Site icon News Continuous Bureau | Mumbai

લો બોલો-હવે રેલવે પ્રવાસીઓને ટિકિટ પણ ઉધાર મળશે-  જાણો રેલવેની આ નવી યોજના

News Continuous Bureau | Mumbai 

શું તમે જાણો છો હવે તમે ઉધારી પર પણ  ટ્રેનમાં મુસાફરી(Train Travel)  કરી શકો છો. ઘણીવાર તમારે અચાનક ગામ જવું પડે છે અથવા તમે ક્યાંક જવાનું વિચારી રહ્યા છો અને  જો તમારી પાસે ટ્રેનની ટિકિટની(train tickets) કિંમત ચૂકવવામાં માટે પૈસા નથી તો તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે હવે તમે મફતમાં ટ્રેનની ટિકિટ બુક કરાવી(Ticket book) શકશો. 

Join Our WhatsApp Channel

“બાય નાઉ પે લેટર”(Buy Now Pay Letter) ની સુવિધાથી ટ્રેનની ટિકિટ તાત્કાલિક કાઢી શકાશે, જેમાં તમે પહેલા ટિકિટ બુક કરાવી શકો છો અને પછી પૈસા મળે ત્યારે ટ્રેનનું પેમેન્ટ(ticket payment) કરી શકો છો. આ સુવિધાથી તમે ટિકિટ બુક કરી શકો છો અને ખરીદી પણ કરી શકો છો.

તમે IRCTC થી તમારી ટિકિટ બુક કરી શકો છો અને પછી ચૂકવણી કરી શકો છો. આ સુવિધા ePayLater દ્વારા આપવામાં આવી રહી છે. રેલવે મુસાફરો(Railway passengers) ટિકિટ બુક કરાવ્યા પછી 14 દિવસમાં ચુકવણીની પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. Buy Now Pay Later સુવિધાનો લાભ લેવા માટે, તમારે આધાર કાર્ડ(aadhar card) અને પાન કાર્ડ(PAN card)ની વિગતો ભરવાની રહેશે, જેના પછી તમને OTP પ્રાપ્ત થશે. ટૂંકા ગાળામાં આ માટે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. નિયત તારીખ પછી જ વ્યાજ ચૂકવવાનું રહેશે.

આ સમાચાર પણ વાંચો : કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ED પાસેથી એક્સટેન્શન માંગ્યું- પૂછપરછ માટે તારીખ લંબાવવા વિનંતી- જાણો શું છે કારણ

ખરીદીની તારીખથી 14 થી 20 દિવસની અંદર ચુકવણી કરી શકાય છે.

જો સમયસર ચુકવણી કરવામાં ન આવે તો 24% વ્યાજ ચૂકવવું પડશે. ‘બાય નાઉ પે લેટર’ હેઠળ, મુસાફરો ત્વરિત ટિકિટ બુક કરે છે. તેથી, તાત્કાલિક ક્વોટા હેઠળ કન્ફર્મ ટિકિટ(Confirm ticket) મળવાની શક્યતાઓ ઘણી વધી જાય છે.
 

Ludhiana Railway Accident મુસાફરોની સુરક્ષા ભગવાન ભરોસે? લુધિયાણામાં મુસાફરી ટ્રેનના ડબ્બામાંથી ટોયલેટનો ભાગ જ ઉખડીને નીચે પડ્યો! જુઓ વિડીયો
Bullet Train Corridor દિલ્હીથી સિલિગુડી માત્ર ૬ કલાકમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે યુપી, બિહાર અને બંગાળને જોડતા નવા બુલેટ ટ્રેન કોરિડોરની કરી જાહેરાત
Uproar in London at CJI Surya Kant’s Event લંડનમાં ભારતનું અપમાન! CJI ના કાર્યક્રમમાં વિરોધ પ્રદર્શન, અસંમતિના નામે ‘કોકરોચ’ ટિપ્પણી પર થયો ભારે હોબાળો
Modi Cabinet reshuffle મોદી સરકારમાં મોટા ફેરબદલના સંકેત આ ૪ વરિષ્ઠ મંત્રીઓએ આપવું પડશે રાજીનામું, કેબિનેટમાં નવા યુવા ચહેરાઓને મળશે તક
Exit mobile version