Ram Temple Inauguration: રામ મંદિર ઉદ્ધાટનમાં PM મોદીના જવા પર જમીયતના મૌલાના મહમૂદે કર્યો વિરોઘ, સર્જાયો વિવાદ….જાણો શું છે મામલો..વાંચો વિગતે અહીં..

Ram Temple Inauguration: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં રામ મંદિર ઉદ્ઘાટન સમારોહમાં જવાનાં નિર્ણય પર વિરોધનાં સ્વર સંભળાવા લાગ્યાં છે. મુસ્લિમ સમાજની સૌથી મોટી ધાર્મિક સંસ્થા જમીયત ઉલેમા-એ-હિંદનાં ચીફ મૌલાના મહમૂદ અસર મદનીએ આ નિર્ણયને લઈને વિરોધ વ્યક્ત કર્યો છે…

by Hiral Meria
Ram Temple Inauguration Jamiat's Maulana Mahmood protested PM Modi's visit to Ram Temple inauguration, created controversy….

News Continuous Bureau | Mumbai 

Ram Temple Inauguration: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ( PM Narendra Modi )  નાં રામ મંદિર ઉદ્ઘાટન સમારોહમાં જવાનાં નિર્ણય પર વિરોધનાં સ્વર સંભળાવા લાગ્યાં છે. મુસ્લિમ સમાજ ( Muslim Community ) ની સૌથી મોટી ધાર્મિક સંસ્થા જમીયત ઉલેમા-એ-હિંદ ( Jamiat Ulema-e-Hind ) નાં ચીફ મૌલાના મહમૂદ અસર મદની ( Maulana Mahmood Asr Madani ) એ આ નિર્ણયને લઈને વિરોધ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે,’ મુલ્કનાં વજીર-એ-આઝમ (દેશનાં PM) એ ન તો કોઈ મંદિર કે ન તો કોઈ ઈબાદતગાહનાં ઉદ્ધાટનમાં જવું જોઈએ…’

તેમણે કહ્યું કે,” સાંભળવામાં આવ્યું છે કે અયોધ્યામાં જે મસ્જિદ ( Masjid )  પણ બનાવવામાં આવી રહી છે ત્યાં પણ PM મોદી જઈને ઉદ્ઘાટન કરશે. ત્યારે હું બે વાત સ્પષ્ટ કરવા માંગુ છું- પહેલી કે અયોધ્યા પર જે કોર્ટનો ચુકાદો આવ્યો છે એ નિર્ણયને અમે સાચો માનતા નથી. અમારું માનવું છે કે એ ચુકાદો ખોટા માહોલમાં લેવામાં આવ્યો છે.”

જમીયતનાં લોકો જો આ પ્રકારનાં કાર્યક્રમમાં જોડાશે તો જમીયત કાર્યવાહી કરશે…

મૌલાના મહમૂદ મદનીએ કહ્યું કે, ” બીજી વાત એ કે મુલ્કનાં વજીર-એ-આઝમને ન તો કોઈ મંદિર અને ન તો કોઈ ઈબાદતગાહનાં ઉદ્ધાટન માટે જવું જોઈએ. આ બધી બાબતોથી તેમણે પોતાને દૂર રાખવું જોઈએ. આ જનતાનો મામલો છે. હું જમીયતનાં લોકોને કહેવા ઈચ્છું છું કે તે જો આ પ્રકારનાં કાર્યક્રમમાં જોડાશે તો તેમની સામે જમીયત કાર્યવાહી કરશે.”

આ સમાચાર પણ વાંચો :  Bihar: સંસ્કૃત પેપરમાં ઇસ્લામને લગતા પ્રશ્નો પુછાતા મચ્યો હોબાળો.. ગિરીરાજે સિંહે સરકાર પર સાધ્યું નિશાન.. જાણો શું છે આ સંપુર્ણ મામલો..વાંચો વિગતે અહીં..

આ સમાચાર આવ્યા બાદથી આ મુદ્દે રાજકારણ ગરમાયું છે. વિરોધ પક્ષોના નેતાઓ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો છે. આ પહેલા પીએમ મોદીએ રામ મંદિરના ભૂમિપૂજન માટેના ભવ્ય કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો. તે સમયે પણ આ કાર્યક્રમમાં પીએમ મોદીની હાજરીને લઈને વિવાદ થયો હતો.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More