Sambhal Jama Masjid: સંભલ જામા મસ્જિદ કેસમાં ASIએ દાખલ કર્યો જવાબ, કહ્યું -અનેક વખત થયા ફેરફારો, મસ્જિદનું મૂળ સ્વરૂપ બદલાઈ ગયું ; કર્યા અનેક સવાલો…

Sambhal Jama Masjid: ભારતીય પુરાતત્વ ર્વેક્ષણ (ASI) એ શુક્રવારે જિલ્લા કોર્ટમાં જામા મસ્જિદ વિ હરિહર મંદિર કેસમાં પોતાનો જવાબ રજૂ કર્યો. ASIએ કહ્યું કે વિવાદિત સ્થળ 1920થી તેમની સુરક્ષા હેઠળ છે. સમયાંતરે, મસ્જિદ સમિતિએ એએસઆઈના સર્વેક્ષણના પ્રયત્નોમાં અવરોધ ઊભો કર્યો. આ સાથે મસ્જિદના બંધારણમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.

by kalpana Verat
Sambhal Jama Masjid Archaeological body flags alterations to Sambhal mosque, hurdles in inspection

News Continuous Bureau | Mumbai

Sambhal Jama Masjid: ઉત્તર પ્રદેશના સંભલની જામા મસ્જિદને હરિ મંદિર હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જે બાદ 24 નવેમ્બરે એક ટીમ શાહી જામા મસ્જિદના સર્વે માટે સંભલ પહોંચી હતી. ત્યાંના લોકોએ સર્વે કરવા આવેલી ટીમ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જે બાદ હિંસા વધી હતી, જેમાં 4 લોકોના મોત થયા હતા. આ બધા વચ્ચે આજે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ સંભલની શાહી જામા મસ્જિદ અંગે કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી છે. 

Sambhal Jama Masjid: મસ્જિદનું મૂળ સ્વરૂપ બદલાઈ ગયું 

 ASIએ પોતાના આ એફિડેવિટમાં મસ્જિદમાં ગેરકાયદે બાંધકામની વાત કરી છે. ASIએ જણાવ્યું કે ગેરકાયદે બાંધકામને કારણે મસ્જિદનું મૂળ સ્વરૂપ બદલાઈ ગયું છે. એએસઆઈએ કહ્યું કે પાછળના ભાગમાં મુખ્ય ગુંબજની છત પર નવું બાંધકામ કરવામાં આવ્યું છે. મધ્ય કમાનની ઉપર ત્રણ શિખરો મૂકવામાં આવ્યા છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે નવા બાંધકામને લઈને ASI દ્વારા જામા મસ્જિદની કમિટી સામે રિપોર્ટ પણ દાખલ કરવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  Sambhal Jama Masjid Survey: સંભલમાં શાહી મસ્જિદના સર્વેને લઈને હંગામો, ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો; હિંસામાં આટલા લોકોના થયા મોત, ઈન્ટરનેટ અને શાળાઓ બંધ..

Sambhal Jama Masjid: 1920 થી મસ્જિદના સંરક્ષણ અને જાળવણીની જવાબદારી

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ  (ASI) એ એફિડેવિટમાં એમ પણ કહ્યું છે કે તેમની ટીમને જામા મસ્જિદમાં પ્રવેશતા અટકાવવામાં આવી હતી. અંદર જવા દેવામાં આવી નહોતી. તેમણે કહ્યું કે અમારી પાસે 1920 થી આ મસ્જિદના સંરક્ષણ અને જાળવણીની જવાબદારી છે. આ પછી પણ અમારી ટીમને મસ્જિદ જવાથી રોકી દેવામાં આવી છે. તેથી, હાલમાં અમારી પાસે વર્તમાન ફોર્મ વિશે માહિતી નથી.

Sambhal Jama Masjid:  એએસઆઈ પાસે નથી કોઈ માહિતી 

એએસઆઈએ કોર્ટને જણાવ્યું કે જ્યારે પણ ટીમ મસ્જિદનું નિરીક્ષણ કરવા ગઈ ત્યારે વાંધો ઉઠાવીને તેમને આગળ જતા અટકાવવામાં આવ્યા. જેના કારણે એએસઆઈ પાસે હાલમાં મસ્જિદ પરિસરમાં ચાલતા આંતરિક બાંધકામ અંગે કોઈ માહિતી નથી. ASIએ 1998માં આ મસ્જિદની મુલાકાત લીધી હતી. સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસની મદદથી છેલ્લી વખત ASI અધિકારીઓની ટીમ આ વર્ષે જૂનમાં મસ્જિદમાં પ્રવેશવામાં સફળ રહી હતી.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More