Site icon News Continuous Bureau | Mumbai

રિઝર્વ બૅન્કે રેપો રેટ 0.40 ટકા ઘટાડ્યો, EMI ભરવામાં વધુ ત્રણ માસની છૂટ

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

22 મે 2020

દેશમાં ચાલી રહેલા કોરોના વાયરસના આક્રમણ અને લોકડાઉનને પગલે ભારતીય રિઝર્વ બેંક (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસ આજે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેઓએ રેપોરેટમાં 0.40 ટકાનો કાપ મુકીને રેપોરેટને ૪ ટકા ઉપર સ્થિર રાખ્યો છે. ત્યારે રિવર્સ રેપોરેટ ઘટાડીને ૩.૩૫ ટકા રાખવામાં આવ્યો છે. સૌથી મહત્વની જાહેરાત આજે શકિતકાંત દાસે એવી કરી છે કે ત્રણ માસ માટે મોરેટોરિયમની મર્યાદા વધારી દેવામાં આવી છે અને આમ લોકોને મોરેટોરિયમનો છ માસનો ટોટલ લાભ રહેશે એટલે કે લોકોને વધુ ત્રણ મહિના સુધી લોનનો હપ્તો ભરવામાં રાહત મળશે. રિઝર્વ બેન્કે આ પહેલાંની ધીરાણનીતિમાં લોકોને ત્રણ મહિના સુધી બેન્કના હપ્તા ભરવામાંથી રાહત આપી હતી જે રાહત 1 જૂને પૂરી થઈ રહી હતી. દરમિયાન આજે રિઝર્વ બેન્કના ગવર્નરે વધુ ત્રણ મહિનાની રાહત આપતાં હવે જૂન, જૂલાઈ અને ઓગસ્ટ મહિના દરમિયાન લોનધારકોને હપ્તો ભરવામાંથી રાહત મળશે.

આરબીઆઈના ગવર્નર શકિતકાંત દાસે આજે આ રાહતની જાહેરાત કરીને એવી ચિંતાજનક આગાહી પણ કરી છે કે જીડીપીનો વૃદ્ધિદર ઓછો રહેશે. વિશ્વભરમાં આર્થિક ગતિવિધિઓ રોકાયેલી છે. પ્રથમ ત્રિ-માસિક ગાળામાં વિકાસદર ઘટશે. ક્રૂડ ઓઈલના ઘટાડાથી ભારતીય અર્થવ્યવસ્થાને કોઈ ફાયદો થયો નથી. એમણે કહ્યું કે  આજના પગલાંથી લોન સસ્તી થશે અને ઈએમઆઈમાં ઘટાડો થશે. એમણે ઉમેયુ કે લોકડાઉનને લીધે ખાધાન્ન સહિતની વસ્તુઓમાં વધારો થયો છે અને દાળમાં ભાવવધારો ચિંતાની બાબત છે છતાં મોંઘવારીદર કાબૂમાં રહેવાની આશા છે..

Arvind Kejriwal। ન્યાય મળવાની આશા તૂટી! જસ્ટિસ સ્વર્ણકાંતાની કોર્ટનો બહિષ્કાર કરશે અરવિંદ કેજરીવાલ? જાણો શું છે મામલો
Free Trade Agreement (FTA)| ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વેપારનો નવો અધ્યાય! ૭૦ ટકા વસ્તુઓ થશે સસ્તી, જાણો કેવી રીતે બદલાશે આર્થિક સમીકરણો
Delhi Heat Wave। ભીષણ ગરમી સામે દિલ્હી તંત્ર સક્રિય હીટ વેવ એક્શન પ્લાન હેઠળ લેવાયા કડક નિર્ણય
Vijay Wadettiwar| ટ્રમ્પ પરના હુમલાને ગણાવ્યો ‘જનતાનો જવાબ’! વિજય વડેટ્ટીવારના આ વિવાદાસ્પદ નિવેદનથી રાજકારણ ગરમાયું.
Exit mobile version