પયગંબર પર વિવાદિત ટિપ્પણી – જુમ્માની નમાઝ બાદ દેશભરમાં અનેક સ્થળે ભારે વિરોધ પ્રદર્શન- પથ્થરમારો- પોલીસે કર્યો લાઠીચાર્જ- જુઓ વિડીયો

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

પયગંબર મોહમ્મદ (Prophet Muhammad Remark row)વિરુદ્ધ વિવાદિત ટિપ્પણી મામલાને લઈને વિવાદ શાંત થયો નથી. આજે શુક્રવારે નમાઝ(Prayers) બાદ દેશના મોટા શહેરોમાં નુપુર શર્મા(Nupur Sharma) વિરુદ્ધ ભારે વિરોધ પ્રદર્શન થયો હતો. આ દરમિયાન ભીડને કાબુમાં કરવા માટે ભારે પોલીસ ફોર્સ(police force) તૈનાત કરવી પડી હતી. 

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ દિલ્હી(Delhi)ની જામા મસ્જિદ(Jama Masjid)થી લઈને કલકત્તા(Kolkata) અને યુપી(Uttar Pradesh)ના કેટલાય શહેરામાં નુપુર શર્મા અને નવીન જિંદલ(Nupur Sharma and Naveen Jindal) વિરુદ્ધ ભારે વિરોધ પ્રદર્શન થયો હતો. પ્રયાગરાજ(Prayagraj) અને હાવડા(Hawda)માં પ્રદર્શનકારી(protestors)ઓ દ્વારા પોલીસ પર પથ્થરમારો(stone pelting) કર્યો હતો. ત્યારબાદ પોલીસે ટીયર ગેસ છોડવો પડ્યો હતો. 

આ સમાચાર પણ વાંચો : આખરે સરકાર જાગી- લોન વસૂલી માટે ટોર્ચર કરનારી આટલી લોન એપ પર પ્રતિબંધ- ગૂગલને નોટિસ

યુપીની રાજધાની લખનઉ(lucknow) ઉપરાંત દેવબંધ, પ્રયાગરાજ અને સહારનપુર(Saharanpur)માં પણ ભારે હોબાળો થયો હતો. દેવબંધમાં પોલીસે પ્રદર્શનકારીઓની અટકાયત(detain) કરી હતી. 

જામા મસ્જિદ(Jama Masjid)માં પ્રદર્શનકારીઓએ નુપૂર શર્મા અને નવીન જિંદલ(Naveen Jindal) પર કડક કાર્યવાહીની માંગ કરી હતી. સાથે જ લોકોએ ભારે હોબાળો પણ કર્યો હતો, જો કે પોલીસનું કહેવું છે કે, સ્થિતિ કંટ્રોલ(situation control)માં છે. જામા મસ્જિદના શાહી ઈમામ(Shahi Imam)નું કહેવુ છે કે, તેમને આ વિરોધ પ્રદર્શન વિશે કંઈ ખબર નથી, ન તો મસ્જિદ તરફથી કોઈ વિરોધ પ્રદર્શન બોલાવવામાં આવ્યું છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More