લો બોલો-હવે રેલવે પ્રવાસીઓને ટિકિટ પણ ઉધાર મળશે-  જાણો રેલવેની આ નવી યોજના

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

શું તમે જાણો છો હવે તમે ઉધારી પર પણ  ટ્રેનમાં મુસાફરી(Train Travel)  કરી શકો છો. ઘણીવાર તમારે અચાનક ગામ જવું પડે છે અથવા તમે ક્યાંક જવાનું વિચારી રહ્યા છો અને  જો તમારી પાસે ટ્રેનની ટિકિટની(train tickets) કિંમત ચૂકવવામાં માટે પૈસા નથી તો તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે હવે તમે મફતમાં ટ્રેનની ટિકિટ બુક કરાવી(Ticket book) શકશો. 

“બાય નાઉ પે લેટર”(Buy Now Pay Letter) ની સુવિધાથી ટ્રેનની ટિકિટ તાત્કાલિક કાઢી શકાશે, જેમાં તમે પહેલા ટિકિટ બુક કરાવી શકો છો અને પછી પૈસા મળે ત્યારે ટ્રેનનું પેમેન્ટ(ticket payment) કરી શકો છો. આ સુવિધાથી તમે ટિકિટ બુક કરી શકો છો અને ખરીદી પણ કરી શકો છો.

તમે IRCTC થી તમારી ટિકિટ બુક કરી શકો છો અને પછી ચૂકવણી કરી શકો છો. આ સુવિધા ePayLater દ્વારા આપવામાં આવી રહી છે. રેલવે મુસાફરો(Railway passengers) ટિકિટ બુક કરાવ્યા પછી 14 દિવસમાં ચુકવણીની પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. Buy Now Pay Later સુવિધાનો લાભ લેવા માટે, તમારે આધાર કાર્ડ(aadhar card) અને પાન કાર્ડ(PAN card)ની વિગતો ભરવાની રહેશે, જેના પછી તમને OTP પ્રાપ્ત થશે. ટૂંકા ગાળામાં આ માટે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. નિયત તારીખ પછી જ વ્યાજ ચૂકવવાનું રહેશે.

આ સમાચાર પણ વાંચો : કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ED પાસેથી એક્સટેન્શન માંગ્યું- પૂછપરછ માટે તારીખ લંબાવવા વિનંતી- જાણો શું છે કારણ

ખરીદીની તારીખથી 14 થી 20 દિવસની અંદર ચુકવણી કરી શકાય છે.

જો સમયસર ચુકવણી કરવામાં ન આવે તો 24% વ્યાજ ચૂકવવું પડશે. ‘બાય નાઉ પે લેટર’ હેઠળ, મુસાફરો ત્વરિત ટિકિટ બુક કરે છે. તેથી, તાત્કાલિક ક્વોટા હેઠળ કન્ફર્મ ટિકિટ(Confirm ticket) મળવાની શક્યતાઓ ઘણી વધી જાય છે.
 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More