Site icon News Continuous Bureau | Mumbai

લખીમપુર ખીરી હિંસાના મામલે સંસદમાં વિપક્ષનો જબરદસ્ત હોબાળો, રાહુલ ગાંધી બોલ્યા, કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ક્રિમિનલ છે, સરકાર કરે આ કાર્યવાહી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 16 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર.

લખીમપુર ખીરી હિંસાના મામલામાં સંસદની સાથે સાથે યુપી વિધાનસભામાં પણ હંગામો મચ્યો છે.

આજે લોકસભામાં રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, ખેડૂતોની હત્યામાં મંત્રીની સંડોવણી છે અને તેમને સજા મળવી જોઈએ, તેઓ ક્રિમિનલ છે. સરકારે તેમને હાંકી કાઢવા જોઈએ.

જોકે રાહુલ ગાંધીને આ મુદ્દે વધારે બોલવા દેવાયા નહોતા. સ્પીકર ઓમ બિરલાએ કહ્યુ કે, રાહુલ ગાંધી જે પ્રશ્ન પર વાત કરવાની હતી તેની જગ્યાએ બીજા જ મુદ્દા પર વાત કરી રહ્યા છે..

મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાને લખીમપુરમાં ખેડૂતોને જીપ હેઠળ કચડી નાંખવાના મામલામાં આરોપી બનાવવામાં આવ્યો છે. 

ઉલ્લેખનીય છે કે ખેડૂતોને જીપ નીચે કચડવાનુ કાવતરુ અગાઉથી ઘડવામાં આવ્યુ હોવાનો રિપોર્ટ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે રજૂ કર્યો છે. જેના કારણે હવે કોંગ્રેસ દ્વારા આશિષ મિશ્રાના પિતા અને કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના રાજીનામાની માંગ થઈ રહી છે.

હાશ! કોરોનાગ્રસ્ત અભિનેત્રીઓના સંપર્કમાં આવેલા આટલા લોકો નેગેટિવ; જાણો વિગત

Gen Z Outreach Team Gen Z સાથે જોડવા માટે BJPએ બનાવી ‘સૂપર ૫’ સ્પેશિયલ ટીમ, સ્મૃતિ ઈરાની ઉપરાંત કોણકોણ સામેલ? જાણો
Air Travel Update એર ટ્રેવલ થશે વધુ સરળ આ તારીખથી ભારતીય એરપોર્ટ પર બંધ થશે પાસપોર્ટ પર ફિઝિકલ સ્ટેમ્પ લગાવવાની પ્રથા.
Vande Mataram Controversy વંદે માતરમ વિવાદ પર રાજકારણ ગરમાયું કોંગ્રેસના નિર્ણય સામે ભાજપે ભડકીને પાસ કર્યો મોટો પ્રસ્તાવ!
INS Mangrool Delivery કોચીન શિપયાર્ડ દ્વારા નિર્મિત ત્રીજું એન્ટિસબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ ‘માંગરોળ’ ભારતીય નૌકાદળને સોંપવામાં આવ્યું
Exit mobile version