કોરોનાના જોખમને ધ્યાનમાં રાખીને 21 દિવસના લોકડાઉનના સમર્થનમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ પીએમ મોદીને પત્ર લખ્યો છે.
સોનિયા ગાંધીએ પત્રમાં કેટલાક સૂચનો કરતા કહ્યુ છે કે, સરકાર દ્વારા તમામ ઈએમઆઈ પર 6 મહિનાની રોક લગાવવામાં આવે. આ દરમિયાન બેંકો વ્યાજ પણ માફ કરે.
સોનિયા ગાંધીએ એવો પણ આગ્રહ કર્યો છે કે, મોદી સરકાર દેશમાં ન્યાય( ન્યૂનતમ આવક ગેરંટી યોજના) લાગુ કરીને રોજગારીના સંકટનો સામનો કરી રહેલા ખેડૂતો તેમજ નાના વ્યવસાયીઓને રાહત આપવા માટે પગલા ભરે.