Site icon

તો હવે કોવીશિલ્ડનો બીજો ડોઝ લેવાની મુદત ૯૦ દિવસની થશે?

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૦૭ મે 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

સીરમ ઇન્સ્ટીટયુટ અને ઓક્ષ્ફર્ડ એસ્ટ્રાજેનેકા સાથે બનાવેલી કોરોનાની વેક્સીન કોવીશિલ્ડનો બીજો ડોઝ લેવાની મુદત વિષે હજી પણ ચર્ચાવિચારના ચાલુ છે. હાલમાં આ મુદત ૨૮ દિવસથી ૪૫ દિવસની છે. તે વધારીને ૧૨ અઠવાડિયાની કરવામાં આવે તેવી શક્યતા છે. કેન્દ્ર સરકારે નીમેલી તજજ્ઞોની સમિતિ આ બાબતે સંશોધન કરી રહી છે.

રસી ઉપર અભ્યાસ કરી રહેલી સમિતિનું તારણ છે કે ૬ અઠવાડિયા બાદ જો બીજો ડોઝ આપવામાં આવે તો તેનું અસરકારતા ૫૫.૧% અને જો ૧૨ અઠવાડિયા બાદ આપવામાં આવે તો તેની અસરકારતા ૮૧.3% છે. જો આ અંતર વધારવામાં આવે તો મુખ્યત્વે બે ફાયદા થશે. પહેલો કે જો અંતર વધે તો કંપનીને વેક્સીનનો પુરવઠો તૈયાર કરવા માટે વધુ સમય મળશે અને બીજો કે પ્રથમ ડોઝ માટે વધુ રસી ઉપલબ્ધ થશે.

અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને કોરોના ભરખી ગયો. એઇમ્સમાં લીધા અંતિમ શ્વાસ.
 

ઉલ્લેખનીય છે કે આની પહેલા ભારત બાયોટેકની કોવેક્સીનનો બીજો ડોઝ આપવાની મુદત પણ વધારવામાં આવી હતી. હવે લોકોમાં શું સરકાર વેક્સીનની વધતી માગને પહોંચીવળવા તો આમ નથી કરી રહી?

Middle East Tension: યુદ્ધના મેદાનમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષા માટે માસ્ટર પ્લાન! વિદેશ મંત્રાલયે શરૂ કર્યો ૨૪x૭ કંટ્રોલ રૂમ; હેલ્પલાઈન નંબર સેવ કરી લેજો..
Middle East Conflict: દુશ્મનોના હુમલા થશે નિષ્ફળ! મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ભારત રશિયા પાસેથી ખરીદશે વધુ S-400 મિસાઈલ સિસ્ટમ; જાણો કેમ આ ડીલ છે ખાસ.
India Faces Major LPG Crisis: ભારતના રસોડા પર યુદ્ધની અસર: ઈરાન-અમેરિકા તણાવથી LPG પુરવઠા પર મોટું સંકટ; જાણો દેશમાં હવે કેટલા દિવસનો સ્ટોક બાકી?
SpiceJet Special Flights: વતન વાપસીની આતુરતા! યુએઈથી સ્પેશિયલ ફ્લાઈટ્સ શરૂ, પરંતુ કુવેતમાં ફસાયેલા ભારતીયોની વધી મુશ્કેલી; જાણો ગ્રાઉન્ડ રિપોર્ટ.
Exit mobile version