PMEGP એકમોની પ્રત્યક્ષ ચકાસણી માટે KVIC અને પોસ્ટ વિભાગ વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર

PMEGP:પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે, ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (KVIC), સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય (MSME)

by Akash Rajbhar
Signing of MoU between KVIC and Department of Posts for direct inspection of PMEGP units

News Continuous Bureau | Mumbai

  • KVIC, રાજઘાટ નવી દિલ્હી કાર્યાલય ખાતે બંને વિભાગના અધિકારીઓ દ્વારા એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા
  • પ્રધાનમંત્રીના વિઝન મુજબ, KVIC ‘સરકારથી સરકાર’ની કાર્ય સંસ્કૃતિને પ્રોત્સાહન આપી રહ્યું છે, KVICના અધ્યક્ષ શ્રી મનોજ કુમારે જણાવ્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે, ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (KVIC), સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય (MSME) એ સંચાર મંત્રાલય હેઠળ કાર્યરત પોસ્ટ વિભાગ સાથે KVIC, રાજઘાટ નવી દિલ્હી ઓફિસ ખાતે મંગળવારે એક મહત્વપૂર્ણ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા. આ અંતર્ગત, દેશભરમાં કાર્યરત ટપાલ વિભાગના કર્મચારીઓ પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ (PMEGP) હેઠળ દેશભરમાં સ્થાપિત થઈ રહેલા નવા એકમોની પ્રત્યક્ષ ચકાસણી કરશે. KVIC પોસ્ટલ વિભાગના કર્મચારીઓને પ્રત્યક્ષ ચકાસણી માટે તાલીમ પણ આપશે.

DSC_0756.JPG

કેવીઆઈસીના ચેરમેન શ્રી મનોજ કુમાર, જેટી સેક્રેટરી, એમએસએમઇ શ્રી વિપુલ ગોયલ, સીઈઓ શ્રી વાત્સલ્ય સક્સેના અને જનરલ મેનેજર, પોસ્ટ વિભાગ, સુશ્રી મનીષા બંસલ બાદલની ઉપસ્થિતિમાં આ એમઓયુ પર ડેપ્યુટી જનરલ મેનેજર, ડો. અમનપ્રીત સિંઘ અને કેવીઆઈસી વતી પીએમઈજીપીના ડેપ્યુટી સીઈઓ શ્રી રાજન બાબુએ હસ્તાક્ષર કર્યા હતા. તેના માધ્યમથી કેવીઆઈસીને દેશભરમાં ફેલાયેલી 1,65,000 પોસ્ટ ઓફિસની સેવાઓનો લાભ મળશે, જેમાંથી 139,067 ગ્રામીણ વિસ્તારોમાં કામ કરી રહી છે.

DSC_0740.JPG

આ પ્રસંગે કેવીઆઇસીના ચેરમેન શ્રી મનોજ કુમારે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિઝન મુજબ કેવીઆઇસીએ બંને સરકારી વિભાગો વચ્ચે સહકારી કાર્ય સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા ટપાલ વિભાગ સાથે આ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. આના માધ્યમથી કેવીઆઈસીને દેશભરમાં ફેલાયેલા પોસ્ટલ ડિપાર્ટમેન્ટના 150 વર્ષથી વધુ જૂના કોમ્યુનિકેશન નેટવર્કનો લાભ મળશે. આના દ્વારા પીએમઈજીપી એકમોના ફિઝિકલ વેરિફિકેશનની સાથે માર્જિન મની સબસિડીનું પણ ઝડપી ગતિએ સમાધાન કરવામાં આવશે. કેવીઆઈસીના અધ્યક્ષે કહ્યું કે પીએમઇજીપીએ દેશભરમાં ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપ્યું છે અને રોજગારની નવી તકો ઉભી કરી છે. આ યોજનાની શરૂઆતથી પીએમઈજીપીએ 9.69 લાખથી વધારે નવા પ્રોજેક્ટ્સની સ્થાપનાને ટેકો આપ્યો છે અને 84.64 લાખથી  વધુ ઉદ્યોગસાહસિકો માટે રોજગારીનું સર્જન કર્યું  છે. 69021.29 કરોડની લોન સામે અત્યાર સુધીમાં આ યોજના દ્વારા 25563.44 કરોડ રૂપિયાની માર્જિન મની સબસિડી વહેંચવામાં આવી છે. ગત નાણાકીય વર્ષ 2023-24માં જ પીએમઇજીપીએ 9.80 લાખથી વધુ ઉદ્યોગસાહસિકો માટે રોજગારીનું સર્જન કર્યું છે અને રૂ.3093 કરોડથી વધુની માર્જિન મની સબસિડી વહેંચી છે .

DSC_0770.JPG

કેવીઆઈસીના અધ્યક્ષે વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લાં 10 વર્ષમાં પૂજ્ય બાપુનો વારસો ખાદી એક વિકસિત ભારતની ગેરન્ટી બની ગઈ છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને એમએસએમઈ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં સૌપ્રથમવાર ખાદી અને ગ્રામોદ્યોગનું ટર્નઓવર 1 લાખ 55 હજાર કરોડના આંકડાને પાર કરી ગયું છે. પ્રધાનમંત્રીના બ્રાન્ડ પાવરને કારણે ખાદી અને ગ્રામોદ્યોગના ઉત્પાદનોના વેચાણમાં પાંચ ગણો વધારો થયો છે અને છેલ્લા 10 વર્ષમાં ઉત્પાદનમાં ચાર ગણો વધારો થયો છે. આ સેક્ટરમાં પહેલીવાર 10.17 લાખ નવી નોકરીઓનું સર્જન થયું છે. આ કાર્યક્રમમાં પોસ્ટ વિભાગ અને કેવીઆઈસીના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

DSC_0792.JPG

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More