકો મળી છે. આઈઆઈટી, આઈઆઈએમ અને એઈમ્સનું નિર્માણ થઈ રહ્યું છે અને તેની સાથે ઘણી નવી મેડિકલ કોલેજોનું નિર્માણ પણ થઈ રહ્યું છે.” પ્રવાસન અને હોસ્પિટાલિટી ક્ષેત્રે પણ સ્થાનિક સ્તરે કૌશલ્ય વિકસાવવામાં આવી રહ્યું છે, એમ તેમણે જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ પ્રવાસી માર્ગદર્શિકાઓ માટે ઓનલાઇન અભ્યાસક્રમો શરૂ કરવા અને શાળા-કોલેજો-યુનિવર્સિટીઓમાં યુવા પ્રવાસન ક્લબોની સ્થાપના કરવાનું સૂચન પણ કર્યું હતું. આ બધા કામો આજે કાશ્મીરમાં થઈ રહ્યા છે.
પ્રધાનમંત્રીએ જમ્મુ અને કાશ્મીરની નારીશક્તિ પર વિકાસ કાર્યોની સકારાત્મક અસર પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે સ્થાનિક સ્વસહાય જૂથોની મહિલાઓને પ્રવાસન અને આઇટીની તાલીમનો ઉલ્લેખ કર્યો હતો.
પ્રધાનમંત્રીએ બે દિવસ અગાઉ કૃષિ સખી કાર્યક્રમની શરૂઆત વિશે જાણકારી આપી હતી કે, જમ્મુ અને કાશ્મીરની 1200થી વધારે મહિલાઓ કૃષિ સખીઓ તરીકે કામ કરે છે. તેમણે નમો ડ્રોન દીદી કાર્યક્રમ વિશે પણ વાત કરી હતી અને કહ્યું હતું કે, આ યોજના હેઠળ જમ્મુ-કાશ્મીરની દિકરીઓને તાલીમ આપવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, “સરકાર મહિલાઓની આવકમાં સુધારો કરવા અને આજીવિકાની તકો પ્રદાન કરવા માટે આ પ્રયાસો કરી રહી છે.”
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “પ્રવાસન અને રમતગમતમાં ભારત વિશ્વની મુખ્ય મહાસત્તા બનવા તરફ આગેકૂચ કરી રહ્યું છે.” તેમણે આ બંને ક્ષેત્રોમાં જમ્મુ અને કાશ્મીરની સંભવિતતાની નોંધ લીધી હતી. તેમણે જમ્મુ અને કાશ્મીરનાં દરેક જિલ્લામાં રમતગમત સાથે સંબંધિત ઉત્કૃષ્ટ માળખાગત સુવિધાઓનાં વિકાસ પર પ્રકાશ પાડ્યો હતો તથા આશરે 100 ખેલો ઇન્ડિયા કેન્દ્રોનું નિર્માણ થયું હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે માહિતી આપી હતી કે, જમ્મુ અને કાશ્મીરનાં આશરે 4,500 યુવાનોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે તાલીમ આપવામાં આવી રહી છે. વિન્ટર સ્પોર્ટ્સનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે, જમ્મુ-કાશ્મીર ભારતની વિન્ટર સ્પોર્ટ્સ કેપિટલ બની રહ્યું છે. તેમણે ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સની તાજેતરમાં સંપન્ન થયેલી ચોથી એડિશન વિશે પણ વાત કરી હતી, જેમાં સમગ્ર દેશમાંથી 800થી વધારે ખેલાડીઓએ ભાગ લીધો હતો. તેમણે ઉમેર્યું હતું કે, “આ પ્રકારની ઇવેન્ટ્સ ભવિષ્યમાં અહીં આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ઇવેન્ટ માટે નવી શક્યતાઓ ઊભી કરશે.”
