Site icon

રામદેવ બાબાએ હવે IMA પર આ નવો આરોપ લગાવ્યો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૮ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

શુક્રવાર

યોગ ગુરુ બાબા રામદેવ છેલ્લા કેટલાક દિવસોથી તેમનાં નિવેદનોને લીધે વિવાદમાં છે. બાબા રામદેવ અને ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન (IMA)વચ્ચે આરોપ-પ્રત્યારોપનો સમય હજી પૂરો થયો નથી. બાબા રામદેવે IMA પર નવો આરોપ લગાવતાં કહ્યું છે કે તેના પદાધિકારીઓના તાર ધર્મપરિવર્તન કરાવનારા લોકો સાથે જોડાયેલા છે.

એક મીડિયા હાઉસને આપેલા ઇન્ટરવ્યૂમાં રામદેવે કહ્યું હતું કે “ડૉક્ટરો મને દેશદ્રોહી કહી રહ્યા છે. જો હું દેશદ્રોહી છું તો પછી જેમના તાર ધર્મપરિવર્તન સાથે જોડાયેલા છે, શું તેઓ દેશભક્ત છે? આવા કન્વર્ઝન, અંધવિશ્વાસ પર ભરોસો કરનારા લોકો જ IMAના અધ્યક્ષ બની બેઠા છે.”

દેશમાં કોરોનાના વળતા પાણી, જાણો દૈનિક કેસ ઘટીને કેટલા થયા

ઉલ્લેખનીય છે કે બાબા રામદેવે કુંભને સુપર સ્પ્રેડર ગણાવનારા લોકોને હિન્દુવિરોધી અને ભારતવિરોધી કહ્યા છે. રામદેવે દાવો કર્યો છે કે અખાડામાં માત્ર ૧,૦૦૦ જેટલા સાધુઓ હતા અને કુંભના ૯૯% ટકા તંબુ ખાલી હતા. રામદેવે એમ પણ કહ્યું હતું કે IMAમાં અમારી સામે ઝંડો ઉઠાવનારા લોકો પણ ઘેરબેસીને કપાલભાતિ કરે છે.

Illegal Egg Donation: ગેરકાયદે એગ ડોનેશન રેકેટનો પર્દાફાશ: બદલાપુરમાં ૨૦થી વધુ જરૂરિયાતમંદ મહિલાઓ બની શિકાર; હોર્મોનલ ઇન્જેક્શન આપી થતું હતું શોષણ.
Karnataka: બાળકો અને સ્માર્ટફોન પર આ રાજ્ય ના સરકારની લાલ આંખ! ૧૬ વર્ષથી નીચેની વયના બાળકો માટે પ્રતિબંધનો પ્લાન તૈયાર
Lawrence Bishnoi Gang: મોતની સીધી ધમકી અને વીડિયો વાયરલ કરવાનો પડકાર; જાણો કોને અને કેમ આપવામાં આવી આ ધમકી
Mukul Roy Passes Away: બંગાળના રાજકારણના ‘ચાણક્ય’ ગણાતા મુકુલ રોયનું નિધન: પૂર્વ રેલ મંત્રીએ 71 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ.
Exit mobile version