Site icon News Continuous Bureau | Mumbai

Rahul Gandhi: ચૂંટણી પંચે રાહુલ ગાંધી વિરુદ્ધ એડવાઈઝરી જારી કરી, પીએમ મોદી વિરુદ્ધની ટિપ્પણી પર આપી ચેતવણી..

Rahul Gandhi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પનૌતી અને પાકીટમાર શબ્દોનો ઉપયોગ કરવા બદલ ચૂંટણી પંચે રાહુલ ગાંધીને નોટિસ પણ મોકલી હતી અને ભવિષ્યના જનસંબોધનમાં આવા નિવેદન ટાળવા માટે કહેવામાં આવ્યું છે.

Rahul Gandhi Election Commission issues advisory against Rahul Gandhi, warns against comments against PM Modi..

Rahul Gandhi Election Commission issues advisory against Rahul Gandhi, warns against comments against PM Modi..

News Continuous Bureau | Mumbai

Rahul Gandhi: લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ચૂંટણી પંચ ( Election Commission of India ) એ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી માટે એડવાઈઝરી જારી કરી છે. વાસ્તવમાં નવેમ્બર 2023માં રાહુલ ગાંધીએ એક ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના નેતાઓ વિરુદ્ધ પાકીટમાર અને પનૌતી શબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ પૃષ્ઠભૂમિમાં, ચૂંટણી પંચે રાહુલ ગાંધીને ભવિષ્યની જાહેર સભાઓ દરમિયાન તેમના નિવેદનો વિશે વધુ સાવચેત અને સાવધ રહેવા જણાવ્યું છે. 

Join Our WhatsApp Channel

ઉલ્લેખનીય છે કે, જ્યારે પાકીટમાર અને પનૌતિ શબ્દોના ઉપયોગનો મામલો દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. ત્યારે કોર્ટે ચૂંટણી પંચને તેના પર કાર્યવાહી કરવા કહ્યું હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( Narendra Modi ) માટે પનૌતી અને પાકીટમાર શબ્દોનો ઉપયોગ કરવા બદલ ચૂંટણી પંચે રાહુલ ગાંધીને નોટિસ પણ મોકલી હતી.

 કોંગ્રેસ ( Congress ) નેતા રાહુલ ગાંધી 17 માર્ચે મુંબઈમાં જાહેર સભાને સંબોધશે…

એક અહેવાલ મુજબ, ચૂંટણી પંચે રાહુલ ગાંધીને 1 માર્ચે નોટિસ મોકલીને પ્રચાર દરમિયાન ખાસ સાવચેતી રાખવા જણાવ્યું છે. તેમજ 21 ડિસેમ્બર, 2023 ના રોજ દિલ્હી હાઈકોર્ટના આદેશ અને તેના પર રાહુલ ગાંધીના જવાબને ધ્યાનમાં રાખીને, ચૂંટણી પંચે હવે તેમના માટે એક માર્ગદર્શિકા ( Advisory) જારી કરી છે અને ભવિષ્યમાં તેમના જનસંબોધન વખતે આ નિવેદનો ન આપવા માટે સાવચેત રહેવા જણાવ્યું છે. ઉપરાંત, ચૂંટણી પંચે રાહુલ ગાંધીને તેમની પાર્ટીના તમામ સ્ટાર પ્રચારકો અને ઉમેદવારોને પણ આ માર્ગદર્શિકા વિશે જાણ કરવા જણાવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Underground Waste Bin : ઘાટકોપરમાં બીએમસી દ્વારા લગાડવામાં આવશે છ અત્યાનુધિક ભૂગર્ભ કચરાપેટીઓ..

દરમિયાન, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 17 માર્ચે મુંબઈમાં જાહેર સભાને સંબોધશે. રાહુલ ગાંધી 16 માર્ચે તેમની ભારત જોડો ન્યાય યાત્રા સાથે મુંબઈ આવી રહ્યા છે. રાહુલ ગાંધીનો આ પ્રવાસ મણિપુરથી શરૂ થયો હતો. હવે તેનો અંત મુંબઈમાં થવા જઈ રહ્યો છે. રાહુલ ગાંધી 16 માર્ચે થાણેમાં એલબીએસ રૂટ દ્વારા મુંબઈમાં પ્રવેશ કરશે અને તેમની ભારત જોડો ન્યાય યાત્રાનું સમાપન કરવા દાદરમાં ચૈત્યભૂમિ પહોંચશે.

 

Asaram Bapu Verdict Rajasthan High Court 2026। આસારામને હાઈકોર્ટમાંથી મોટો ઝટકો! સગીરા પર જાતીય સતામણી કેસમાં આજીવન કેદની સજા યથાવત; તાત્કાલિક કરવો પડશે સરન્ડર
Bharat Gas Home Delivery Restart 2026। ભારત ગેસના ગ્રાહકોની થઈ ગઈ મોજ કંપનીએ ફરી શરૂ કરી વર્ષો જૂની સુવિધા, હવે ગેસ સિલિન્ડર માટે નહીં ખાવા પડે ધક્કા!
Gold Silver Rates Today। સોનું સસ્તું પણ ચાંદી મોંઘીદાટ! ઇતિહાસનો સૌથી મોટો ઉલટફેર, જાણો તમારા શહેરના આજના ભાવ
ED Raid Kerala CM Pinarayi Vijayan| કેરળના પૂર્વ સીએમ વિજયન અને તેમની પુત્રીના ઘરે ED ના દરોડા, ૧૦ સ્થળો પર સર્ચ ઓપરેશન ચાલુ
Exit mobile version