News Continuous Bureau | Mumbai
Ram Mandir Inauguration: અયોધ્યા ( Ayodhya ) ખાતે ઐતિહાસિક દિવસ નોંધાવા જઈ રહ્યો છે ત્યારે રામ મંદિરના ઉદઘાટન પ્રસંગે કેટલા લોકો, તેમજ કોણ કોણ હાજર રહેશે તે સંદર્ભે ચર્ચા થઈ રહી છે. આ પ્રસંગે લાલ કૃષ્ણ અડવાણી ( Lal Krishna Advani ) તેમજ મુરલી મનોહર જોશી ( Murli Manohar Joshi ) કે જેઓ રામ મંદિર આંદોલન ના મુખ્ય કર્તા-હર્તા હતા તેઓ હાજર રહેશે કે નહીં આ બાબતે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે.
આ કારણથી લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી હાજર નહીં રહી શકે.
લાલ કૃષ્ણ અડવાણી ની ઉંમર 96 વર્ષની થઈ છે. તેમજ મુરલી મનોહર જોશી ની ઉંમર 90 વર્ષની છે. આથી આ બંને નેતાના પરિવારજનોએ નિર્ણય લીધો છે કે વધતી ઉંમર તેમજ તેની સાથે જોડાયેલી શારીરિક વ્યાધીઓના ( physical diseases ) કારણે રામ મંદિરના ઉદઘાટન ( Temple inauguration ) સમારંભમાં તેઓ હાજર નહીં રહે.
#WATCH | Ayodhya: Champat Rai, the General Secretary of Shri Ram Janmabhoomi Teerth Kshetra says, “Murli Manohar Joshi and Lal Krishna Advani will not be able to attend the ceremony due to health and age-related reasons. Both (Advani and Joshi) are elders in the family and… pic.twitter.com/XZpWbXVJVS
— ANI (@ANI) December 19, 2023
આ સમાચાર પણ વાંચો : Tamil Nadu rain: તમિલનાડુમાં વરસાદનો કહેર યથાવત, ચાર લોકોના મૃત્યુ તેમજ હજારો લોકો અટવાયા.
રામ મંદિરના ટ્રસ્ટી ચંપત રાયે ( Champat Rai ) આ માહિતી આપી.
મીડિયા સાથે વાતચીત દરમિયાન ચંપત રાય એ જણાવ્યું હતું કે મંદિરના ઉદઘાટન પ્રસંગે દેશના અનેક માન્યવરોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં સીને સૃષ્ટિ સાથે જોડાયેલા કલાકારો, ઉદ્યોગપતિઓ, અનેક નેતાઓ, ધાર્મિક સંપ્રદાયના વડાઓ સામેલ છે. આ પ્રસંગે જ્યારે મુરલી મનોહર જોશી અને લાલ કૃષ્ણ અડવાણી સંદર્ભે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે પ્રત્યુતર આપ્યો હતો કે વધતી ઉંમરને કારણે શક્ય છે કે તેઓ હાજર ન રહી શકે.
