Site icon

ભારતે 31 જુલાઈ સુધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ લંબાવ્યો

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

3 જુલાઈ 2020

કોરોના વાયરસના વધતા જતા સંક્રમણને ધ્યાનમાં લઇને ભારત સરકારે 24 માર્ચથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ બંધ કરી દીધી હતી. આ દરમિયાન લાખો ભારતીયો વિદેશમાં ફસાઈ ગયા હતા. જુલાઈમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ થવાની ધારણા હતી, પરંતુ હવે કેન્દ્ર સરકારે આ સંદર્ભમાં નવો આદેશ જારી કર્યો છે. જે અંતર્ગત ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર લગાવવામાં આવેલો પ્રતિબંધ 31 જુલાઈ સુધી વધારી દેવામાં આવ્યો છે. જોકે પહેલાં આ પ્રતિબંધ 15 જુલાઈ સુધીનો રાખવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ 31 જુલાઈ સુધી લંબાવી દેવામાં આવ્યો છે. આ સમય દરમિયાન ન તો કોઈ કોમર્શિયલ ફ્લાઇટ ભારત આવશે અને ન અહીંથી રવાના થશે. પરંતુ આ નિર્ણય કાર્ગો વિમાનો પર લાગુ થશે નહીં. ડીજીસીએના જણાવ્યા અનુસાર, વંદે ભારત મિશન અંતર્ગત એર ઇન્ડિયા પોતાનાં વિમાનોનું સંચાલન કરી શકશે. નોંધનીય છે કે આ મિશન અંતર્ગત 3 લાખથી વધુ લોકોને ભારત પરત લાવવામાં આવ્યા છે…. 

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2VKmd8S  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com        

New Education Policy: યુપીમાં ક્રાંતિકારી શિક્ષણ નીતિ: હવે બાળકો બેગ વગર સ્કૂલે જશે! જાણો શું છે ‘બેગલેસ ડે’ની યોજના
Ram Temple Flag Hoisting: રામ મંદિર ધ્વજારોહણનું 30 મિનિટનું પવિત્ર મુહૂર્ત જાહેર, VIP મહેમાનો એ કરવી પડશે આ નિયમ નું પાલન
Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Exit mobile version