Site icon

ભારતીય રેલવેના જમવામાં હવે ઈયળો નહીં આવે. રેલવેએ લીધું આ પગલું…. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 18 ફેબ્રુઆરી 2022,          

Join Our WhatsApp Community

શુક્રવાર, 

ભારતીય રેલ્વેની ટ્રેનોમાં કાયમ જમવાનું ખરાબ મળતું હોવાનું અને અનેક વખત જમવામાં ઈયળો આવી હોવાની ફરિયાદો આવતી હોય છે. તેથી ભોજનનો ઓર્ડર આપતી વખતે પ્રવાસીઓ સો વખત વિચાર કરતા હોય છે. જોકે હવે રેલવેએ આ સંબંધમાં પ્રવાસીઓની ફરિયાદોને લઈને ભોજનની ગુણવત્તા સુધારવા ગંભીર નિર્ણય લીધો છે.

મળેલ માહિતી અનુસાર પ્રવાસીઓની ફરિયાદોને ધ્યાનમાં રાખીને  ભારતીય રેલ્વે અને IRCTCએ હવે એક વિશેષ યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ ટ્રેનોમાં ખોરાકની ગુણવત્તા સુધારવા માટે ફૂડ સેફ્ટી સુપરવાઈઝરની નિમણૂક કરવામાં આવશે. 

રેલ્વેના દાવા મુજબ ભોજનના સ્વાદ અને ગુણવત્તા બંને બાબતે રેલવે પ્રશાસન ખૂબ જ ગંભીર છે. આ ફૂડ સેફ્ટી સુપરવાઈઝર માત્ર રસોઈની પ્રક્રિયા જ તપાસશે નહીં, તેઓ રસોઈમાં લાગતા તેલ, ઘી, મસાલા વગેરેની પણ તપાસ કરશે. આ સુપરવાઈઝરની નિમણૂક ઓનલાઈન બિડિંગ (ઈ-બીડ) દ્વારા કરવામાં આવશે. IRCTC તેના બેઝ કિચનમાં આ સુપરવાઈઝરની નિમણૂક કરશે.

સેન્ટ્રલ રેલવેના પ્રવાસીઓની હેરાનગતી કાયમ, પાંચમી-છઠ્ઠી લાઈન માટે વધુ આટલા મેગાબ્લોક લેવામાં આવશે; જાણો વિગત

અહીં ઉલ્લેખનીય છે કે રેલવેની આવકનો મોટો હિસ્સો મુસાફરોને આપવામાં આવતા ભોજનમાંથી આવે છે. દેશની 70 ટકા ટ્રેનોમાં ભોજન પીરસવામાં આવે છે. વર્તમાન પરિસ્થિતિમાં, રેલવેની આવકના 20 ટકા મુસાફરોને આપવામાં આવતા ભોજનમાંથી આવે છે. કોરોના પહેલા રેલવેની આવકનો 45 ટકા રેલવે ભોજનમાંથી આવતો હતો. કોરોના રોગચાળા પછી આ ભોજનમાંથી થતી કમાણી ઘટી ગઈ છે. તેથી, રેલવે હવે ભોજનની ગુણવત્તામાં સુધારો કરીને મુસાફરોને આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ ખોરાક આપવાનો પ્રયાસ કરી રહી છે.

 

US Firing Missiles from Indian Ports?: દુનિયામાં ચર્ચા, પણ ભારતનું વલણ સ્પષ્ટ! ભારતીય બંદરો અને અમેરિકી મિસાઈલના દાવા પાછળનું શું છે રહસ્ય? વાંચો વિદેશ મંત્રાલયનો ખુલાસો
Middle East Tension: યુદ્ધના મેદાનમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષા માટે માસ્ટર પ્લાન! વિદેશ મંત્રાલયે શરૂ કર્યો ૨૪x૭ કંટ્રોલ રૂમ; હેલ્પલાઈન નંબર સેવ કરી લેજો..
Middle East Conflict: દુશ્મનોના હુમલા થશે નિષ્ફળ! મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ભારત રશિયા પાસેથી ખરીદશે વધુ S-400 મિસાઈલ સિસ્ટમ; જાણો કેમ આ ડીલ છે ખાસ.
India Faces Major LPG Crisis: ભારતના રસોડા પર યુદ્ધની અસર: ઈરાન-અમેરિકા તણાવથી LPG પુરવઠા પર મોટું સંકટ; જાણો દેશમાં હવે કેટલા દિવસનો સ્ટોક બાકી?
Exit mobile version