News Continuous Bureau | Mumbai
Shankaracharya on Ram Mandir અયોધ્યા રામ મંદિરમાં દાન ચોરીના કથિત વિવાદ વચ્ચે, દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીએ મંદિરના વ્યવસ્થાપનને લઈને મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે.
Shankaracharya on Ram Mandir – ‘સનાતન બોર્ડ’ ની જરૂરિયાત
શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીએ જણાવ્યું છે કે રામ મંદિર કે અન્ય મુખ્ય ધાર્મિક સ્થળો પર જે પ્રકારના આક્ષેપો સામે આવી રહ્યા છે તે અત્યંત દુઃખદ છે. આવી ઘટનાઓ ફરી ન બને તે માટે તેમણે સમગ્ર દેશના ધાર્મિક સ્થળોના સંચાલન માટે એક સ્વતંત્ર અને સર્વમાન્ય ‘સનાતન ધર્મ સંરક્ષણ સમિતિ’ અથવા ‘સનાતન બોર્ડ’ ની રચના કરવાની હિમાયત કરી છે. તેમના મતે, આ બોર્ડમાં ચારેય શંકરાચાર્યો, પાંચ વૈષ્ણવાચાર્યો અને અન્ય માન્ય સંતોનો સમાવેશ થવો જોઈએ.
Shankaracharya on Ram Mandir – ધર્મ અને રાજનીતિ વચ્ચે તફાવત
શંકરાચાર્યજીએ સ્પષ્ટ કર્યું કે ધાર્મિક સ્થળોનું સંચાલન એવા લોકોના હાથમાં હોવું જોઈએ જેમને શાસ્ત્રો, પરંપરાઓ અને વિધિ-વિધાનનું ઊંડું જ્ઞાન હોય. માત્ર વહીવટી દૃષ્ટિકોણથી મંદિર ચલાવવાથી ધાર્મિક મૂલ્યો જળવાતા નથી. તેમણે અયોધ્યા, દ્વારકા, બદ્રીનાથ અને તિરુપતિ જેવા સ્થળોનો ઉલ્લેખ કરતા કહ્યું કે સરકારો આ સ્થળોને માત્ર પર્યટન કેન્દ્ર (Tourism center) તરીકે જુએ છે, પરંતુ વાસ્તવમાં તે આધ્યાત્મિક ઉર્જાના કેન્દ્રો છે.
Shankaracharya on Ram Mandir – સરકારી નિયંત્રણ પર સવાલ
સરકારો ધર્મનિરપેક્ષ હોવાથી મંદિર સંચાલન પર તેમનો સીધો કાબૂ હોવો યોગ્ય નથી, તેવો મત તેમણે વ્યક્ત કર્યો છે. તેમણે દલીલ કરી હતી કે જો મસ્જિદો, ચર્ચો અને ગુરુદ્વારાઓના સંચાલનમાં સરકાર સીધો હસ્તક્ષેપ કરતી નથી, તો માત્ર હિન્દુ મંદિરો પર જ સરકારી નિયંત્રણ કેમ? તેમણે મંદિરોને સરકારી નિયંત્રણમાંથી મુક્ત કરીને યોગ્ય ધાર્મિક સંસ્થાઓને તેનું સંચાલન સોંપવાની અપીલ કરી છે, જેથી આસ્થાવાન લોકોની લાગણી દુભાય નહીં અને મંદિરની પવિત્રતા જળવાઈ રહે.
👉 આ સમાચાર વાચો:
Tips to get glowing skin મોંઘા ફેશિયલને કહો બાયબાય દહીંમાં આ એક વસ્તુ ભેળવીને લગાવો, ચહેરા પર આવશે કુદરતી ગુલાબી નિખાર