Site icon News Continuous Bureau | Mumbai

શું રેલ્વેનું પણ થશે ખાનગીકરણ? રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે આપ્યો આ જવાબ

Railways a strategic sector, no plan to privatise it: Government

શું રેલ્વેનું પણ થશે ખાનગીકરણ? રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે આપ્યો આ જવાબ

News Continuous Bureau | Mumbai

વિપક્ષ દ્વારા અવાર નવાર સરકાર પર આરોપ મુકતું આવ્યું છે કે સરકાર રેલવેનુ ખાનગીકરણ કરવાની ફિરાકમાં છે. દરમિયાન કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ફરી એકવાર સ્પષ્ટતા કરી છે કે તેઓ ભારતીય રેલ્વેનું ખાનગીકરણ નહીં કરે. એક ખાનગી મુલાકાતમાં તેમણે પુનરોચ્ચાર કર્યો છે કે તેઓ રેલવેનું ખાનગીકરણ નહીં કરે. ગયા વર્ષની શરૂઆતમાં સંસદના શિયાળુ સત્રમાં રેલવે મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે તેઓ ખાનગીકરણ નહીં કરે.

રેલવે વહીવટ અને સેવામાં પારદર્શિતા લાવવાના પ્રયાસો

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ભારતીય રેલ્વેની સેવા ઘણી મોટી છે અને રેલ્વે ભારતની સૌથી મોટી આર્થિક શક્તિ છે. તેથી અમારી સરકારનો આ સેવાનું ખાનગીકરણ કરવાનો કોઈ ઈરાદો નથી. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટતા કરી છે કે ભારતીય રેલ્વેનું ખાનગીકરણ કોઈપણ સંજોગોમાં કરવામાં આવશે નહીં. રેલવેના ખાનગીકરણની વાતો હવે જૂની થઈ ગઈ છે. રેલ્વે અમારી અને સરકારની સામાજિક પ્રતિબદ્ધતા છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે અમારી સરકાર રેલવે વહીવટ અને સેવામાં પારદર્શિતા લાવવાનો પ્રયાસ કરી રહી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : આજે છત્રી-રેનકોટ લીધા વગર ઘરની બહાર નહીં જતા, મુંબઈ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ. જુઓ વિડિયો..

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય રેલવેના વિકાસ વિશે ખૂબ જ ઊંડાણપૂર્વક વિચારે છે. અમારી સરકાર ઘણા શહેરોમાં નવી રેલવે લાઇન શરૂ કરવાની યોજના બનાવી રહી છે. આ સિવાય દેશના ઘણા શહેરો વંદે ભારત એક્સપ્રેસ દ્વારા જોડાયેલા છે. રેલવે મંત્રી વૈષ્ણવે પણ કહ્યું છે કે મોદી સરકાર રેલ્વેના વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને ઘણી નવી યોજનાઓ પર કામ કરવામાં આવશે.

Essential Medicine Prices Capped બ્લડ પ્રેશર (Blood Pressure), હાર્ટ અને ડાયાબિટીસની ૩૯ આવશ્યક દવાઓના ભાવ પર સરકારનું નિયંત્રણ (Price Cap)
India Acquires MQ9 Reaper Drones ભારતની સંરક્ષણ ક્ષમતામાં મોટો વધારો ૩૧ ‘MQ9 રીપર ડ્રોન’ (MQ9 Reaper Drones) ની ઐતિહાસિક ખરીદી
FSSAI Action on Swiggy “સ્વિગી માટે મુશ્કેલીઓ વધી! ફૂડ સેફ્ટીના ભંગ બદલ FSSAI ની લાલઆંખ, કંપની સામે લેવાઈ શકે છે કે કડક પગલાં .”
National Anthem and Song Rules રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીતના સન્માન માટે સરકારની નવી માર્ગદર્શિકા, શું ભૂલ કરવા પર થઈ શકે છે કાયદાકીય કાર્યવાહી? જાણો
Exit mobile version