Sanatana Dharma Row : ઉદયનિધિ અને એ.રાજાને સુપ્રીમ કોર્ટનો ઝટકો, જારી કરી નોટિસ, માંગ્યો જવાબ..

Sanatana Dharma Row : તમિલનાડુ સરકારના મંત્રી ઉદયનિદિન સ્ટાલિન, એ રાજા અને ડીએમકેના અન્ય નેતાઓ સામે એફઆઈઆર નોંધવા માટે દાખલ કરવામાં આવેલી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે ત્રણેય નેતાઓને નોટિસ પણ પાઠવી છે.

by kalpana Verat
Sanatana Dharma Row : Supreme Court issues notice to Tamil Nadu govt, Udhayanidhi Stalin

News Continuous Bureau | Mumbai 

Sanatana Dharma Row : તમિલનાડુ (Tamilnadu) ના સીએમ એમકે સ્ટાલિન (CM MK Stalin) ના પુત્ર ઉધયનિધિ (Udayanidhi) એ તાજેતરમાં સનાતન ધર્મ (Sanatana Dharma) ને નષ્ટ કરવા અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ મુદ્દો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સર્વોચ્ચ અદાલતે આ મામલે ઉધયનિધિ સ્ટાલિનને નોટિસ (Notice) પાઠવીને જવાબ માંગ્યો છે. આ સિવાય તમિલનાડુની સત્તાધારી પાર્ટી ડીએમકેને પણ નોટિસ આપવામાં આવી છે. કોર્ટે પૂછ્યું છે કે તમે આવું નિવેદન કેમ આપ્યું અને તેની શું જરૂર હતી. મદ્રાસ હાઈકોર્ટના વકીલ દ્વારા દાખલ કરવામાં આવેલી પીઆઈએલની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો છે.

કોર્ટે જારી કરી નોટિસ

સનાતન ધર્મને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરવાના મામલે સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારના મંત્રી અને રાજ્યના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર ઉધયનિધિ સ્ટાલિનને નોટિસ પાઠવી છે. તેમના સિવાય સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકાર, એ રાજા, સીબીઆઈ અને અન્ય પક્ષકારોને પણ નોટિસ પાઠવી છે. પરંતુ અરજદારને એમ પણ કહ્યું કે તમારી પાસે પહેલા હાઈકોર્ટમાં જવાનો વિકલ્પ છે. બેન્ચે પૂછ્યું, તમે અહીં કેમ આવ્યા? તમારે હાઈકોર્ટમાં જવું જોઈએ. તમારી માંગ છે કે આ મામલે FIR નોંધવામાં આવે. તમે અમને પોલીસ સ્ટેશન ગણ્યા છે. આના પર અરજદારનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલે કહ્યું કે નફરતભર્યા ભાષણના ઘણા કેસ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. તેમણે કહ્યું, જ્યારે રાજ્ય પોતે જ કોઈ ધર્મને ખતમ કરવાની વાત કરે છે અને બાળકોને તેની વિરુદ્ધ બોલવા માટે પ્રેરિત કરે છે, ત્યારે સુપ્રીમ કોર્ટ જ એકમાત્ર એવી જગ્યા છે જ્યાં તેનો ઉકેલ લાવી શકાય છે.

સુપ્રીમ કોર્ટે આમાં હસ્તક્ષેપ કરવાની જરૂર

વકીલે કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા એક પરિપત્ર પણ જારી કરવામાં આવ્યો છે, જેમાં બાળકોને સનાતન ધર્મ વિરુદ્ધ બોલવાની અપીલ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આ એવો મામલો છે જ્યારે કોઈ બંધારણીય સંસ્થા કોઈની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી રહી હોય. સુપ્રીમ કોર્ટે આમાં હસ્તક્ષેપ કરવાની જરૂર છે. આ દલીલો સાથે સંમત થતા કોર્ટે અરજી સ્વીકારી લીધી અને ઉધયનિધિ સ્ટાલિન, તમિલનાડુ સરકાર અને ડીએમકેને નોટિસ જારી કરી.

આ સમાચાર પણ વાંચો : ODI World Cup 2023: વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયાની નવી જર્સી જાહેર, જર્સી પર ભારતની આ IT બ્રાન્ડનું દેખાશે નામ, જુઓ તસવીર.. જાણો વિગતે અહીં..

ભારતીય જનતા પાર્ટી (BJP)એ આ મુદ્દે સાધ્યું નિશાન

યુવા કલ્યાણ અને રમતગમત વિકાસ મંત્રીએ અગાઉ તેમની સનાતન ધર્મ વિરોધી ટિપ્પણીઓથી વિવાદ ઉભો કર્યો હતો, જેના કારણે સમગ્ર દેશમાં ભારે ચર્ચા થઈ હતી. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટી (BJP)એ આ મુદ્દે તેમના પર નિશાન સાધ્યું હતું. ઉધયનિધિ સ્ટાલિને તાજેતરમાં મુખ્ય વિપક્ષી પાર્ટી AIADMK પાસે સનાતન ધર્મ પર પોતાનું વલણ સ્પષ્ટ કરવા માંગ કરી હતી, એમ કહીને કે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને દ્રવિડ ચળવળના નેતા સીએન અન્નાદુરાઈએ તેનો (સનાતન) સખત વિરોધ કર્યો હતો. ઉધયનિધિએ કહ્યું કે તેમણે સનાતન વિશે એવું કંઈ કહ્યું નથી જે પેરિયાર ઈવી રામાસામી, બીઆર આંબેડકર અને અન્નાદુરાઈએ કહ્યું નથી.

તમને જણાવી દઈએ કે 2 સપ્ટેમ્બરે એક કાર્યક્રમમાં ઉધયનિધિ સ્ટાલિને સનાતન ધર્મને ખતમ કરવાની વાત કરી હતી, જેના કારણે હોબાળો થયો હતો. ભાજપે આ અંગે ભારત ગઠબંધન પર પ્રહારો કર્યા હતા અને કોંગ્રેસ પાસેથી જવાબ પણ માંગ્યો હતો.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More