Site icon News Continuous Bureau

ભાગેડુ વિજય માલ્યા રાતા પાણીએ રડશે, સુપ્રીમ કોર્ટે આ અરજી ફગાવી આપ્યો ડબલ ફટકો…

ભાગેડુ વિજય માલ્યાને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. મુંબઈ કોર્ટે તેમની સંપત્તિ જપ્ત કરવા અંગેનો ચુકાદો આપ્યો હતો. માલ્યાએ તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, પરંતુ ત્યાંથી તેને કોઈ રાહત મળી નથી. એટલે કે તેની મિલકત જપ્ત કરવાનો રસ્તો હવે વધુ મોકળો થઈ ગયો છે.

SC junks Vijay Mallya’s plea against bid to declare him fugitive economic offender

ભાગેડુ વિજય માલ્યા રાતા પાણીએ રડશે, સુપ્રીમ કોર્ટે આ અરજી ફગાવી આપ્યો ડબલ ફટકો…

News Continuous Bureau | Mumbai

ભાગેડુ વિજય માલ્યાને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. મુંબઈ કોર્ટે તેમની સંપત્તિ જપ્ત કરવા અંગેનો ચુકાદો આપ્યો હતો. માલ્યાએ તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, પરંતુ ત્યાંથી તેને કોઈ રાહત મળી નથી. એટલે કે તેની મિલકત જપ્ત કરવાનો રસ્તો હવે વધુ મોકળો થઈ ગયો છે.

Join Our WhatsApp Community

વાસ્તવમાં, સુપ્રીમ કોર્ટે વિજય માલ્યાની તે અરજીને ફગાવી દીધી છે જેમાં મુંબઈની એક અદાલતે માલ્યાને ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરીને તેની સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહીને પડકારી હતી. એટલે કે માલ્યાને એક સાથે બે મોટા આંચકા લાગ્યા છે. એક તરફ તે આર્થિક ગુનેગાર જ રહેશે અને તેની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવશે.

મોટી વાત એ છે કે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન માલ્યાના વકીલે દાવો કર્યો છે કે તેમને તેમના અસીલ પાસેથી કોઈ માહિતી મળી નથી. તેઓ પોતે અંધારામાં છે. આવી સ્થિતિમાં માલ્યાને આ કેસમાં ફટકો પડવો અનિવાર્ય હતો. કારણ કે તેમના માટે લડતા વકીલો પોતે ઘણા મુદ્દાઓ પર સ્પષ્ટ ન હતા. જો કે, આ પહેલીવાર નથી જ્યારે માલ્યાના વકીલો અંધારામાં રહ્યા હોય અને કોર્ટે ભાગેડુને આંચકો આપ્યો હોય.

ભાગેડુ વિજય માલ્યાને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. મુંબઈ કોર્ટે તેમની સંપત્તિ જપ્ત કરવા અંગેનો ચુકાદો આપ્યો હતો. માલ્યાએ તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, પરંતુ ત્યાંથી તેને કોઈ રાહત મળી નથી. એટલે કે તેની મિલકત જપ્ત કરવાનો રસ્તો હવે વધુ મોકળો થઈ ગયો છે.

વાસ્તવમાં, સુપ્રીમ કોર્ટે વિજય માલ્યાની તે અરજીને ફગાવી દીધી છે જેમાં મુંબઈની એક અદાલતે માલ્યાને ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરીને તેની સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહીને પડકારી હતી. એટલે કે માલ્યાને એક સાથે બે મોટા આંચકા લાગ્યા છે. એક તરફ તે આર્થિક ગુનેગાર જ રહેશે અને તેની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો  :  ઉનાળાની શરૂઆતમાં જ માવઠું, મહારાષ્ટ્રના આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ તો મુંબઈમાં… જાણો હવામાન વિભાગની આગાહી..

કોર્ટે શું કહ્યું:

જસ્ટિસ અભય એસ. ઓકા અને રાજેશ બિંદલની બેન્ચે કહ્યું- અરજદારના વકીલનું કહેવું છે કે અરજદાર તેને કોઈ સૂચના આપી રહ્યો નથી. આ નિવેદનને ધ્યાનમાં રાખીને, અરજી ફગાવી દેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે 5 જાન્યુઆરી, 2019 ના રોજ મુંબઈની એક વિશેષ અદાલતે માલ્યાને કાયદા હેઠળ ‘ભાગેડુ’ જાહેર કર્યા હતા. કાયદાની જોગવાઈઓ હેઠળ, એકવાર વ્યક્તિ ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કર્યા પછી, ફરિયાદી એજન્સી પાસે તેની મિલકત જપ્ત કરવાની સત્તા છે.

એક અલગ કેસમાં, 11 જુલાઈ, 2022 ના રોજ, સુપ્રીમ કોર્ટે વિજય માલ્યાને અદાલતની અવમાનના બદલ ચાર મહિનાની જેલની સજા સંભળાવી. સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે માલ્યાએ ક્યારેય પોતાના વર્તન માટે કોઈ પસ્તાવો કર્યો નથી કે માફી માંગી નથી.

જણાવી દઈએ કે વિજય માલ્યા માર્ચ 2016માં દેશ છોડીને બ્રિટન ભાગી ગયો હતો. માલ્યા પર ભારતમાં ₹9000 કરોડના બહુવિધ ડિફોલ્ટ કેસ છે. માલ્યાની એરલાઇન કંપની કિંગફિશર એરલાઇન્સ (KFA)ને દેશની સૌથી મોટી બેંક SBI સહિત અનેક બેંકોએ લોન આપી હતી.

Noida Workers’ Protest: નોઈડામાં મજૂર આક્રોશનું અસલી કારણ શું? વેતન વધારો અને ગ્રેજ્યુઇટી સહિતની આ માંગણીઓ પર મચ્યો છે સંગ્રામ
Wheat Crop India :ઘઉંની નવી સિઝનના પ્રારંભે જ માવઠાંનો માર અને નિકાસ બેહાલ
US Blockade on Iranian Ports: ટ્રમ્પનો પ્લાન: ઈરાનના આ 4 વ્યૂહાત્મક સ્થળો પર અમેરિકા કરશે નાકાબંધી, યુદ્ધના જોખમ વચ્ચે મોટું પગલું.
Iran Representative in India Statement: હોર્મુઝ ખોલવા ઈરાન તૈયાર! ભારતમાં પ્રતિનિધિએ જણાવી ખાસ શરત; જાણો શું છે ઈરાનની માંગ
Exit mobile version