Site icon News Continuous Bureau | Mumbai

Rajasthan ED Raid: રાજસ્થાનમાં ફરી EDનું એક્શન, જળ જીવન મિશન કૌભાંડ મામલે IAS પર સકંજો, 25 ઠેકાણે દરોડા.. જાણો વિગતે…

Rajasthan ED Raid: રાજસ્થાનમાં ED ફરી એકવાર એક્શનમાં છે. જલ જીવન મિશન કૌભાંડ મામલે શુક્રવારે સવારે EDની ટીમે રાજસ્થાનમાં 25 સ્થળો પર દરોડા પાડ્યા હતા. રાજસ્થાનમાં જલ જીવન મિશન પ્રોજેક્ટમાં કથિત ગેરરીતિઓના સંદર્ભમાં ED દ્વારા સર્ચ કરવામાં આવી રહ્યું છે…

Rajasthan ED Raid Action of ED again in Rajasthan, Jal Jeevan Mission scam on IAS, 25 locations raided.. Know details..

Rajasthan ED Raid Action of ED again in Rajasthan, Jal Jeevan Mission scam on IAS, 25 locations raided.. Know details..

News Continuous Bureau | Mumbai

Rajasthan ED Raid: રાજસ્થાન ( Rajasthan ) માં ED ફરી એકવાર એક્શનમાં છે. જલ જીવન મિશન કૌભાંડ ( Jal Jeevan Mission Scam ) મામલે શુક્રવારે સવારે EDની ટીમે રાજસ્થાનમાં 25 સ્થળો પર દરોડા પાડ્યા હતા. રાજસ્થાનમાં જલ જીવન મિશન પ્રોજેક્ટમાં કથિત ગેરરીતિઓના ( alleged malpractices ) સંદર્ભમાં ED દ્વારા સર્ચ કરવામાં આવી રહ્યું છે. જયપુર ( Jaipur ) માં 25 સ્થળો પર આ દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં ( IAS Officer )  IAS સુબોધ અગ્રવાલના સ્થાનો પણ સામેલ છે. હાલમાં વિગતવાર વિગતોની રાહ જોવાઈ રહી છે.

Join Our WhatsApp Channel

આ દરોડાનો જવાબ આપતા સીએમ ગેહલોતે ( CM Ashok Gehlot )  કહ્યું, શું આટલા મોટા દેશમાં આર્થિક અપરાધ નથી થતો? એજન્સીઓએ ત્યાં ધ્યાન આપવું જોઈએ. EDનું ફોકસ માત્ર રાજકારણીઓ પર છે.. અમારા પ્રમુખ દોતાસરા અને મારા પુત્ર પાસેથી EDને કશું મળ્યું નથી.. સરકારને પછાડવા માટે EDનો ઉપયોગ કરવો ખોટું છે.. ચૂંટણી જીતવા માટે ED CBI દ્વારા ગંદી રાજનીતિ કરવામાં આવી રહી છે..’ થોડા દિવસો પહેલા જ્યાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતને હાજર થવા માટે સમન્સ જારી કર્યું હતું, તો બીજી તરફ તેણે જયપુરમાં કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદ સિંહ દોટાસરાના ઘરે દરોડા પાડ્યા હતા.

રાજસ્થાનમાં જલ જીવન મિશન લાગુ કરવાના નામે 20 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ …

રાજસ્થાનના ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) દ્વારા પદમચંદ જૈન અને અન્યો સહિતના ખાનગી કોન્ટ્રાક્ટરો સામે ગેરકાયદે રક્ષણ મેળવવા, ટેન્ડરો, બિલ ક્લીયર કરવા અને કોન્ટ્રાક્ટ સંબંધિત ગેરરીતિઓ છુપાવવા અધિકારીઓને લાંચ આપવાના આરોપસર FIR નોંધવામાં આવી હતી. આ તમામે જાહેર આરોગ્ય અને એન્જિનિયરિંગ વિભાગના અધિકારીઓને લાંચ આપી હતી. આ પછી EDએ જલ જીવન મિશન સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં તપાસ શરૂ કરી.

આ સમાચાર પણ વાંચો : Zurich Insurance: ઝુરિચ ઈન્સ્યોરન્સ રૂ.4051 કરોડમાં કોટક જનરલ ઈન્સ્યોરન્સનો 51 ટકા હિસ્સો ખરીદશે!

બીજેપીના રાજ્યસભા સાંસદ કિરોરી લાલ મીણાએ આરોપ લગાવ્યો હતો કે રાજસ્થાનમાં જલ જીવન મિશન લાગુ કરવાના નામે 20 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે. તેમણે આરોપ લગાવ્યો કે મિશનના 48 પ્રોજેક્ટ્સમાં નકલી અનુભવ પ્રમાણપત્રોના આધારે બે કંપનીઓને 900 કરોડ રૂપિયાના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા.

કિરોની લાલ મીણાએ કહ્યું હતું કે, ‘કેન્દ્ર સરકારના જલ જીવન મિશન હેઠળ 2000 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે. આ બધું PHED મંત્રી અને વિભાગના સચિવ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારના જલ જીવન મિશનનો ઉદ્દેશ્ય ઘરેલું નળ કનેક્શન દ્વારા સુરક્ષિત અને પર્યાપ્ત પીવાનું પાણી પૂરું પાડવાનો છે. રાજસ્થાનમાં તેને લાગુ કરવા માટે PHED જવાબદાર છે.

CBI Probe Suvendu Adhikari PA। ચંદ્રનાથ રથ હત્યાકાંડ સુવેન્દુ અધિકારીના PAના મોતના કેસમાં CBIની એન્ટ્રી, બંગાળમાં ખળભળાટ; અત્યાર સુધીમાં ૩ ઝડપાયા
PM Modi Foreign Visit 2026|શુક્રવારથી પીએમ મોદીનો ૫ દેશોનો પ્રવાસ, ઈટાલીUAE મુલાકાત પર આખી દુનિયાની નજર; ભારત માટે કેમ છે આ પ્રવાસ ખાસ?
India Fuel Reserve Status। પેટ્રોલ પંપ પર લાગશે લાંબી લાઈનો? ઈંધણની અછત અને ‘રાશનિંગ’ ના સમાચાર પર સરકારે તોડ્યું મૌન; જાણી લો લેટેસ્ટ સ્થિતિ
PM Modi Gold Purchase Appeal। સોનાના વેપારીઓની ઉંઘ હરામ! પીએમ મોદીની ‘No Gold’ ની વાતથી જ્વેલરી સેક્ટરમાં હાહાકાર; શું ખરેખર ૧ કરોડ કારીગરો બેરોજગાર થશે?
Exit mobile version