News Continuous Bureau | Mumbai
Rahul Gandhi on ED Raid: આજે વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ચોંકાવનારો દાવો કર્યો છે.તેમણે કહ્યું કે 29 જુલાઈએ સંસદમાં આપેલા તેમના ‘ચક્રવ્યુહ’ ભાષણ પછી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) તેમના ઘરે દરોડા પાડવાની યોજના બનાવી રહ્યું છે. રાહુલે કહ્યું કે તેઓ ખુલ્લા હાથે ED અધિકારીઓની રાહ જોઈ રહ્યા છે. કોંગ્રેસના નેતાએ દાવો કર્યો હતો કે EDના અંદરના સૂત્રોએ તેમને દરોડા અંગે માહિતી આપી હતી.
Rahul Gandhi on ED Raid: મારું ચક્રવ્યુહવાળું ભાષણ ગમ્યું નહીં..
ટ્વિટર પર એક પોસ્ટમાં રાહુલ ગાંધીએ કહ્યું, સ્પષ્ટ છે કે તેમને મારું ચક્રવ્યુહવાળું ભાષણ ગમ્યું નહીં. ઈડીના ‘આંતરિક સૂત્રો’ મને જણાવે છે કે રેડની યોજના ઘડાઈ રહી છે. આ સાથે રાહુલે એમ પણ લખ્યું છે કે ઈડીનો બંને હાથ ફેલાવીને રાહ જોઈ રહ્યો છું…ચા અને બિસ્કિટ સાથે. આ પોસ્ટમાં રાહુલ ગાંધીએ EDના સત્તાવાર હેન્ડલને પણ ટેગ કર્યું છે.
Apparently, 2 in 1 didn’t like my Chakravyuh speech. ED ‘insiders’ tell me a raid is being planned.
Waiting with open arms @dir_ed…..Chai and biscuits on me.
— Rahul Gandhi (@RahulGandhi) August 1, 2024
રાહુલ ગાંધીએ આ દાવો એવા સમયે કર્યો છે કે જ્યારે સંસદનું સત્ર ચાલુ છે. જેની સીધી અસર આજે સંસદમાં પણ જોવા મળી શકે છે. આમ પણ વિપક્ષ પહેલેથી જ સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યો છે. રાહુલ હાલ કેરળના વાયનાડમાં છે. જ્યાં ભૂસખ્લન પીડિતોને તેઓ મળી રહ્યા છે. તેમની સાથે પ્રિયંકા ગાંધી પણ છે અને તેઓ બંને આજે પણ ત્યાં રોકાઈ શકે છે.
મહત્વનું છે કે 29 જુલાઈએ લોકસભામાં કેન્દ્રીય બજેટ 2024 પર બોલતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે દેશના ખેડૂતો, મજૂરો અને યુવાનો ડરી ગયા છે. તેમણે કમળના પ્રતીકને મુખ્ય રીતે દર્શાવવા બદલ પીએમ મોદીની ટીકા કરી અને દાવો કર્યો કે 21મી સદીમાં એક નવું ‘ચક્રવ્યુહ’ બનાવવામાં આવ્યું છે.
Rahul Gandhi on ED Raid: રાહુલે ‘ચક્રવ્યુહ’ અંગે સંસદમાં ભાષણ આપ્યું હતું.
રાહુલ ગાંધીએ કહ્યું, ‘ચક્રવ્યુહ’ જે બનાવવામાં આવ્યું છે. જેના કારણે લોકોને કરોડોનું નુકસાન થયું છે. અમે આ ચક્રને તોડી પાડીશું. આને તોડવાનો સૌથી મોટો રસ્તો જાતિની વસ્તી ગણતરી છે. જેનાથી તમે બધા ડરો છો. I.N.D.I.A આ ગૃહમાં બાંયધરીકૃત કાનૂની MSP પસાર કરશે. અમે આ ગૃહમાં જાતિ ગણતરી પાસ કરીને તમને બતાવીશું.
આ સમાચાર પણ વાંચો : GST Collection : મોદી સરકારની તિજોરી છલકાઈ, GST કલેક્શનમાં આવ્યો 10%નો ઉછાળો.. જાણો આંકડા
29 જુલાઈએ લોકસભામાં રાહુલ ગાંધીએ બજેટ પર ચર્ચામાં ભાગ લેતાં સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. ‘મહાભારત’નો ઉલ્લેખ કરીને તેમણે ચક્રવ્યુહ અને અભિમન્યુનું ઉદાહરણ આપ્યું. તેમણે કહ્યું કે 21મી સદીના ચક્રવ્યુહને 6 લોકો નિયંત્રિત કરી રહ્યા છે. જ્યારે રાહુલ ગાંધીએ અગ્નિવીરનો ઉલ્લેખ કર્યો તો રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે તેઓ આ મામલે ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)