પ્રધાનમંત્રીએ જમ્મુ અને કાશ્મીરનાં લોકોને શાંતિ અને માનવતાનાં દુશ્મનો વિશે ચેતવણી આપી હતી, જેઓ વિકાસનાં વિરોધી છે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “જમ્મુ અને કાશ્મીરનાં વિકાસને અટકાવવાનો આ તેમનો છેલ્લો પ્રયાસ છે, જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે અહીં શાંતિ સ્થાપિત ન થાય.” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકારે તાજેતરમાં થયેલી આતંકવાદી ઘટનાઓની ગંભીર નોંધ લીધી છે, જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રીએ જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્ર સાથે જોડાણમાં તમામ વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. પ્રધાનમંત્રીએ પુનરોચ્ચાર કર્યો હતો કે, “હું તમને ખાતરી આપું છું કે જમ્મુ અને કાશ્મીરના દુશ્મનોને પાઠ ભણાવવામાં કોઈ કસર છોડવામાં આવશે નહીં. જમ્મુ-કાશ્મીરની નવી પેઢી કાયમી શાંતિથી રહેશે. અમે જમ્મુ અને કાશ્મીર દ્વારા પસંદ કરવામાં આવેલા પ્રગતિના માર્ગને મજબૂત કરીશું.” પ્રધાનમંત્રીએ જમ્મુ અને કાશ્મીરના લોકોને આજની વિકાસલક્ષી પરિયોજનાઓ માટે અભિનંદન આપીને પોતાના સંબોધનનું સમાપન કર્યું હતું.
આ પ્રસંગે જમ્મુ અને કાશ્મીરનાં ઉપરાજ્યપાલ શ્રી મનોજ સિંહા અને આયુષ રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી પ્રતાપરાવ જાધવ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ સમાચાર પણ વાંચો: PM Narendra Modi: પ્રધાનમંત્રીને ઇન્ડોનેશિયાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિનો ફોન આવ્યો, નેતાઓએ વ્યૂહાત્મક ભાગીદારી અંગે ચર્ચા કરી
પાર્શ્વ ભાગ
‘એમ્પાવરિંગ યુથ, ટ્રાન્સફોર્મિંગ J&K’ ઇવેન્ટ આ વિસ્તાર માટે મહત્ત્વપૂર્ણ છે, જે પ્રગતિ પ્રદર્શિત કરે છે અને યુવાન સિદ્ધિ હાંસલ કરનારને પ્રેરિત કરે છે.
પ્રધાનમંત્રીએ રૂ. 1,500 કરોડથી વધારેનાં મૂલ્યનાં 84 મુખ્ય વિકાસકાર્યોનો શિલાન્યાસ અને ઉદઘાટન કર્યું હતું. ઉદઘાટનમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાણી પુરવઠાની યોજનાઓ અને ઉચ્ચ શિક્ષણમાં માળખાગત સુવિધા વગેરે સાથે સંબંધિત પ્રોજેક્ટ્સ સામેલ હશે. આ ઉપરાંત પ્રધાનમંત્રીએ ચેનાની-પટનીટોપ-નાશરી સેક્શનમાં સુધારો, ઔદ્યોગિક વસાહતોનો વિકાસ અને 06 સરકારી ડિગ્રી કોલેજોના નિર્માણ જેવા વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.
जनता की उम्मीदों पर चलते हुए हमारी सरकार perform करके दिखाती है, result लाकर दिखाती है: PM @narendramodi pic.twitter.com/yuMBsMYygb
— PMO India (@PMOIndia) June 20, 2024
પ્રધાનમંત્રીએ રૂ. 1,800 કરોડનાં મૂલ્યનાં કૃષિ અને આનુષંગિક ક્ષેત્રોમાં સ્પર્ધાત્મકતા સુધારણા (જેકેસીઆઇપી) પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો હતો. આ પરિયોજનાનો અમલ જમ્મુ અને કાશ્મીરનાં 20 જિલ્લાઓમાં 90 બ્લોક્સમાં થશે અને આ પ્રોજેક્ટ 3,00,000 કુટુંબો સુધી પહોંચશે, જેમાં 15 લાખ લાભાર્થીઓ સામેલ હશે. આ યોજનાઓનો શિલાન્યાસ/ઉદઘાટન અને શુભારંભ જમ્મુ-કાશ્મીરમાં યુવાનોને સશક્ત બનાવશે અને માળખાગત સુવિધાઓમાં સુધારો કરશે.
આ સમાચાર પણ વાંચો: International Yoga Day 2024: PM મોદીએ શ્રીનગરના ડલ લેક ખાતે યોગ પ્રેમીઓ સાથે સેલ્ફી લીધી; જુઓ મુસ્કુરાતી તસ્વીર.
પ્રધાનમંત્રીએ સરકારી નોકરીમાં નિયુક્ત 20થી વધુ વ્યક્તિઓને નિમણૂક પત્રોનું વિતરણ પણ કર્યું હતું.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
