Site icon News Continuous Bureau | Mumbai

Vande Bharat : વંદે ભારતમાં જલ્દી જ ઊંઘતા-ઊંઘતા મુસાફરી કરી શકાશે, સ્લીપર ટ્રેન માટે સરકારે કરી મોટી જાહેરાત

Vande Bharat : દેશની સૌથી આધુનિક ટ્રેન વંદે ભારતની યાત્રા હવે વધુ આરામદાયક બનવા જઈ રહી છે. અત્યાર સુધી તમે વંદે ભારતમાં બેસીને પ્રવાસ કરતા હતા. પરંતુ 8 થી 10 કલાક સુધી બેસી રહેવું દરેક માટે સરળ નથી

Soon in India you will be able to travel while sleeping, the government has made a big announcement for the sleeper train

Soon in India you will be able to travel while sleeping, the government has made a big announcement for the sleeper train

News Continuous Bureau | Mumbai

Vande Bharat : દેશની સૌથી આધુનિક ટ્રેન વંદે ભારતની યાત્રા હવે વધુ આરામદાયક બનવા જઈ રહી છે. અત્યાર સુધી તમે વંદે ભારતમાં બેસીને પ્રવાસ કરતા હતા. પરંતુ 8 થી 10 કલાક સુધી બેસી રહેવું દરેક માટે સરળ નથી. આને ધ્યાનમાં રાખીને ભારતીય રેલ્વેએ મોટો નિર્ણય લીધો છે. હવે ટૂંક સમયમાં તમે વંદે ભારત ટ્રેનમાં આડા પડીને આરામથી મુસાફરી કરી શકશો. આ માટે ભારતીય રેલ્વે ટૂંક સમયમાં જ સ્લીપર કોચવાળી વંદે ભારત ટ્રેનને પાટા પર મૂકવાની તૈયારી કરી રહી છે. આ સ્લીપર્સ સાથે વંદે ભારત ટ્રેનોનું ઉત્પાદન જૂન 2025થી શરૂ થશે. એવું માનવામાં આવે છે કે આ ટ્રેનો 2025ના અંત સુધીમાં અથવા 2026માં પાટા પર આવી જશે.

Join Our WhatsApp Community

ટીટાગઢ રેલ સિસ્ટમ તૈયાર કરશે 80 વંદે ભારત 

વંદે ભારત સ્લીપર કોચ(sleeper coach) ફીટ કરેલી ટ્રેનોનું વાણિજ્યિક ઉત્પાદન જૂન, 2025 થી ટીટાગઢ રેલ સિસ્ટમ્સ લિમિટેડ (TRSL) ના ઉત્તરપારા પ્લાન્ટમાં શરૂ થશે. TRSLના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે જાહેર ક્ષેત્રની ઉપક્રમ BHEL સાથેના જોડાણને રેલવે દ્વારા વંદે ભારત સ્લીપર ટ્રેનોના 80 સેટ બનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. વંદે ભારતની આ સ્લીપર ટ્રેન હાલમાં કાર્યરત વંદે ભારત ટ્રેનથી અલગ હશે. જેમાં બેસવાની સીટને બદલે મુસાફરોને સૂવા માટે યોગ્ય સીટો લગાવવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : National Awards : દિવ્યાંગજનોના સશક્તિકરણ માટે રાષ્ટ્રીય પુરસ્કાર, સરકારે મંગાવી ઓનલાઈન ભલામણો, નામાંકન માટે આ છે છેલ્લી તારીખ

24000 કરોડનો પ્રોજેક્ટ 

આ ટ્રેનના 50-55 ટકા સ્પેરપાર્ટ્સ બંગાળમાં જ બનાવશે. આ જોડાણમાં TRSL 52 ટકા હિસ્સો ધરાવે છે. કંપનીના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ઉમેશ ચૌધરીએ(Umesh Chaudhary) જણાવ્યું કે રેલવે દ્વારા જોડાણને આપવામાં આવેલા કોન્ટ્રાક્ટનું કુલ મૂલ્ય રૂ. 24,000 કરોડ છે, જેમાં TRSLનો હિસ્સો રૂ. 12,716 કરોડ જેટલો છે. તેમણે કહ્યું કે આ કોન્ટ્રાક્ટ છ વર્ષમાં પૂર્ણ થશે.

ચૌધરીએ કહ્યું, “વંદે ભારત સ્લીપર ટ્રેનનું વ્યાપારી ઉત્પાદન જૂન, 2025થી શરૂ થશે અને તેના માટે ઉત્તરપારા પ્લાન્ટમાં જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ માટે 650 કરોડ રૂપિયાની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.” તેમણે કહ્યું કે વંદે ભારત સ્લીપર ટ્રેનનો પ્રથમ પ્રોટોટાઈપ બે વર્ષમાં તૈયાર કરવામાં આવશે. પ્રથમ આઠ ટ્રેનો સંપૂર્ણ રીતે ઉત્તરપારા પ્લાન્ટમાં બનાવવામાં આવશે જ્યારે બાકીની ટ્રેનોને રેલવેના ચેન્નઈ પ્લાન્ટમાં એસેમ્બલ કરવામાં આવશે.

887 મુસાફરો મુસાફરી કરી શકશે

વંદે ભારત સ્લીપર ટ્રેન એવી રીતે બનાવવામાં આવશે કે તે મહત્તમ 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે. તેમાં 16 કોચ લગાવવામાં આવશે, જેમાં કુલ 887 મુસાફરો એકસાથે મુસાફરી કરી શકશે. ચૌધરીએ કહ્યું કે 120 વંદે ભારત સ્લીપર ટ્રેનનો પુરવઠો અન્ય જોડાણ દ્વારા કરવામાં આવશે જેમાં રેલ વિકાસ નિગમ લિમિટેડ અને રશિયન કંપની TMHનો સમાવેશ થાય છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai Traffic: દહિસરથી ભાયંદર હવે 10 મિનિટમાં પહોંચી જવાશે, ફ્લાયઓવર માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ. આ કંપની પ્રોજેક્ટ પર કરશે કામ..

Pawan Khera: કોંગ્રેસ નેતા પવન ખેડાને રાહત કે આફત? સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટનો નિર્ણય પલટાવ્યો, નોટિસ પાઠવી માંગ્યો ખુલાસો
ED Raid :આમ આદમી પાર્ટીને મોટો ફટકો: સાંસદ અશોક મિત્તલ અને તેમના પુત્રના ઠેકાણે EDના દરોડા, કરોડોના વ્યવહારની તપાસ.
Jag Vikram: દરિયામાં ભારતની દાદાગીરી! હોર્મુઝની ખાડીમાંથી પસાર થયું ‘જગ વિક્રમ’, ડ્રેગન અને પાકિસ્તાનના તમામ પ્લાન થયા ફેલ
Tragic Accident in Punjab: પંજાબમાં કાળમુખો અકસ્માત: ફતેહગઢ સાહિબમાં શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પલટી, 6 ના મોતથી ચીસયારીઓ ગુંજી!
Exit mobile version