Site icon

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેસાથે કરી બંધ બારણે બેઠક : જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૮ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

મંગળવાર

આજે પ્રતિનિધિમંડળ સાથેની સત્તાવાર બેઠક દરમિયાન મુખ્ય પ્રધાન અને વડા પ્રધાન વચ્ચે થોડાક સમય માટે બંધ બારણે બેઠક થઈ હતી. ઉદ્ધવ ઠાકરેએ પોતે વડા પ્રધાન સાથે વ્યક્તિગત મુલાકાત કરી હોવાની વાત સ્વીકારી હતી. ઉપલબ્ધ માહિતી અનુસાર વડા પ્રધાન અને મુખ્ય પ્રધાન વચ્ચેની બેઠક લગભગ 30 મિનિટ સુધી ચાલી હતી.

વડા પ્રધાન સાથે મુલાકાત બાદ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ દિલ્હીના મહારાષ્ટ્ર સદનમાં એક પત્રકાર પરિષદ યોજી હતી. પત્રકાર પરિષદમાં ઠાકરેએ વડા પ્રધાન સાથેની તેમની અંગત મુલાકાત વિશે માહિતી આપી હતી. આ પ્રસંગે બોલતાં મુખ્ય પ્રધાને કહ્યું હતું કે "જો અમે સત્તામાં સાથે ન હોઈએ તો પણ તેનો અર્થ એ નથી કે સંબંધ તૂટી ગયો છે. આ પહેલાં અમે ઘણા લાંબા સમયથી સાથે રહ્યા છીએ. તેથી મેં તેમની સાથે વ્યક્તિગત મુલાકાત કરી હતી.”

દેશમાં નબળી પડી કોરોનાની બીજી લહેર, છેલ્લા 24 કલાકમાં 1 લાખથી ઓછા કેસ આવ્યા સામે ; જાણો આજના લેટેસ્ટ આંકડા

જોકેઆ દરમિયાન કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ એ અંગે કોઈપણ સ્પષ્ટતા કરી નહોતી. આ બાબતે સવાલ થતાં ઠાકરેએ વાત બદલી નાખતાં કહ્યું હતું કે “વડા પ્રધાનને મળવામાં કંઈ ખોટું નથી, હું મારા વડા પ્રધાનને મળવા ગયો હતો, નવાઝ શરીફને મળવા નથી ગયો.” હવે આ અંગે રાજનૈતિક વિશ્લેષકો જુદી-જુદી વાત કહી રહ્યા છે. એક વાત ચોક્કસ છે કે આ અંગત બેઠક બાદ મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે.

Al-Falah University: EDની કાર્યવાહીથી યુનિવર્સિટી જગતમાં ખળભળાટ! અલ-ફલાહ યુનિવર્સિટીના ફંડિંગની થશે ઝીણવટભરી તપાસ.
Doctor Arif Custody: દિલ્હી બ્લાસ્ટના આરોપી ડૉ. શાહીનનો સાથીદાર ડૉ. આરિફ કાનપુરમાંથી ઝડપાયો, તપાસમાં નવો વળાંક
Amit Shah: ગૃહ મંત્રાલય સક્રિય: દિલ્હી બ્લાસ્ટ કેસમાં અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી, આતંકવાદીઓ સામે ‘ઝીરો ટોલરન્સ’નો આદેશ.
Dr. Shaheen Shahid: દિલ્હી બ્લાસ્ટ: લખનૌમાં ડૉ. શાહીનને મળનારા બધા અયોધ્યા ગયા હતા! ક્યાં રોકાયા, કોને મળ્યા? – NIAની હાઈપ્રોફાઇલ તપાસ
Exit mobile version