Site icon News Continuous Bureau | Mumbai

Soldier Compensation : કયા રાજ્યમાં કેટલા પૂર્વ સૈનિકો છે, શું શહીદોના પરિવારને સંપૂર્ણ વળતર મળે છે ખરું?

Soldier Compensation : શહીદોના પરિવારને મળેલા વળતર વિશે જાણો

Soldier Compensation How Many Ex-Servicemen in Each State, Did Martyrs' Families Receive Full Compensation

Soldier Compensation How Many Ex-Servicemen in Each State, Did Martyrs' Families Receive Full Compensation

News Continuous Bureau | Mumbai

Soldier Compensation : સરકારએ લોકસભામાં જણાવ્યું કે રક્ષા મંત્રાલય સરકારી કાગળોમાં ‘શહીદ’ શબ્દનો ઉપયોગ નથી કરતું. આ નિયમ તમામ સેનાઓ માટે એકસરખો છે. ભારતની સીમાઓની રક્ષા કરનારા પૂર્વ સૈનિકો અને શહીદો, દેશના સચ્ચા નાયક છે. તેમનો ત્યાગ, બલિદાન અને અદમ્ય સાહસ હંમેશા લોકોને પ્રેરિત કરે છે. તેઓ દેશની સુરક્ષા માટે પોતાનું બધું જ ન્યોછાવર કરી દે છે. પરંતુ, શું સરકારે સાચે જ તેમના માટે પૂરતી પેન્શન અને રોજગારના અવસરો સુનિશ્ચિત કર્યા છે?

Join Our WhatsApp Channel

Soldier Compensation : દેશમાં કુલ કેટલા પૂર્વ સૈનિકો

 31 માર્ચ 2023 સુધી ભારતમાં પૂર્વ સૈનિકોની કુલ સંખ્યા 27 લાખ 78 હજાર 951 છે. મોટાભાગના રાજ્યોમાં સેનામાંથી નિવૃત્ત થયેલા સૈનિકોની સંખ્યા નૌસેના અને વાયુસેના કરતાં ઘણી વધારે છે. પાયદળ સેનામાં કુલ 24 લાખ 2 હજાર 715 પૂર્વ સૈનિકો છે, જે કુલ સંખ્યાનો લગભગ 86.5% છે. નૌસેનામાં 1 લાખ 50 હજાર 393 પૂર્વ સૈનિકો (5.4%) અને વાયુસેનામાં 2 લાખ 25 હજાર 843 પૂર્વ સૈનિકો (8.1%) છે.

Soldier Compensation : કયા રાજ્યમાં સૌથી વધુ પૂર્વ સૈનિકો

 ઉત્તર પ્રદેશમાં પૂર્વ સૈનિકોની સંખ્યા સૌથી વધુ 4 લાખ 21 હજાર 145 છે. તેના પછી પંજાબમાં 3 લાખ 59 હજાર 464 અને રાજસ્થાનમાં 2 લાખ 9 હજાર 523 પૂર્વ સૈનિકો છે. અરુણાચલ પ્રદેશમાં પૂર્વ સૈનિકોની સંખ્યા સૌથી ઓછી 986 છે. જ્યારે સિક્કિમમાં 1075 અને અંડમાન નિકોબાર દ્વીપસમૂહમાં 1081 પૂર્વ સૈનિકો છે.

આ સમાચાર પણ વાંચો: Maharashtra Ready Reckoner Rates :મહાયુતિ સરકારનો ઘર ખરીદનારાઓને ઝટકો, 1 એપ્રિલથી રેડી રેકનર દરોમાં 5% વધારો

Soldier Compensation : શું સમયસર મળી રહી છે પેન્શન?

 જ્યારે કોઈ સૈનિક દેશની સેવા કરતા, સેના સાથે જોડાયેલા કારણોસર પોતાની જાન ગુમાવે છે, ત્યારે સરકાર તેમના પરિવારની મદદ માટે અનેક યોજનાઓ ચલાવે છે. આ યોજનાઓનો હેતુ એ છે કે સૈનિકના પરિવારને આર્થિક રીતે કોઈ મુશ્કેલી ન થાય. આવા દરેક મામલામાં સરકાર નિયમો અનુસાર પરિવારને ‘વિશેષ પારિવારિક પેન્શન’ અથવા ‘ઉદાર પારિવારિક પેન્શન’ આપે છે. આ પેન્શન પરિવારને દર મહિને મળે છે. પેન્શનની રકમ સૈનિકના પદ અને સેવા અવધિના આધારે નક્કી થાય છે. સરકારી રિપોર્ટ અનુસાર જ્યાં કાયદેસરનો વિખવાદ નહીં તેવા તમામ શહીદોને સમયસર પેન્શન મળે છે.

 

PM Modi Uzbekistan Kyrgyzstan Visit ૨૯ ઓગસ્ટથી ઉઝબેકિસ્તાનકિર્ગિઝસ્તાન પ્રવાસે PM મોદી, SCO સમિટમાં વૈશ્વિક નેતાઓ સાથે થશે મંથન
Delimitation 543 Seats Freeze સંસદમાં ફરી રાજકીય ગરમાવો ખડગેએ PM મોદીને પત્ર લખીને કરી લોકસભાની ૫૪૩ બેઠકો ૨૫ વર્ષ સુધી યથાવત રાખવાની માંગ
Nepal Floods MEA Update નેપાળ પૂર સંકટ પર MEA નું સત્તાવાર નિવેદન ૨૮૮ ભારતીયો સંપર્કવિહોણા, ૨૧ ને સુરક્ષિત બચાવાયા
National Law School Convocation Cancelled CJI અને BCI અધ્યક્ષના વિરોધનું પરિણામ? નેશનલ લો સ્કૂલે ૩૪મો દીક્ષાંત સમારોહ કેમ પડતો મૂક્યો?
Exit mobile version