Nayi Chetna 3.0: આવતીકાલે નવી દિલ્હીમાં લિંગ આધારિત હિંસા સામેનું ‘આ’ રાષ્ટ્રીય અભિયાન થશે શરૂ, કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ કરાવશે શુભારંભ..

Nayi Chetna 3.0: કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ 25 નવેમ્બર, 2024ના રોજ નવી દિલ્હીમાં લિંગ આધારિત હિંસા સામેનું રાષ્ટ્રીય અભિયાન ‘નયી ચેતના 3.0 – પહેલ બદલાવ કી’ શરૂ કરશે. કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવી પણ શુભારંભ કાર્યક્રમની શોભા વધારશે. નયી ચેતના અભિયાનનો ઉદ્દેશ લિંગ આધારિત હિંસા સામે જાગૃતિ ફેલાવવાનો અને પાયાના સ્તરની પહેલ દ્વારા સુમાહિતગાર કાર્યવાહી કરવાનો છે. આ વર્ષે આ અભિયાનનું સૂત્ર "એક સાથ, એક આવાઝ, હિંસા કે ખિલાફ" છે. ગ્રામીણ વિકાસ મંત્રાલયના નેજા હેઠળ દીનદયાળ અંત્યોદય યોજના - રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન દ્વારા આયોજિત એક મહિના સુધી ચાલનારું આ અભિયાન છે

by Hiral Meria
Shivraj Singh Chouhan will launch the National Campaign against Gender Based Violence 'Nayi Chetna 3.0 – pehle Badlav Ki'

 News Continuous Bureau | Mumbai

Nayi Chetna 3.0:  કેન્દ્રીય ગ્રામીણ વિકાસ તથા કૃષિ તથા ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ 25 નવેમ્બર, 2024ના રોજ નવી દિલ્હીના સંસદ માર્ગ સ્થિત આકાશવાણીના રંગ ભવન ઓડિટોરિયમમાં લિંગ-આધારિત હિંસા વિરુદ્ધ રાષ્ટ્રીય અભિયાન નયી ચેતના – પહેલ બદલાવ કીના ત્રીજા સંસ્કરણનો શુભારંભ કરશે. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી પણ લિંગ-આધારિત હિંસાને નાબૂદ કરવા માટે સરકારના સામૂહિક પ્રયાસોમાં આ કાર્યક્રમમાં હાજરી આપશે. 

ગ્રામીણ વિકાસ મંત્રાલયના નેજા હેઠળ દીનદયાળ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન ( DAY-NRLM ) દ્વારા આયોજિત એક મહિના સુધી ચાલનારું આ અભિયાન 23 ડિસેમ્બર, 2024 સુધી તમામ ભારતીય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચાલશે. ડીએવાય-એનઆરએલએમના વિસ્તૃત સ્વ-સહાય જૂથ (એસએચજી) નેટવર્કની આગેવાની હેઠળની આ પહેલ જન આંદોલનની ભાવનાને મૂર્તિમંત કરે છે.

આ ( Nayi Chetna 3.0 ) અભિયાન “સંપૂર્ણ સરકારી” અભિગમની ભાવનામાં સંયુક્ત પ્રયાસ છે અને તેમાં 9 મંત્રાલયો/વિભાગો જેવા કે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ, ગૃહ મંત્રાલય, પંચાયતી રાજ મંત્રાલય, સામાજિક ન્યાય અને સશક્તીકરણ મંત્રાલય, યુવા બાબતો અને રમતગમત મંત્રાલય તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલય તથા ન્યાય વિભાગનો સમાવેશ થાય છે.

આ સમાચાર પણ વાંચો : Amit Shah NCDC: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનું NCDCની 91મી જનરલ કાઉન્સિલની બેઠકને સંબોધન, આ મિલોની નાણાકીય ક્ષમતા વધારવા મૂક્યો પ્રસ્તાવ..

નયી ચેતના અભિયાનનો ( Shivraj Chouhan ) ઉદ્દેશ જાગૃતિ વધારવાનો અને પાયાના સ્તરે પહેલ દ્વારા લિંગ-આધારિત હિંસા સામે માહિતગાર પગલાં લેવાનો છે. તેની શરૂઆતથી, નયી ચેતનાએ દેશભરમાં લાખો લોકોને એકઠા કર્યા છે, જેણે લિંગ ( Gender Based Violence ) સમાનતા અને મહિલા સશક્તીકરણ માટે નોંધપાત્ર ચળવળને પ્રોત્સાહન આપ્યું છે. પ્રથમ આવૃત્તિ 3.5 કરોડ લોકો સુધી પહોંચી હતી, જેને બહુવિધ લાઇન મંત્રાલયો દ્વારા ટેકો આપવામાં આવ્યો હતો, જ્યારે નયી ચેતના 2.0માં 31 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 5.5 કરોડ સહભાગીઓને સામેલ કરવામાં આવ્યા હતા, જેમાં 9 લાખથી વધુ લિંગ-આધારિત હિંસા પર રાષ્ટ્રવ્યાપી જાગૃતિ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.

નયી ચેતના 3.0ના ઉદ્દેશ્યોમાં લિંગ આધારિત હિંસાના તમામ સ્વરૂપો અંગે જાગૃતિ લાવવી, સમુદાયોને બોલવા અને પગલાં ભરવાની માંગ કરવા માટે પ્રોત્સાહિત કરવા, સમયસર સહાય માટે સપોર્ટ સિસ્ટમની સુલભતા પ્રદાન કરવી અને સ્થાનિક સંસ્થાઓને હિંસા સામે નિર્ણાયક રીતે કાર્ય કરવા માટે સશક્ત બનાવવાનો સમાવેશ થાય છે. આ ઝુંબેશનું સૂત્ર, “એક સાથ, એક આવાઝ, હિંસા કે ખિલાફ” એ સમગ્ર સમાજ અને સમગ્ર સરકારી અભિગમને અપનાવીને, સંપાત પ્રયત્નો દ્વારા સામૂહિક કાર્યવાહીની હાકલને મૂર્તિમંત કરે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More