Ram Mandir: અયોધ્યામાં બનેલા આ રેલ્વે સ્ટેશન કોઈ એરપોર્ટથી ઓછું નથી.. આ છે ખાસ વિશેષતાઓ.. જુઓ વિડીયો..

Ram Mandir: અયોધ્યા ધામ રેલવે સ્ટેશન કેટલીક આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે. આ રેલવે સ્ટેશન કોઈ એરપોર્ટથી ઓછુ નથી. જેનો પ્રથમ વિડીયો સામે આવ્યો છે.

by Bipin Mewada
Ram Mandir This railway station built in Ayodhya is no less than an airport.. Here are the special features.. Watch the video.

News Continuous Bureau | Mumbai 

Ram Mandir: જાન્યુઆરીમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા ( Ram Mandir Pran Pratishtha ) કાર્યક્રમ પહેલા પીએમ મોદીએ ( PM Modi ) દેશવાસીઓને અયોધ્યાના નવા રેલવે સ્ટેશનની ( railway station ) ભેટ આપી છે. તેમ જ કરોડો રામ ભક્તોનું રામ મંદિરનું સપનું આખરે સાકાર થયું છે. અયોધ્યામાં શ્રી રામના ભવ્ય રામ મંદિરના નિર્માણને વેગ મળ્યો છે. 22 જાન્યુઆરી, 2024ના રોજ આ મંદિરમાં ભગવાન રામના બાળ સ્વરૂપ રામલલાની સ્થાપના કરવામાં આવશે. મંદિર પ્રશાસન આ સમારોહ માટે જોરદાર તૈયારીઓ કરી રહ્યું છે. આ ભવ્ય રામ મંદિર 22 જાન્યુઆરી 2024થી ભક્તો માટે ખોલવામાં આવશે. આ પૃષ્ઠભૂમિમાં જ અયોધ્યા રેલવે સ્ટેશનનો એક વીડિયો સામે આવ્યો છે. 

રામ મંદિરના ઉદ્ઘાટન માટે સમગ્ર અયોધ્યાને શણગારવામાં ( Decoration ) આવી રહી છે. અયોધ્યામાં એક એરપોર્ટ ( airport ) અને રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું છે. આ વીડિયો રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે ( Ashwini Vaishnaw ) પણ શેર કર્યો છે. અયોધ્યા રેલ્વે સ્ટેશનનું નામ અયોધ્યાધામ રાખવામાં આવ્યું. રેલવે સ્ટેશનને રોશની અને શણગારથી ભવ્ય શણગારવામાં આવ્યું છે.

અયોધ્યા ધામ રેલ્વે સ્ટેશનને ઘણી આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે…

અયોધ્યા ધામ રેલ્વે સ્ટેશનને ઘણી આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે. આ રેલવે સ્ટેશન એરપોર્ટથી ઓછું નથી લાગતું. આ રેલવે સ્ટેશનને કુલ ત્રણ તબક્કામાં વિકસાવવામાં આવી રહ્યું છે, જેનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે.

આ સમાચાર પણ વાંચો :  XPoSat Mission: પ્રધાનમંત્રીએ એક્સ પો સેટ મિશનના સફળ પ્રક્ષેપણ પર ખુશી વ્યક્ત કરી

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે અયોધ્યા રેલવે સ્ટેશનનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે સમગ્ર રેલવે સ્ટેશનને રંગબેરંગી લાઈટો દ્વારા, તેમજ ફુગ્ગાઓ અને ફૂલોથી સુંદર રીતે શણગારવામાં આવ્યું છે. અયોધ્યા ધામ રેલ્વે સ્ટેશન ભક્તોના યાત્રાને આરામદાયક બનાવવા માટે શરૂ કરવામાં આવ્યું છે.

અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરી 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભગવાન રામચંદ્રની મૂર્તિનું અભિષેક દ્વારા કરવામાં આવશે. હાલ અભિષેક માટે મૂર્તિની પસંદગી પણ કરવામાં આવી ગઈ છે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More